Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 27, 2026
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1117
અધ્યાય-૧૨૧-સૈન્યની મધ્યમાં સાત્યકિ
II धृतराष्ट्र उवाच II संप्रमृद्य महत्सैन्यं यातं शैनेयमर्जुनम् I निर्हिका मम ते पुत्राः किमकुर्वत संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યો-'હે સંજય,મહાસૈન્યનો સંહાર કરીને અર્જુન પાસે જતા એ શિનિકુમાર સાત્યકિ સામે મારા બેશરમ પુત્રોએ પછી શું કર્યું હતું?એમનું કઈ રીતે ધૈર્ય રહ્યું હતું?તે સૈન્યમાં પરાજય પામીને ઉભેલા ક્ષત્રિયોએ શું કર્યું હતું?મારા પુત્રો જીવતા હતા,તે છતાં સાત્યકિ કેવી રીતે યુદ્ધમાં આગળ ચાલી ગયો? તે એકલો સાત્યકિ,અનેક મહારથીઓ સામે લડ્યો તે અતિ આશ્ચર્યકારક વાત હું તારી પાસેથી સાંભળું છું.મારા મંદભાગી પુત્રનું તો હવે અવળું જ થવા બેઠું છે,એમ હું માનું છું.
Apr 26, 2026
ભાગવત રહસ્ય-૧૩૪-Bhgavat Rahasya-134
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1116
અધ્યાય-૧૨૦-દુર્યોધન નાઠો
II संजय उवाच II जित्वा यवनकांबोजान युयुधानस्ततोर्जुनम् I जगाम तव सैन्यस्य मध्येन रथिनां वरः II १ II
સંજય બૉંલ્યો-યવનોનો ને કંબોજોનો એ રીતે પરાજય કરીને રથીશ્રેષ્ઠ સાત્યકિ તમારા સૈન્યની મધ્યમાં થઈને અર્જુન પાસે જવા લાગ્યો.જેમ,કોઈ એક વાઘ મૃગોને ત્રાસ પમાડે તેમ,તે સાત્યકિ તમારા સૈન્યને ત્રાસ પમાડતો હતો.દ્રોણ,કૃતવર્મા,જલસંઘ અને કામ્બોજ યોદ્ધાઓની સેનાને પાર કરીને તે કૌરવોના સૈન્યસાગરના મધ્યમાં તે આવી પહોંચ્યો હતો.તે સમયે તમારા પુત્રો તેને મારી નાખવાની ઈચ્છાથી આગળ ધસી આવ્યા ને તેના રથની આસપાસ વીંટાઈ વળ્યા.આમ,દુર્યોધન,ચિત્રસેન,દુઃશાસન,
વિવિંશતિ,શકુનિ,દુઃસહ,દુર્ઘર્ષણ,ક્રથ-આદિ અનેક શૂરા યોદ્ધાઓ જે અર્જુનની પાછળ જતા હતા તે સાત્યકિ સામે ધસ્યા.
Apr 25, 2026
ભાગવત રહસ્ય-૧૩૩-Bhgavat Rahasya-133
ભોગ ભોગવે એને –જરા-વૃદ્ધાવસ્થા વળગે છે. યોગીને જરા-અવસ્થા વળગી શકે નહિ.
જવાની એ "જવા" ની જ છે. વૃદ્ધાવસ્થામાં વાસના વૃદ્ધ થતી નથી,મોહ છૂટતો નથી.
ને પછી –મૃત્યુનો સેવક-પ્રજ્વાર આવે છે.(પ્રજ્વાર એટલે અંતકાળનો જ્વર (તાવ).
સ્ત્રી માં અતિ આશક હોવાથી –અંતકાળમાં સ્ત્રીનું ચિંતન કરતાં-શરીર છોડવાથી –પુરંજન –વિદર્ભ નગરીમાં કન્યા-રૂપે જન્મ્યો.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1115
અધ્યાય-૧૧૯-મ્લેચ્છોનો પરાજય
II संजय उवाच II ततः स सत्यकिर्धिमान महात्मा वृष्णिपुङ्गव:I सुदर्शनं निहत्याजौ यन्तारं पुनरब्रवीत II १ II
સંજય બોલ્યો-હે રાજન,સુદર્શનના વધ પછી વૃષ્ણિવંશના બુદ્ધિમાન,મહામનસ્વી સાત્યકિ સારથિને કહેવા લાગ્યો કે-'હે સૂત,રથ,ઘોડા ને હાથીઓથી ભરેલી દેઓનાચાર્યની સેના મહાસાગર સમાન હતી.જે યોદ્ધો વિજયની અભિલાષા ન રાખે તેવાને માટે તે પ્રાણનાશક સેનાસાગર દુર્ઘર્ષ હતો.જલસંઘની સેનાએ તે સેનાસાગરને ઘેરી રાખ્યો હતો.આવા સેનાસાગરને આપણે પાર કરી ગયા છીએ.હવે તેનાથી ભિન્ન જે સેના છે તેને તો હું નાની નદી સમાન જ સમજુ છું,માટે નિર્ભય થઈને ઘોડાઓ ચલાવ.





