Mar 21, 2026

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1081

 

અધ્યાય-૮૧-અર્જુનને પુનઃ પાશુપતાસ્ત્રની પ્રાપ્તિ 


 II संजय उवाच II ततः प्रार्थः प्रसन्नात्मा प्रांजलिर्वुषभध्वजम् I ददर्शोत्फ़ुलनयनः समस्तं तेजसा निधिम् II १ II

સંજય બોલ્યો-તે પછી,પ્રસન્ન ચિત્તવાળો અર્જુન હાથ જોડીને પ્રફુલ્લિત નેત્રે સમગ્ર તેજના ભંડાર એવા વૃષભધ્વજ શંકરનાં દર્શન કરવા લાગ્યો.નિત્ય નિયમ પ્રમાણે તેણે જે બલિ રાત્રિએ,વાસુદેવને અર્પણ કર્યો હતો તે બલિ તેણે ત્યાં મહાદેવની પાસે રહેલો જોયો.પછી,અર્જુને મનથી શ્રીકૃષ્ણ અને શ્રીશંકરનું પૂજન કર્યું અને 'હું દિવ્ય અસ્ત્રની ઈચ્છા રાખું છું' એમ શંકરને કહ્યું.

શ્રીશંકર બોલ્યા-તમે જે ઈચ્છાથી અહીં આવ્યા છો તે હું તમને આપું છું.અહીં પાસે એક દિવ્ય સરોવર છે તેમે મેં મારાં દિવ્ય ધનુષ્યબાણ મૂક્યાં  છે કે જેનાથી મેં અસુરોનો સંહાર કર્યો હતો,તમે ત્યાંથી તે લઇ આવો.

Mar 20, 2026

ભાગવત રહસ્ય-૯૮-Bhgavat Rahasya-98

મનુ મહારાજ-રાણી શતરૂપા અને દેવહુતિ સાથે-કર્દમઋષિના આશ્રમમાં આવે છે. કર્દમઋષિ ઉભા થયા છે-સ્વાગત કરે છે.વિચારે છે-પ્રભુએ કહ્યું હતું તેમ –મનુ મહારાજની પાછળ ઉભેલી જે કન્યા છે-તે મારી પત્ની થવાની છે, પ્રભુએ બહુ વખાણ કર્યા છે,પણ હું કન્યાની પરીક્ષા કરું.
કર્દમ વિવેકથી કન્યાની પરીક્ષા કરે છે.કર્દમઋષિએએ ત્રણ આસનો પાથર્યા છે,તેના ઉપર બેસવા બધાને કહે છે. મનુ-શતરૂપા આસન પર બેસે છે-પણ દેવહુતિ આસન પર બેસતા નથી. કર્દમઋષિએ કહ્યું-આ ત્રીજું આસન –દેવી-તમારા માટે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1080

 

અધ્યાય-૮૦-અર્જુન સ્વપ્ન


 II संजय उवाच II कुंतीपुत्रस्तु तं मन्त्रं स्मरन्नेव धनंजयः I प्रतिज्ञामात्मनो रक्षन् मुमोहाचित्यविक्रमः II १ II

સંજય બોલ્યો-અચિંત્ય પરાક્રમવાળો તથા પોતાની પ્રતિજ્ઞાનું રક્ષણ કરનારો અર્જુન 'જયદ્રથનો વધ કેવી રીતે કરવો?' એ વિચારનું સ્મરણ કરતાં કરતાં જ મોહમાં પડી ગયો ને નિંદ્રાવશ થયો.ત્યારે તેને એક સ્વપ્ન દેખાયું કે જેમાં ગરુડધ્વજ શ્રીકૃષ્ણને પોતાની પાસે આવેલા જોયા.અર્જુને તેમને આસન આપ્યું ને સામો ઉભો રહ્યો ત્યારે અર્જુનનો નિશ્ચય જાણી લઈને શ્રીકૃષ્ણ બોલ્યા કે-'હે અર્જુન,તું મનમાં ખેદ ના કર,કારણકે કાળ દુર્જય છે ને તે કાળ જ સર્વ ભૂતોને અવશ્ય ભાવિ કર્તવ્યમાં પ્રવર્તાવે છે.તું કહે કે તને શોક શા માટે થાય છે? તારે શોક કરવો જોઈએ નહિ કારણકે શોક કાર્યનો નાશ કરે છે.

Mar 19, 2026

ભાગવત રહસ્ય-૯૭-Bhgavat Rahasya-97

વિદુરજી –મૈત્રેયજીને કહે છે-કે-આપ કર્દમ અને દેવહુતિના વંશની કથા કહો. 
કપિલ ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા છે.
મૈત્રેયજી કહે છે-કે-કર્દમઋષિ જીતેન્દ્રિય છે, એટલે કપિલ ભગવાન (બ્રહ્મ-જ્ઞાન) તેમને ત્યાં પ્રગટ થયા છે.કર્દંમ=ઇન્દ્રિયોનું દમન કરનાર-ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર.
ઇન્દ્રિયોના નિગ્રહથી શરીરમાં સત્વ-ગુણની વૃદ્ધિ થાય અને સત્વ-ગુણની વૃદ્ધિ થાય એટલે આપોઆપ જ્ઞાનનો ઝરો ફૂટે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1079

 

અધ્યાય-૭૯-શ્રીકૃષ્ણ ને દારુક 


 II संजय उवाच II ततोर्जुनस्य भवनं प्रविश्याप्रतिमं विभुः I स्पृष्टांभः पुण्डरीकाक्षः स्थंडिले शुभलक्षणे II १ II

સંજય બોલ્યો-તે પછી,કમળ સરખાં નેત્રવાળા વિશ્વવ્યાપક શ્રીકૃષ્ણ,અર્જુનના ભવનમાં દાખલ થયા ને ત્યાં જઈ તેમણે જળસ્પર્શ કર્યો અને દર્ભોની સુંદર શૈયા બિછાવી તેની આસપાસ મંડળાકારે સર્વ ઉત્તમ આયુધો મૂકી દીધાં.ને સેવકો પાસે મહાદેવને અર્પણ કરવાનો રાત્રી સંબંધી બલિ તૈયાર કરાવ્યો.અર્જુને સ્નાન કરીને પ્રસન્ન મનથી ચંદન ને પુષ્પની માળાઓ હાથમાં લઈને શ્રીકૃષ્ણનું પૂજન કર્યું અને મહાદેવને બલિ અર્પણ કર્યો.ગોવિંદે તેને કહ્યું કે-હે પાર્થ,હવે તું સુઈ જા,તારું કલ્યાણ થાઓ'