Sep 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-932

 

અધ્યાય-૫૬-ત્રીજો દિવસ-ગરુડ વ્યૂહ અને અર્ધચંદ્રવ્યૂહ 


॥ संजय उवाच ॥ प्रभातायां च शर्वर्या भीष्मः शान्तनवस्तदा I अनीकान्यनुसंयाने व्यादिदेशाय भारत ॥१॥ 

સંજયે કહ્યું-હે ભારત,જયારે રાત્રી વીતી ગઈ ને સવાર થયું,ત્યારે શાન્તનુકુમાર ભીષ્મે,સર્વ સૈન્યને યુદ્ધને માટે તૈયાર થવાની આજ્ઞા આપી.ભીષ્મે તમારા પુત્રોનો જય થાય તેવું ઇચ્છીને તે દિવસે ગરુડ નામના મોટા વ્યુહની રચના કરી.જેના મુખના સ્થાનમાં તે પોતે જ રહ્યા અને ચક્ષુના સ્થાનમાં દ્રોણાચાર્ય ને કૃતવર્મા રહ્યા.ત્રિગર્ત દેશના,કૈકેય દેશના અને વાટઘાનના યોદ્ધાઓની સાથે અશ્વત્થામા અને કૃપાચાર્ય તેના શિરસ્થાનમાં રહ્યા.ભૂરિશ્રવા,શલ,શલ્ય,ભગદત્ત અને જયદ્રથ એ બધા રાજાઓ એ વ્યુહની ગ્રીવાના સ્થાનમાં રહ્યા.

Sep 21, 2025

Devi-Bhagvat-Gujarati Book-દેવી ભાગવત

This book is for Archive and online reading only-not downloadable

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-931

 

અધ્યાય-૫૫-અભિમન્યુ સામે લક્ષ્મણ-બીજો દિવસ પૂર્ણ 


॥ संजय उवाच ॥ गतगर्वाह्नभूयिष्ठे तस्मिन्नहनि भारत I रथनगाश्चपत्तीनां सानिनांच महाक्षये ॥१॥ 

સંજયે કહ્યું-તે દિવસનો પૂર્વભાગ લગભગ ચાલ્યો ગયો અને રથો,હાથીઓ,ઘોડાઓ,પાળાઓ અને ઘોડેસ્વારોનો મોટો સંહાર થઇ ગયો.પછી,અશ્વત્થામા,શલ્ય અને કૃપાચાર્ય સામે ધૃષ્ટદ્યુમ્ન યુદ્ધ કરવા માટે તૈયાર થયો.ધૃષ્ટદ્યુમ્ને દશ બાણો મારીને અશ્વત્થામાના રથના ઘોડાઓનો નાશ કર્યો એટલે તે એકદમ શલ્યના રથ પર બેસી ગયો.અને ધૃષ્ટદ્યુમ્ન પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યો.તેટલામાં તો તીક્ષ્ણ બાણો છોડતો અભિમન્યુ ત્યાં આવી પહોંચ્યો અને તેણે પચીસ પણોથી શલ્યને,નવ બાણોથી કૃપાચાર્યને અને અઠાવીશ બાણોથી અશ્વત્થામાને વીંધી નાખ્યા.તે સામે તેમણે પણ અભિમન્યુને વીંધ્યો.

Sep 20, 2025

Chandipath-Durga sapt shati-Devi Mahatmya-Audio-and Gujarati book


Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-930

 

પછી,કલિંગસેનાના મોખરા પર રહેલા શ્રુતાયુષને જોઈ ભીમ તેની સામે ધસ્યો ત્યારે,કલિંગરાજાએ તેના પર બાણો વડે પ્રહાર કર્યો.ક્રોધાયમાન ભીમ 'ઉભો રહે' કહી તેની સામે ધસ્યો.એ વેળાએ ભીમનો સારથી રથ લઈને આવી પહોંચ્યો ને તેને રથમાં બેસાડ્યો.ત્યારે ભીમસેને,સાત બાણોનો પ્રહાર કરીને કલિંગરાજને હણી નાખ્યો ને બે ક્ષુર નામનાં બાણો મારીને કલિંગરાજના રક્ષણ કરનારા સત્યદેવ અને સત્યને મારી નાખ્યા.વળી,નારાચ નામના ત્રણ તીક્ષ્ણ બાણ છોડીને કેતુમાનને પણ યમપુરીમાં વળાવી દીધો.કલિંગના ક્ષત્રિયોએ ભીમની સામે ધસારો કર્યો ત્યારે તેમના શસ્ત્રોનું વારણ કરીને ભીમે ગદા હાથમાં લીધી ને એકદમ આગળ ધસી જઈને બે હજાર યોદ્ધાઓને ને ઘણા કલિંગસૈન્યને મૃત્યુલોકમાં વિદાય કરી દીધા.આ ઘણું નવાઈ જેવું બન્યું.આખું સૈન્ય ભીમસેનના ભયથી ખળભળી ઉઠ્યું.

Sep 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-929

 

અધ્યાય-૫૪-કલિંગરાજાનો વધ 


॥ धृतराष्ट्र उवाच ॥ तथा प्रातिसमादिष्टः कालिंगोवाहिनी पतिः I कथमदभूतकर्माणं भीमसेनं महाबलं ॥१॥ 

શ્રુતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,મારા પુત્ર દુયોધને જયારે કલિંગરાજને ભીમસેન સામે મોકલ્યો,ત્યારે તેણે,

હાથમાં યમરાજાની જેમ ગદા લઈને ફરતા ભીમ સામે કેવી રીતે યુદ્ધ કર્યું? તે મને કહે.

સંજયે કહ્યું-સામે,કલિંગોની સેનાને અને તેમની સાથે આવતા નિષાદપતિ કેતુમાનને જોઈને,ભીમ,ચેદીઓને લઈને તેમની સામે ગયો.અને ભયંકર તુમુલ યુદ્ધ શરુ થયું.તે વેળાએ યોદ્ધાઓ પોતાના તથા પારકાઓને જાણી શકતા નહોતા.અન્યોઅન્યનો સંહાર કરતા તે યોદ્ધોએ રણભુમીને લોહીથી ખરડી નાખી હતી.કલિંગોના પ્રમાણમાં થોડા એવા ચેદીઓએ પોતાનું યથાશક્તિ પરાક્રમ બતાવીને ભીમસેનને એકલો છોડીને પાછા હટવા લાગ્યા.ભીમસેન ચારેબાજુથી કલિંગોથી ઘેરાયેલો હતો પણ તે જરા પણ ચલિત થયા વિના કલિંગોની સેનાને તીક્ષ્ણ બાણોથી આચ્છાદિત કરવા લાગ્યો.