May 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-813

 

અધ્યાય-૧૫૮-રૂક્મી ને પાછો કાઢ્યો 


II वैशंपायन उवाच II एतास्मिन्नेव काले तु भीष्मकस्य महात्मनः I हिरण्यरोम्णो नृपते साक्षादिंद्रसखस्य वै II १ II

વૈશંપાયને કહ્યું-'એ જ સમયે ઇન્દ્રના મિત્ર ને હિરણ્યરોમા નામથી પ્રસિદ્ધ,દક્ષિણદેશના અધિપતિ,ભોજવંશી ભીષ્મકરાજાનો રુક્મી નામનો પુત્ર પાંડવો પાસે આવ્યો.તે ગંધમાદન પર્વત પર રહેનારા ગંધર્વ દ્રુમનો શિષ્ય હતો ને સંપૂર્ણ ધનુર્વેદ શીખ્યો હતો.જે રૂક્મીને,મહેન્દ્રનું 'વિજય' નામનું દિવ્ય ધનુષ્ય મળ્યું હતું.સ્વર્ગમાં રહેનારા દેવોનાં ત્રણ ધનુષ્યો જ દિવ્ય કહેવાય છે.તેમાંનું એક વરુણનું 'ગાંડીવ' (જે અર્જુન પાસે હતું) બીજું મહેન્દ્રનું આ 'વિજય' અને ત્રીજું વિષ્ણુનું 'સારંગ' (કે શ્રીકૃષ્ણ ધારણ કરે છે).ગાંડીવ ધનુષ્ય અર્જુનને ખાંડવવનમાં અગ્નિ પાસેથી મળ્યું હતું.મેઘના જેવા શબ્દવાળા 'વિજય' ધનુષ્યને મેળવી,જાણે આખા જગતને ભય પમાડતો હોય તેમ તે રૂક્મી,પાંડવોની પાસે આવ્યો હતો.

May 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-812

 

અધ્યાય-૧૫૭-બલરામ તીર્થયાત્રા કરવા ગયા 


II जनमेजय उवाच II आपगेयं महात्मानं भीष्मं शस्त्रभृतांवरम् I पितामहं भारतानां धवजं सर्वमहिक्षिताम् II १ II

જન્મેજયે પૂછ્યું-'ગંગાપુત્ર,ભીષ્મપિતામહને,આ વિશાળ રણયજ્ઞમાં લાંબા કાળને માટે 

દીક્ષિત થયેલા સાંભળીને,યુધિષ્ઠિર,અર્જુન અને શ્રીકૃષ્ણે શું કહ્યું?'

વૈશંપાયને કહ્યું-'મહાબુદ્ધિમાન યુધિષ્ઠિરે,પોતાના સર્વ ભાઈઓ અને શ્રીકૃષ્ણને પોતાની પાસે બોલાવીને તેઓને સાંત્વનપૂર્વક કહ્યું કે-'તમે સર્વ સૈન્યમાં ફરીને તેની તપાસ રાખો ને બખ્તરો ચડાવીને સજ્જ રહો કેમ કે તમારે પ્રથમ ભીષ્મ પિતામહની સામે યુદ્ધ કરવું પડશે.એટલા માટે તમે સાત અક્ષૌહિણી સેનાના સાત સેનાપતિ પ્રથમ યોજના કરો.'

શ્રીકૃષ્ણે કહ્યું-'હે ભરતશ્રેષ્ઠ,આવે સમયે તમારે જેવું કહેવું જોઈએ તેવું જ અર્થયુક્ત વાક્ય તમે એ બોલ્યા છો'

May 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-811

 

અધ્યાય-૧૫૬-ભીષ્મને મુખ્ય સેનાપતિ નિમ્યા 


II वैशंपायन उवाच II ततः शांतनवं भीष्मं प्रांजलीर्धृतराष्ट्रजः I सः सर्वैर्महीपालैरिदं वचनमब्रवीत II १ II

વૈશંપાયને કહ્યું-તે પછી,દુર્યોધન બે હાથ જોડી,સર્વ રાજાઓની સાથે શાંતનુપુત્ર ભીષ્મને કહેવા લાગ્યો કે-'સેના ઘણી મોટી હોય,તો પણ તે સેનાના નાયક વિના યુદ્ધનો પ્રસંગ આવતાં કીડીઓના સમૂહની જેમ છૂટીછૂટી વિખેરાઈ જાય છે.સેના ગમે તેટલી મોટી હોય પણ તેનો સેનાપતિ એક જ હોવો જોઈએ,કારણકે બે પુરુષોની બુદ્ધિ કદી પણ એક વિચારવાળી થતી નથી,વળી તે સેનાપતિઓમાં પરસ્પર શૌર્યની પણ સ્પર્ધા થાય છે.આ સંબંધમાં એક પ્રાચીન કથા સાંભળવામાં આવે છે.

May 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-810

 

અધ્યાય-૧૫૫-દુર્યોધનના સૈન્યના વિભાગ 


II वैशंपायन उवाच II व्युष्टायां वै रजन्यां हि राजा दुर्योधनस्तत: I व्यभजतान्यनिकानि दश चैकं च भारत II १ II

વૈશંપાયને કહ્યું-હે ભરતવંશી જન્મેજય,રાત્રિ પુરી થતાં જ દુર્યોધને પોતાની સૈન્યના અગિયાર વિભાગ કર્યા.એ સર્વ સેનાઓના  મનુષ્યો,હાથીઓ,રથો અને ઘોડાઓમાંથી ઉત્તમ,માધ્યમ અને કનિષ્ઠ-એવા વિભાગ કરવાની આજ્ઞા આપી.તે સૈન્યની સાથે તોમર (હાથ વડે ફેંકાય તેવા કાંટાવાળો દંડો),શક્તિ (લોહદંડ),રૂષ્ટિ (ભારે ડાંગ),ધનુષો,તોમરો (ધનુષથી ફેંકાય તેવાં મોટાં બાણો)

અને યુદ્ધમાં અત્યંત જરૂરી એવી સર્વ વસ્તુઓ લેવામાં આવી હતી.કુલીન અને અશ્વશાસ્ત્રને જાણનારા શૂરા પુરુષોને સારથિના કામ માટે નીમ્યા હતા.અશુભ દૂર કરવા રથોને યંત્રો તથા ઔષધિઓ બાંધી હતી,ને ઉત્તમ ઘોડાઓ જોડીને સજાવવામાં આવ્યા હતા.તે જ પ્રમાણે હાથીઓને પણ શણગાર્યા હતા.

May 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-809

 

II वैशंपायन उवाच II वासुदेवस्य तद्वाक्यमनुस्मुरत्य युधिष्ठिरः I पुनः प्रपच्छ वार्ष्णेयं कथं मन्दोब्रविदिदम् II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણે કૌરવોની સભાનો જે વૃતાંત કહ્યો,તે સંભારીને,યુધિષ્ઠિર ફરીથી શ્રીકૃષ્ણને પૂછવા લાગ્યા કે-

'હે વાસુદેવ,તમે દુર્યોધન અને સર્વનો ને કુંતીનો પણ વિચાર અમને કહ્યો,તે અમે બરોબર સાંભળ્યો છે,પણ તે સર્વ 

વચનોને બાજુ રાખી અને વારંવાર વિચાર કરીને અમારે જે કરવા યોગ્ય હોય તે અમને નિઃશંકપણે કહો'