અધ્યાય-૫-નવા સેનાપતિની યોજનાની ભાંજગડ
II संजय उवाच II रथस्थं पुरुषव्याघ्रं द्रष्टा कर्णमवस्थितम् I हृष्टो दुर्योधनो राजन्निदं वचनमब्रवीत II १ II
સંજય બોલ્યો-હે રાજન,રથમાં બેઠેલા નરસિંહ કર્ણને પોતાની સામે આવેલો જોઈને દુર્યોધન હર્ષમાં આવી ગયો
ને બોલ્યો-'હે કર્ણ,હવે તારા રક્ષણ તળે રહેલા મારા સૈન્યને હું સનાથ માનું છું.
હવે આપણે આગળ પર શું યોગ્ય અને હિતકારક કરવું જોઈએ તેનો તું વિચાર કર.'




