અધ્યાય-૫૬-ત્રીજો દિવસ-ગરુડ વ્યૂહ અને અર્ધચંદ્રવ્યૂહ
॥ संजय उवाच ॥ प्रभातायां च शर्वर्या भीष्मः शान्तनवस्तदा I अनीकान्यनुसंयाने व्यादिदेशाय भारत ॥१॥
સંજયે કહ્યું-હે ભારત,જયારે રાત્રી વીતી ગઈ ને સવાર થયું,ત્યારે શાન્તનુકુમાર ભીષ્મે,સર્વ સૈન્યને યુદ્ધને માટે તૈયાર થવાની આજ્ઞા આપી.ભીષ્મે તમારા પુત્રોનો જય થાય તેવું ઇચ્છીને તે દિવસે ગરુડ નામના મોટા વ્યુહની રચના કરી.જેના મુખના સ્થાનમાં તે પોતે જ રહ્યા અને ચક્ષુના સ્થાનમાં દ્રોણાચાર્ય ને કૃતવર્મા રહ્યા.ત્રિગર્ત દેશના,કૈકેય દેશના અને વાટઘાનના યોદ્ધાઓની સાથે અશ્વત્થામા અને કૃપાચાર્ય તેના શિરસ્થાનમાં રહ્યા.ભૂરિશ્રવા,શલ,શલ્ય,ભગદત્ત અને જયદ્રથ એ બધા રાજાઓ એ વ્યુહની ગ્રીવાના સ્થાનમાં રહ્યા.



