Dec 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1011

અધ્યાય-૫-નવા સેનાપતિની યોજનાની ભાંજગડ 


II संजय उवाच II रथस्थं पुरुषव्याघ्रं द्रष्टा कर्णमवस्थितम् I हृष्टो दुर्योधनो राजन्निदं वचनमब्रवीत II १ II

સંજય બોલ્યો-હે રાજન,રથમાં બેઠેલા નરસિંહ કર્ણને પોતાની સામે આવેલો જોઈને દુર્યોધન હર્ષમાં આવી ગયો 

ને બોલ્યો-'હે કર્ણ,હવે તારા રક્ષણ તળે રહેલા મારા સૈન્યને હું સનાથ માનું છું.

હવે આપણે આગળ પર શું યોગ્ય અને હિતકારક કરવું જોઈએ તેનો તું વિચાર કર.'

Dec 15, 2025

ભાગવત રહસ્ય-૨૭-Bhgavat Rahasya-27

ભાગવતની કથા શ્રવણ કરે –તો વાંસની એક એક ગાંઠ તૂટે છે. પરમાત્માની કથા સાંભળ્યા પછી –ધીરે ધીરે આસક્તિઓની ગાંઠ તૂટે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ વધી જાય એટલે-આસક્તિઓની ગાંઠ છૂટી જાય છે.ગાંઠ છોડવાનું કહ્યું છે(વિવેકથી)—ગાંઠ કાપવાનું નહિ.ભગવાનના નામનો જપ કરશો—તે એકલો જ સાચો છે-એમ માની ને તેનું સ્મરણ કરશો તો વાસનાની ગાંઠ છૂટશે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1010

 

અધ્યાય-૪-ભીષ્મે કર્ણને યુદ્ધ કરવાની આજ્ઞા આપી 


II संजय उवाच II तस्य लालप्यमानस्य कुरुवृद्ध: पितामह I देशकालोचितं यास्यमब्रवीन्प्रितमानसः II १ II

સંજય બોલ્યો-કર્ણે આ પ્રમાણે વારંવાર કહ્યું ત્યારે કુરુવૃદ્ધ પિતામહે પ્રસન્નચિત્ત થઈને દેશકાળને યોગ્ય વચનો કહ્યાં.

'હે કર્ણ,જેમ,સરિતાઓને સમુદ્ર આશ્રયરૂપ છે,તેમ તું મિત્રોને અશ્રયરૂપ થા.જેમ,દેવો ઇન્દ્રની પાછળ જીવે છે તેમ,તારા બાંધવો તારી પાછળ જીવો.શત્રુઓનો તું માનભંજન થા અને મિત્રોનો તું આનંદવર્ધન થા.જેમ,વિષ્ણુ,દેવતાઓનો આધાર છે તેમ,તું કૌરવોનો આધાર છે.હે કર્ણ,પૂર્વે,તેં દુર્યોધનના જયની ઈચ્છાથી કામ્બોજ યોદ્ધાઓને જીત્યા હતા.વળી,નગ્નજિત,અમ્બષ્ઠો,

વિદેહો અને ગાંધારોને પણ તેં હરાવ્યા હતા.રણસંગ્રામમાં મહાભયંકર એવા કિરાતોને તેં દુર્યોધનના તાબામાં આણ્યા હતા.

વળી,દુર્યોધનનું હિત ઇચ્છીને અનેક સંગ્રામોમાં અનેક વીરોને પરાજય આપ્યો હતો.

Dec 14, 2025

ભાગવત રહસ્ય-૨૬-Bhgavat Rahasya-26

ગોકર્ણે ધન્ધુકારીના મરણના સમાચાર સાંભળ્યા.તેઓ ફરતાં ફરતાં ગયાજીમાં આવ્યા છે. તેમણે સાંભળ્યું કે –મારા ભાઈની દુર્ગતિ થઇ છે. તેનો ઉદ્ધાર કરવા ગોકર્ણે ધન્ધુકારી પાછળ ગયાજીમાં શ્રાધ્ધ કર્યું છે. ભગવાનના –ચરણમાં-
પિંડદાન કર્યું છે. ગયા શ્રાધ્ધ શ્રેષ્ઠ છે, ત્યાં –વિષ્ણુ પાદ (વિષ્ણુ ના ચરણ) છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1009

 

અધ્યાય-૩-ભીષ્મ પ્રત્યે કર્ણનાં વચન 


II संजय उवाच II शरतल्पे महात्मानं शयानमतितौजसम् I महावातसमुहेन समुद्रमिवशोपितम् II १ II

સંજય બોલ્યો-હે રાજન,આમ કર્ણ રથમાં બેસીને ભીષ્મપિતામહની બાણશૈય્યાવાળા સ્થાને પહોંચ્યો ને તેમને જોઈને રથમાંથી નીચે ઉતર્યો.પિતામહને જોઈને કર્ણ ભારે વેદના પામ્યો ને તેનું ગળું ભરાઈ આવ્યું ને બે હાથ જોડીને વંદન કરીને તે બોલ્યો કે-'હે પિતામહ,આપનું મંગલ હો.હું કર્ણ આપની પાસે આવ્યો છું,આપ મને કૃપાદ્રષ્ટિથી જુઓ,અને પવિત્ર-કલ્યાણકારી વાણીથી આપ મારી સાથે બોલો.અરેરે,આ જગતમાં કોઈ પણ મનુષ્યને તેનાં શુભ કૃત્યોનું ફળ મળતું નથી,કારણકે આપ જેવા ધર્મપરાયણ વડીલ આજે આ સ્થિતિએ પૃથ્વી પર સુતા છે.

Dec 13, 2025

ભાગવત રહસ્ય-૨૫-Bhgavat Rahasya-25

ઈશ્વરનું અર્ચા સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી. પણ નામ સ્વરૂપ અતિ સુલભ છે.નામ સેવા સર્વ કાળ (સમય)માં થઇ શકે છે. રાત્રે બાર વાગે રામજીની સેવા(રામની મૂર્તિની સેવા-પૂજા) ન થઇ શકે. પણ રામનું નામ લઇ શકાય. સ્વ-રૂપ સેવાને દેશ-કાળ(સ્થળ-સમય) ની મર્યાદા છે. નામ સેવાને તેવી કોઈ મર્યાદા નથી. માટે પ્રભુના નામમાં રહેવાની ટેવ પાડવી જોઈએ.