Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 30, 2026
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1120
અધ્યાય-૧૨૪-તુમુલ યુદ્ધ
II धृतराष्ट्र उवाच II किं तस्या मम सेनायां नासन् केचिन्म्हरथाः I ये तथा सात्यकिं यांतं नैवाघ्नन्नाप्यवारयन II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-શું મારી સેનામાં તેવા કોઈ મહારથી ન હતા કે તેઓ આમ નિર્ભય થઈને ચાલ્યા જતા સાત્યકિને મારી શક્યા નહિ? હે સંજય,તું મને કહે છે તે પ્રમાણે યાદવવીર સાત્યકિએ રણમાં જે પરાક્રમ કર્યું હતું તે કરવાને ઇન્દ્ર પણ ઉત્સાહ કરી ન શકે.ખરેખર યાદવો ને અંધકોના વીર સાત્યકિનું પરાક્રમ અચિંત્ય ને માનવામાં ન આવે તેવું છે.તારા કહેવા પ્રમાણે હવે મને લાગે છે કે મારા પુત્રો આ જગતમાં નથી જ કારણકે તે એકલા સાત્યકિએ જ મારી ઘણી સેનાનો સંહાર કરી નાખ્યો છે.એટલા બધા યોદ્ધાઓ હતા તે છતાં,સાત્યકિ તેમની વચ્ચેથી કેવી રીતે પસાર થઇ ગયો હતો તે તું મને કહે.
Apr 29, 2026
ભાગવત રહસ્ય-૧૩૭-Bhgavat Rahasya-137
![]() |
| Photo by -Anil Shukla |
શુકદેવજી કહે છે-ગૃહસ્થને ઘરમાં વિષમતા કરવી પડે છે.શત્રુ,મિત્ર,ચોર,શેઠ –સર્વમાં સમભાવ રાખવો અઘરો હોય છે.ગૃહસ્થ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. (ભક્તિમાં –સર્વમાં સમભાવ રાખવાની શર્ત –પહેલી છે)
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1119
અધ્યાય-૧૨૩-દુઃશાસનનો પરાજય
II संजय उवाच II ततो दुःशासनो राजन शैनेयं समुपाद्रवत I किरन शरसहस्त्राणि पर्जन्य इव वृष्टिमान II १ II
સંજય બોલ્યો-હે રાજન,તે પછી,વૃષ્ટિવાળા મેઘની જેમ હજારો બાણોને છોડતા દુઃશાસને સાત્યકિ સામે ધસારો કર્યો ને અનેક દેશોના રથસમુદાય વડે તેને ચારે બાજુથી ઘેરી લઈને અનેક બાણોથી તેને વીંધી નાખ્યો.સામે સાત્યકિએ જરા પણ ગભરાયા વિના,ગર્જના કરીને ભયકંર બાણવર્ષા કરીને તે સર્વ સૈન્યને છાઈ દીધું.બાણોથી ઢંકાઈ ગયેલ તે સૈન્યના યોદ્ધાઓ નાસભાગ કરવા લાગ્યા ત્યારે એકલો દુઃશાસન નિર્ભય થઈને સાત્યકિ સામે ઉભો રહ્યો ને બાણો મૂકીને તેને પીડવા લાગ્યો.
Apr 28, 2026
ભાગવત રહસ્ય-૧૩૬---સ્કંધ-૫-Bhgavat Rahasya-136-Skandh-5
સ્કંધ-૧ ને અધિકારલીલા,૨ ને જ્ઞાનલીલા,૩ ને સર્ગ લીલા,૪ ને વિસર્ગલીલા અને સ્કંધ ૫ ને
પાંચમો સ્કંધ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે.વ્યાખ્યા રૂપે છે.બીજા સ્કંધમાં ગુરુ એ જ્ઞાન આપ્યું. તે જ્ઞાન જીવનમાં કેમ ઉતારવું-તે ત્રીજાને ચોથા સ્કંધમાં સર્ગ-વિસર્ગ લીલામાં બતાવ્યું.હવે પ્રશ્ન એ છે કે-જ્ઞાનને સ્થિર કેવી રીતે કરવું ?
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1118
અધ્યાય-૧૨૨-દ્રોણાચાર્યનું પરાક્રમ
II संजय उवाच II दुःशासनरथं द्रष्ट्वा समीपे पर्यवस्थितम् I भारद्वाजस्ततो वाक्यं दुःशासनमथाब्रवीत् II १ II
સંજય બોલ્યો-તે પછી,દ્રોણાચાર્ય દુઃશાસનના રથને પોતાની પાસે ઉભેલો જોઈને તેને કહેવા લાગ્યા કે-'અરે ઓ દુઃશાસન,આ બધા રથો આમ નાસભાગ કેમ કરે છે?દુર્યોધન તો ક્ષેમકુશળ છે ને?સિંધુરાજ હજી જીવે છે ને?વળી,તું રાજપુત્ર,રાજભ્રાતા ને મહારથી છે છતાં આ યુદ્ધમાં કેમ નાસભાગ કરે છે? પૂર્વે તેં પાંચાલીને કહ્યું હતું કે-'તને અમે જુગારમાં જીતી લીધી છે માટે તું અમારી દાસી થઇ છે.તું દુર્યોધનના વસ્ત્રો પહેરનારી થા કારણકે હવે તારા પતિઓ બધા નપુંસક સરખા જ છે' આવ્યા કહ્યા પછી,તું અત્યારે કેમ પલાયન કરે છે? તેં પોતે જ પ્રથમ પાંડવો ને પાંચાલો સામે મહાન વેર બાંધ્યું છે તો હવે સાત્યકિ સામે આવ્યો છે તો કેમ ભયભીત થઈ ગયો છે?





