તમે બધું ત્યજી શકો તેમ ના હો તો વાંધો નહિ—પણ બધું ય ઠાકોરજીના ચરણ માં અર્પણ કરીને –એ બધું ભગવાનનું છે-એમ માનીને –ભગવદાર્પણવૃત્તિથી –વિવેકથી ભોગવો.તમારા ઘરમાં જે કઈ છે તે પણ પરમાત્માને અર્પણ કરો.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Nov 22, 2025
ભાગવત રહસ્ય-૬-Bhgavat Rahasya-6
તમે બધું ત્યજી શકો તેમ ના હો તો વાંધો નહિ—પણ બધું ય ઠાકોરજીના ચરણ માં અર્પણ કરીને –એ બધું ભગવાનનું છે-એમ માનીને –ભગવદાર્પણવૃત્તિથી –વિવેકથી ભોગવો.તમારા ઘરમાં જે કઈ છે તે પણ પરમાત્માને અર્પણ કરો.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-989
અધ્યાય-૧૦૬-નવમો દિવસ સમાપ્ત-અજિત ભીષ્મ
॥ संजय उवाच ॥ ततः पिता तव कृद्वो निशितैः सायकोत्तमैः I आजधान रणे पार्थान्सहसेनान्समंततः ॥१॥
સંજયે કહ્યું-ત્યાર પછી અત્યંત ક્રોધાયમાન થયેલા તમારા પિતા ભીષ્મ,મોટા મોટા તીક્ષ્ણ બાણો વડે પાંડવોને ને તેમની સેનાને ચારે બાજુથી પ્રહાર કરવા માંડ્યા.અનેક બાણો મૂકી તેમણે ભીમ,સાત્યકિ,નકુલ,સહદેવ,યુધિષ્ઠિર અને ધૃષ્ટદ્યુમ્નને વીંધી નાખીને મોટેથી ગર્જના કરી મૂકી.ત્યારે તે સર્વેએ પણ સામે તે પિતામહને,અનેક બાણો મૂકીને વીંધ્યા.દ્રોણાચાર્યે જયારે ભીમ,સાત્યકિ પર બાણોથી પ્રહાર કર્યો ત્યારે તેમણે પણ દ્રોણ સામે પ્રહાર કરીને તેમને વીંધી નાખ્યા.
Nov 21, 2025
ભાગવત રહસ્ય-૫-Bhgavat Rahasya-5
પરમાત્માનાં દર્શનનું સાધન અનેક ગ્રંથોમાં આપ્યું છે.ઉપનિષદમાં પણ મનુષ્યને અપરોક્ષ સાક્ષાત્કાર કરવાનું માર્ગદર્શન આપ્યું છે.પણ વ્યાસજીએ વિચાર્યું કે ઉપનિષદની ભાષા ગૂઢ છે,સામાન્ય માણસ તે સમજી શકશે નહિ.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-988
અધ્યાય-૧૦૫-નવમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ द्रष्टा भीष्मं रणे कृद्वं पांडवैरभिसंवृतं I यथा मेधैमहाराज तपांते दिवि भास्करः ॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,એ રણસંગ્રામમાં ક્રોધાયમાન થયેલા ભીષ્મને,જેમ,મેઘમંડળ આકાશમાં સૂર્યને ઢાંકી દે છે તેમ,પાંડવોથી વીંટાયેલા જોઈને દુર્યોધન દુઃશાસનને કહેવા લાગ્યો કે-'ભીષ્મ પિતામહને પાંડવોએ ચારે બાજુથી ઘેરી લીધા છે,માટે એમનું તારે રક્ષણ કરવું એ જ હું મુખ્ય કર્તવ્ય માનું છું.કેમ કે જો તેમનું રક્ષણ થશે તો તે ભીષ્મ,પાંચાલો અને પાંડવોનો નાશ કરશે.વળી,તે આપણું પણ રક્ષણ કરનારા છે,માટે તું સર્વ સૈન્ય લઈને તેમને વીંટાઈ વળી તેમનું રક્ષણ કર' આવી દુર્યોધનની આજ્ઞાથી દુઃશાસન સૈન્ય લઈને ભીષ્મને વીંટાઈને ઉભો રહ્યો.
Nov 20, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-987
અધ્યાય-૧૦૪-નવમો દિવસ (ચાલુ) ભીષ્મ અને સાત્યકિનું યુદ્ધ
॥ संजय उवाच ॥ अर्जुनस्तान्नरव्याघ्रः सुशर्मानुचरान्नृपान I अनयत्प्रेत राजस्य सदनं सायकैः शितैः ॥१॥
સંજયે કહ્યું-પુરુષવ્યાઘ્ર અર્જુને,સુશર્માના અનુચર રાજાઓને તીક્ષ્ણ બાણોનો પ્રહાર કરીને યમરાજને ઘેર વિદાય કરવા માંડ્યા,ત્યારે સુશર્માએ નવ બાણોથી અર્જુનને અને સિત્તેર બાણોથી કૃષ્ણને વીંધ્યા.અર્જુને અનેક બાણો મૂકીને સુશર્માને આગળ વધતો અટકાવીને તેના અનુયાયી યોદ્ધાઓને યમદ્વારમાં મોકલી દીધા.સુશર્માના સૈનિકો પોતાના પરની ભયંકર સ્થિતિ થતાં,પોતાના રથો,ઘોડાઓ અને રથો,ત્યાં રણભૂમિમાં જ છોડીને નાસવા લાગ્યા.ત્રિગર્તરાજ સુશર્માએ તેઓને ઘણા વાર્યા પણ તેઓ ત્યાં ઉભા રહ્યા નહિ.સૈન્યને આમ નાસતું જોઈને દુર્યોધન સર્વ સૈન્ય સહીત ભીષ્મને આગળ કરીને સુશર્માનો જીવ બચાવવા અર્જુન સામે ધસ્યો.પેલી તરફ પાંડવો પણ અર્જુનનું રક્ષણ કરવા આવી પહોંચ્યા,ને તેને વીંટાઈ વળ્યા.



