આ બાજુ પરીક્ષિત ઘેર ગયા –માથેથી મુગુટ ઉતાર્યો અને તેમને- તેમની ભૂલ સમજાઈ. મેં આજે પાપ કર્યું છે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 22, 2026
ભાગવત રહસ્ય-૭૨-Bhgavat Rahasya-72
આ બાજુ પરીક્ષિત ઘેર ગયા –માથેથી મુગુટ ઉતાર્યો અને તેમને- તેમની ભૂલ સમજાઈ. મેં આજે પાપ કર્યું છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1054
અધ્યાય-૪૮-છ જણાએ મળીને અભિમન્યુ ને રથ વિનાનો કર્યો
II संजय उवाच II स कर्ण कर्णिना कर्णे पुनर्विव्याध फ़ाल्गुनि:I शरै: पंचाशता चैनमविध्यत कोपयन भ्रुशम् II १ II
સંજય બોલ્યો-ફરીથી,અર્જુનના પુત્રે કર્ણી નામના એક બાણથી કર્ણના કાનને વીંધી નાખ્યો,ને તેને કોપાયમાન કરવા બીજાં પચાસ બાણોથી તેના પર પ્રહાર કર્યો.ત્યારે કર્ણે સામે તેને પચાસ બાણો માર્યા.પરસ્પર બાણોથી ભરાઈ ગયેલા તે બંને શરીરે લોહીથી ખરડાયેલા હતા.પછી,અભિમન્યુએ કર્ણના છ શૂરા પ્રધાનોને,સારથિ સહીત હણી નાખ્યા ને લગારે ગભરાયા વિના બીજા મોટા મોટા ધનુર્ધરોને દશ દશ બાણોથી વીંધી નાખ્યા તે ઘણું જ આશ્ચર્યજનક દેખાતું હતું.
Feb 21, 2026
ભાગવત રહસ્ય-૭૧-Bhgavat Rahasya-71
પરીક્ષિતે દયા કરી અને ચાર જગાએ કળિને રહેવાની જગ્યા આપી છે.
(૧)જુગાર (૨)મદિરાપાન અને માંસ ભક્ષણ (૩)ધર્મવિરુદ્ધનો સ્ત્રીસંગ-વેશ્યા (૪)હિંસા.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1053
અધ્યાય-૪૭-અભિમન્યુનું પરાક્રમ-બૃહદબલનો વધ
II धृतराष्ट्र उवाच II तथा प्रविष्टं तरुणं सौभद्रमपराजितम् I कुलानुरूपं कुर्वाणं संग्रामेष्वपलायिनं II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,કદી પરાજિત ન થઇ શકે તેવો,ને યુદ્ધમાં પીઠ ન બતાવે તેવો સુભદ્રાકુમાર અભિમન્યુ,જયારે અમારી સેનામાં પ્રવેશ કરીને,જાણે આકાશમાં તરતો હોય તેમ આક્રમણ કરતો હતો ત્યારે તેને કયા શૂરવીરોએ રોક્યો હતો?
Feb 20, 2026
ભાગવત રહસ્ય-૭૦-Bhgavat Rahasya-70
બળદ એ ધર્મનું સ્વરૂપ છે. ગાય એ ધરતી માતાનું સ્વરૂપ છે.ધર્મ ના ચાર મુખ્ય અંગો છે.-સત્ય-તપ-પવિત્રતા-દયા.
આ ચારે તત્વો જેનામાં પરિપૂર્ણ હોય-તે ધર્મી છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1052
અધ્યાય-૪૬-રાજકુમાર લક્ષ્મણ અને ક્રાથરાજ પુત્ર માર્યા ગયા
II धृतराष्ट्र उवाच II यथा वदसि मे सूत एकस्य बहुभि: सह I संग्रामं तुमुलं घोरं जयं चैव महात्मनः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સૂત,તું મને કહે છે કે,એકલા અભિમન્યુનો અનેક યોદ્ધાઓની સાથે તુમુલ અને ઘોર સંગ્રામ થઇ રહ્યો અને તેમાં તે અભિમન્યુનો વિજય થયો હતો તેવું તેનું આ પરાક્રમ જોકે ન મનાય તેવું આશ્ચર્યજનક છે,તો પણ જેમને ધર્મનો આશ્રય છે તેમને માટે અતિ અદભુત તો નથી.હવે જયારે દુર્યોધન નાસી ગયો,ત્યારે કયા યોદ્ધાઓએ તેની સામે યુદ્ધ કર્યું?તે કહે.





