અધ્યાય-૨૧-આ તે દ્રોણ કે સાક્ષાત કાળ?
II संजय उवाच II ततो युधिष्ठिरो द्रोणं द्रष्ट्वान्तिकमुपागतम I महता शरवर्षेण प्रत्यगृहणादभीतवत II १ II
સંજય બોલ્યો-તે પછી,દ્રોણાચાર્યને લગભગ પોતાની પાસે આવેલા જોઈને યુધિષ્ઠિરે મોટી બાણની વૃષ્ટિ કરી નિર્ભયની જેમ તેમની સામે થયા.દ્રોણને જોઈને સત્યજિત,યુધિષ્ઠિરનું રક્ષણ કરવાની ઈચ્છાથી દ્રોણની સામે ધસ્યો.તેણે તીક્ષ્ણ બાણો છોડીને દ્રોણને વીંધી નાખ્યા અને તેમના સારથી,ઘોડા ને પૃષ્ઠરક્ષકને પણ વીંધી નાખ્યા.શત્રુના આ ચરિત્રને જોઈને દ્રોણાચાર્યે મનમાં વિચાર કર્યો કે-'આને તો હવે મારવો જ પડશે' પછી તેમણે દશ તીક્ષ્ણ બાણોથી સત્યજિતને વીંધી નાખ્યો અને તેના ધનુષ્યનાં ટુકડા કરી નાખ્યા.તે જોઈને પાંચાલવંશના વૃકે,બાણોનો વરસાદ કરી દ્રોણાચાર્યને છાઈ દીધા.





