May 13, 2026

ભાગવત રહસ્ય-૧૪૭-Bhgavat Rahasya-147

જે વસ્તુ ના દેખાય-- તેનું નામ પકડી રાખો- તો નામમાંથી સ્વ-રૂપ પ્રગટ થશે. સ્વ-રૂપ,નામને આધીન છે.ભગવાનના નામનું કિર્તન કરો-તેમના નામનો આશ્રય કરો--એટલે ભગવાને પ્રગટ થવું જ પડે છે.સીતાજી અશોકવનમાં ધ્યાન સાથે નામસ્મરણ એવી રીતે કરે છે-કે-ઝાડના પાંદડે-પાંદડામાંથી રામનો ધ્વનિ નીકળે છે.કલિકાલમાં અનેકોના ઉદ્ધાર પરમાત્માનું –નામ-કરે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1129

 

અધ્યાય-૧૩૩-ભીમ અને કર્ણનું યુદ્ધ (ચાલુ)


II धृतराष्ट्र उवाच II अत्यद्भुत्महं मन्ये भीमसेनस्य विक्रमम् I यत्कर्ण योधयामास समरे लघुविक्रमम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'ભીમસેનના પરાક્રમને હું અદભુત માનું છું કારણકે તેણે યુદ્ધમાં શીઘ્ર પરાક્રમી કર્ણની સામે અતિ મહાન યુદ્ધ કર્યું હતું.અરે,દેવો,યક્ષો,અસુરો અને મનુષ્યોને પણ રણમાં અટકાવી રાખે તેવો કર્ણ,ભીમસેનને તે સંગ્રામમાં કેવી રીતે તરી ગયો નહિ?તે બંનેના પ્રાણદ્યુતમાં કેવી રીતનું યુદ્ધ થયું હતું? હું માનું છું કે આ યુદ્ધમાં જ જય ને પરાજયનો મુખ્ય આધાર રહેલો છે.મારો પુત્ર દુર્યોધન,કર્ણને લઈને જ આ યુદ્ધમાં જીતવાનો ઉત્સાહ ધરાવે છે,પણ આ કર્ણને વારંવાર પરાજય પામેલો જોઈને મને મૂંઝવણ થાય છે.અરેરે,દુર્યોધનની દુષ્ટ નીતિને પરિણામે જ  કૌરવોનો વિનાશ થઇ રહ્યો છે એમ હું માનું છું.

May 12, 2026

ભાગવત રહસ્ય-૧૪૬-સ્કંધ-૬-Bhgavat Rahasya-146-Skandhh-6

નરકો ના વર્ણન સાંભળી પરીક્ષિત રાજા પૂછે છે-મહારાજ,આવા નરકોમાં ના જવું પડે તેવો કોઈ ઉપાય બતાવો. આપે પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મની કથા સંભળાવી. પણ આ નરકલોક નાં વર્ણન ભયજનક છે. ત્યાં જવાનો પ્રસંગ જ ન આવે તે માટે શું કરવું જોઈએ ? શુકદેવજી વર્ણન કરે છે-રાજન, પાપ કરવાથી મનુષ્ય નરક માં પડે છે. પાપ કરવું એ સાધારણ ગુનો છે—પરંતુ કરેલું પાપ કબૂલ ન કરે તે મોટો ગૂનો છે.કદાચ ભૂલથી પણ પાપ થઇ જાય તો તેનું પ્રાયશ્ચિત કરવું.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1128

 

અધ્યાય-૧૩૨-ભીમ અને કર્ણનું યુદ્ધ 

II धृतराष्ट्र उवाच II स्वयं शिष्यो महेशस्य भुगुत्तमधनुर्धरः I शिष्यत्वं प्राप्तवान कर्णस्तस्य तुल्योस्त्र विद्यया II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-મહેશ્વરના શિષ્ય અને ભૃગુઓના ઉત્તમ ધનુર્ધર એવા પરશુરામનો,કર્ણ શિષ્ય છે અને અસ્ત્રવિદ્યામાં લગભગ તેમના સરખો જ છે.છતાં ભીમસેને તેને લીલામાત્રમાં કેમ જીતી લીધો? જે કર્ણ પર મારા પુત્રોની મહાન વિજયાશા અવલંબી રહી છે તે કર્ણને ભીમથી પરાજય પામેલો જોઈને દુર્યોધન શું બોલ્યો હતો?કર્ણે પછી શું કર્યું હતું? તે તું મને કહે.

May 11, 2026

ભાગવત રહસ્ય-૧૪૫-Bhgavat Rahasya-145

જડભરતજીએ –રાજા રહૂગણને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો.અને પછી ભવાટવીનું વર્ણન કર્યું.જ્ઞાન અને ભક્તિને દૃઢ કરવા વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્યનો ઉપદેશ આપવા ભવાટવીનું વર્ણન કર્યું છે.એક એક ઈન્દ્રીય આત્માનું વિવેકરૂપી ધન લુટે છે, છ ગઠિયાઓ સમજાવે છે-કે સંસાર બહુ મીઠો છે.ભવાટવીના રસ્તે તેને હંસોનું ટોળું મળે છે.(હંસોનું ટોળું એ પરમહંસોનું ટોળું છે) પણ હંસોના ટોળામાં તેને ગમતું નથી. હંસોના ટોળાને છોડી તે વાનરના ટોળા માં આવે છે. તે ટોળામાં તેને ગમે છે.વાનરો જેવું સ્વેચ્છાચારી જીવન તેને ગમે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1127

 

અધ્યાય-૧૩૧-કર્ણનો પરાજય 


 II संजय उवाच II वर्तमाने महाराज संग्रामे लोमहर्षणे I व्यकुलेषु च सर्वेषु पीड्यमानेषु सर्वशः II १ II

સંજય બોલ્યો-આમ,હે મહારાજ,રુંવાં ઊભાં કરી નાખે તેવો તે સંગ્રામ ચાલી રહ્યો હતો અને સર્વ યોદ્ધાઓ 

ચારે બાજુથી આકુળવ્યાકુળ થઈને પીડાતા હતા,ત્યારે,જેમ એક મદોન્મત્ત હાથી બીજા મદોન્મત્ત હાથી 

તરફ ધસી જાય તેમ,રાધાપુત્ર કર્ણ ભીમસેન તરફ યુદ્ધ કરવા ધસી ગયો.