Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 29, 2026
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1119
અધ્યાય-૧૨૩-દુઃશાસનનો પરાજય
II संजय उवाच II ततो दुःशासनो राजन शैनेयं समुपाद्रवत I किरन शरसहस्त्राणि पर्जन्य इव वृष्टिमान II १ II
સંજય બોલ્યો-હે રાજન,તે પછી,વૃષ્ટિવાળા મેઘની જેમ હજારો બાણોને છોડતા દુઃશાસને સાત્યકિ સામે ધસારો કર્યો ને અનેક દેશોના રથસમુદાય વડે તેને ચારે બાજુથી ઘેરી લઈને અનેક બાણોથી તેને વીંધી નાખ્યો.સામે સાત્યકિએ જરા પણ ગભરાયા વિના,ગર્જના કરીને ભયકંર બાણવર્ષા કરીને તે સર્વ સૈન્યને છાઈ દીધું.બાણોથી ઢંકાઈ ગયેલ તે સૈન્યના યોદ્ધાઓ નાસભાગ કરવા લાગ્યા ત્યારે એકલો દુઃશાસન નિર્ભય થઈને સાત્યકિ સામે ઉભો રહ્યો ને બાણો મૂકીને તેને પીડવા લાગ્યો.
Apr 28, 2026
ભાગવત રહસ્ય-૧૩૬---સ્કંધ-૫-Bhgavat Rahasya-136-Skandh-5
સ્કંધ-૧ ને અધિકારલીલા,૨ ને જ્ઞાનલીલા,૩ ને સર્ગ લીલા,૪ ને વિસર્ગલીલા અને સ્કંધ ૫ ને
પાંચમો સ્કંધ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે.વ્યાખ્યા રૂપે છે.બીજા સ્કંધમાં ગુરુ એ જ્ઞાન આપ્યું. તે જ્ઞાન જીવનમાં કેમ ઉતારવું-તે ત્રીજાને ચોથા સ્કંધમાં સર્ગ-વિસર્ગ લીલામાં બતાવ્યું.હવે પ્રશ્ન એ છે કે-જ્ઞાનને સ્થિર કેવી રીતે કરવું ?
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1118
અધ્યાય-૧૨૨-દ્રોણાચાર્યનું પરાક્રમ
II संजय उवाच II दुःशासनरथं द्रष्ट्वा समीपे पर्यवस्थितम् I भारद्वाजस्ततो वाक्यं दुःशासनमथाब्रवीत् II १ II
સંજય બોલ્યો-તે પછી,દ્રોણાચાર્ય દુઃશાસનના રથને પોતાની પાસે ઉભેલો જોઈને તેને કહેવા લાગ્યા કે-'અરે ઓ દુઃશાસન,આ બધા રથો આમ નાસભાગ કેમ કરે છે?દુર્યોધન તો ક્ષેમકુશળ છે ને?સિંધુરાજ હજી જીવે છે ને?વળી,તું રાજપુત્ર,રાજભ્રાતા ને મહારથી છે છતાં આ યુદ્ધમાં કેમ નાસભાગ કરે છે? પૂર્વે તેં પાંચાલીને કહ્યું હતું કે-'તને અમે જુગારમાં જીતી લીધી છે માટે તું અમારી દાસી થઇ છે.તું દુર્યોધનના વસ્ત્રો પહેરનારી થા કારણકે હવે તારા પતિઓ બધા નપુંસક સરખા જ છે' આવ્યા કહ્યા પછી,તું અત્યારે કેમ પલાયન કરે છે? તેં પોતે જ પ્રથમ પાંડવો ને પાંચાલો સામે મહાન વેર બાંધ્યું છે તો હવે સાત્યકિ સામે આવ્યો છે તો કેમ ભયભીત થઈ ગયો છે?
Apr 27, 2026
ભાગવત રહસ્ય-૧૩૫-Bhgavat Rahasya-135
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1117
અધ્યાય-૧૨૧-સૈન્યની મધ્યમાં સાત્યકિ
II धृतराष्ट्र उवाच II संप्रमृद्य महत्सैन्यं यातं शैनेयमर्जुनम् I निर्हिका मम ते पुत्राः किमकुर्वत संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યો-'હે સંજય,મહાસૈન્યનો સંહાર કરીને અર્જુન પાસે જતા એ શિનિકુમાર સાત્યકિ સામે મારા બેશરમ પુત્રોએ પછી શું કર્યું હતું?એમનું કઈ રીતે ધૈર્ય રહ્યું હતું?તે સૈન્યમાં પરાજય પામીને ઉભેલા ક્ષત્રિયોએ શું કર્યું હતું?મારા પુત્રો જીવતા હતા,તે છતાં સાત્યકિ કેવી રીતે યુદ્ધમાં આગળ ચાલી ગયો? તે એકલો સાત્યકિ,અનેક મહારથીઓ સામે લડ્યો તે અતિ આશ્ચર્યકારક વાત હું તારી પાસેથી સાંભળું છું.મારા મંદભાગી પુત્રનું તો હવે અવળું જ થવા બેઠું છે,એમ હું માનું છું.





