અધ્યાય-૬-દુર્યોધને દ્રોણાચાર્યને આપેલું પ્રોત્સાહન
II संजय उवाच II कर्णस्य वचनं श्रुत्वा राजा दुर्योधनस्तदा I सेनामध्य गतं द्रोणमिदं वचनमब्रवीत II १ II
સંજય બોલ્યો-'ત્યારે કર્ણનાં એ વચન સાંભળીને દુર્યોધન,સેનાની મધ્યમાં ઉભેલા દ્રોણાચાર્યને કહેવા લાગ્યો કે-
'હે બ્રાહ્મણશ્રેષ્ઠ,ઉત્તમ બ્રાહ્મણવર્ણ,શ્રેષ્ઠ કુળમાં જન્મ,શાસ્ત્રાભ્યાસ,વય,બુદ્ધિ,પરાક્રમ,દક્ષતા,અજેયપણું,
અર્થજ્ઞાન,નીતિ,જપ,તપ,અને કૃતજ્ઞતા એ સર્વ ગુણોથી આપ વૃદ્ધ છો.આપ સમાન બીજો કોઈ પણ પુરુષ આ રાજાઓનો યોગ્ય રક્ષક નથી,માટે હે નિષ્પાપ,ઇન્દ્ર જેમ દેવોનું રક્ષણ કરે છે તેમ આપ અમારું રક્ષણ કરો.આપની આગેવાની હેઠળ અમે શત્રુઓને જીતવા ઇચ્છીએ છીએ.




