અધ્યાય-૫૮-ભીષ્મ અને દુર્યોધનનો સંવાદ
॥ संजय उवाच ॥ ततस्ते पार्थिवाः कृद्वाः फ़ाल्गुनं वीक्ष्य संयुगे I रथैरनेकसाहस्त्रैः समंतात्पर्यवारयन् ॥१॥
સંજયે કહ્યું-બધા રાજાઓ સામે અર્જુનને રણસંગ્રામમાં આવેલો જોઈને તે રાજાઓ એકદમ કોપાયમાન થઈને હજારો બાણો છોડીને અર્જુનને આગળ વધતો અટકાવવા લાગ્યા.તે રાજાઓએ અર્જુનના રથ પર દેદીપ્યમાન શક્તિઓ,ગદાઓ,ભાલાઓ,
ફરસીઓ,મુદ્દગરો-આદિ અનેક પ્રકારનાં અસ્ત્રો ફેંકવા માંડ્યાં ત્યારે અર્જુને તે સર્વને પોતાના બાણોથી અટકાવી દીધા.
અર્જુનની ચતુરાઈ જોઈને ત્યાં રહેલા દેવો,દાનવો,ગંધર્વો-આદિ સર્વેએ ધન્યવાદના પોકાર કરીને તેના વખાણ કર્યા.



