અધ્યાય-૧૧-ધૃતરાષ્ટ્રના મુખે શ્રીકૃષ્ણનાં કર્મોનું કીર્તન
II धृतराष्ट्र उवाच II शृणु दिव्यानि कर्माणि वासुदेवस्य संजय I कृतवान यानि गोविन्दा यथा नान्यपुमान क्वचित् II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,વાસુદેવનંદન ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય કર્મોનું વર્ણન તું સાંભળ.તે ભગવાન ગોવિંદે જે જે કર્યો કાર્ય છે તેવા કદાચ કોઈ બીજો પુરુષ કદાપિ પણ કરી શકનાર નથી.બાળપણમાં તે જયારે ગોકુળમાં હતા,ત્યારે પોતાના પરાક્રમોથી ત્રણે લોકમાં વિખ્યાત થયા હતા.યમુનાના તટ પરના વનમાં વાયુ સમાન વેગવાન અશ્વરાજ કેશીને તેમણે મારી નાખ્યો હતો.વળી,પ્રલંભ,નરકાસુર,જંભાસુર,આદિ અસુરો ને મામા કંસને પણ તેમણે જ માર્યા હતા.શ્રીકૃષ્ણે દુર્વાસાની આરાધન કરી હતી,કે જેમણે તેમને અનેક વરદાન આપ્યા હતાં.જરાસંઘને તેમણે ભીમસેન દ્વારા માર્યો હતો.





