અધ્યાય-૯૨-આઠમો દિવસ (ચાલુ) ઘટોત્કચનું પરાક્રમ
॥ संजय उवाच ॥ ततस्तद्राणवर्ष तु दुःसहंवानवैरपि I दधार युधि राजेन्द्रो यथावर्ष महाद्विपः ॥१॥
સંજયે કહ્યું-દાનવોને પણ સહન કરવાને અશક્ય એવી તે બાણવૃષ્ટિને,રાજેન્દ્ર દુર્યોધન,જેમ,મહાન હાથી મેઘવૃષ્ટિને સહન કરે તેમ,સહન કરી રહ્યો હતો.ક્રોધાવેશમાં આવેલો તે સર્પની જેમ શ્વાસોશ્વાસ લેતો,ને જીવિતના સંશયમાં આવી પડ્યો હતો.તે પછી,દુર્યોધને અત્યંત તીક્ષ્ણ પચીસ બાણો છોડ્યાં,કે જે બાણોના પ્રહારથી લોહીલુહાણ થયેલા ઘટોત્કચે દુર્યોધનના નાશનો વિચાર કરીને સામે વજ્રસમાન શક્તિને ઉગામી.તે શક્તિને જોઈને બંગદેશના રાજાએ ઘણી ઝડપથી પર્વત સમાન એક હાથીને વચ્ચે આડો ઉભો કરી દીધો.રાક્ષસે જેવી તે શક્તિ તે હાથી પર ફેંકી ત્યારે તે બળવાન મહાન હાથી મરણ પામ્યો.





