May 14, 2026

ભાગવત રહસ્ય-૧૪૮-Bhgavat Rahasya-148

હરે કૃષ્ણ હરે કૃષ્ણ 
નામ-જપનો મહિમા અનેરો છે.જપ કરવાથી જન્મકુંડળીના ગ્રહો પણ બદલાઈ જાય છે.નામ-જપ તો જનાબાઈએ કર્યા- એવા કરવા જોઈએ. કથા એવી છે-કે-જનાબાઈ છાણા થાપે અને તે કોઈ ચોરી જાય. એટલે જનાબાઈએ નામદેવ ને ફરિયાદ કરી.
નામદેવ કહે-છાણા તો સહુના સરખાં હોય.તારાં છાણા ઓળખાય કેવી રીતે ? ચોર પકડાય કેમ? જનાબાઈએ કહ્યું- મારાં છાણા ઓળખી શકાશે.
મારું છાણું કાન આગળ ધરશો-તો વિઠ્ઠલ-વિઠ્ઠલ –એવો ધ્વનિ સંભળાશે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1130

 

અધ્યાય-૧૩૪-કર્ણનું રણમાંથી પલાયન થવું 


 II संजय उवाच II सर्वथा विरथः कर्णः पुनर्भिमेन निर्जितः I रथमन्यं समास्थाय पुनर्विव्याध पांडवम् II १ II

સંજય બોલ્યો-હવે સર્વથા રથરહિત થયેલો અને ભીમસેનથી પરાજય પામેલો કર્ણ બીજા રથમાં બેસીને પુનઃ યુદ્ધ કરવા આવ્યો અને બાણો વડે ભીમસેનને વીંધવા લાગ્યો.જેમ,બે મોટા હાથીઓ સામસામા આવીને દંતશૂળોથી એકબીજા પર પ્રહાર કરે તેમ,તે બંને જણા કાન સુધી ખેંચેલા ધનુષ્યોમાંથી છુટેલાં બાણો વડે અન્યોન્ય પર પ્રહાર કરવા લાગ્યા.ને એકબીજાને વીંધી નાખવા લાગ્યા.જયારે કર્ણે,આખા શરીરને ચીરી નાખે તેવું બાણ ભીમસેન સામે છોડ્યું કે જેણે ભીમને અત્યંત વીંધી નાખ્યો ત્યારે  ક્રોધથી લાલ થયેલા ભીમસેને છ આરાઓવાળી એક ભારે ગદા વિચાર કર્યા વિના કર્ણના તરફ ફેંકી કે જે ગદાએ કર્ણના ઘોડાઓને મારી નાખ્યા.પછી બાણો મૂકીને તેણે તેના સારથિને પણ મારી નાખ્યો.

May 13, 2026

ભાગવત રહસ્ય-૧૪૭-Bhgavat Rahasya-147

જે વસ્તુ ના દેખાય-- તેનું નામ પકડી રાખો- તો નામમાંથી સ્વ-રૂપ પ્રગટ થશે. સ્વ-રૂપ,નામને આધીન છે.ભગવાનના નામનું કિર્તન કરો-તેમના નામનો આશ્રય કરો--એટલે ભગવાને પ્રગટ થવું જ પડે છે.સીતાજી અશોકવનમાં ધ્યાન સાથે નામસ્મરણ એવી રીતે કરે છે-કે-ઝાડના પાંદડે-પાંદડામાંથી રામનો ધ્વનિ નીકળે છે.કલિકાલમાં અનેકોના ઉદ્ધાર પરમાત્માનું –નામ-કરે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1129

 

અધ્યાય-૧૩૩-ભીમ અને કર્ણનું યુદ્ધ (ચાલુ)


II धृतराष्ट्र उवाच II अत्यद्भुत्महं मन्ये भीमसेनस्य विक्रमम् I यत्कर्ण योधयामास समरे लघुविक्रमम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'ભીમસેનના પરાક્રમને હું અદભુત માનું છું કારણકે તેણે યુદ્ધમાં શીઘ્ર પરાક્રમી કર્ણની સામે અતિ મહાન યુદ્ધ કર્યું હતું.અરે,દેવો,યક્ષો,અસુરો અને મનુષ્યોને પણ રણમાં અટકાવી રાખે તેવો કર્ણ,ભીમસેનને તે સંગ્રામમાં કેવી રીતે તરી ગયો નહિ?તે બંનેના પ્રાણદ્યુતમાં કેવી રીતનું યુદ્ધ થયું હતું? હું માનું છું કે આ યુદ્ધમાં જ જય ને પરાજયનો મુખ્ય આધાર રહેલો છે.મારો પુત્ર દુર્યોધન,કર્ણને લઈને જ આ યુદ્ધમાં જીતવાનો ઉત્સાહ ધરાવે છે,પણ આ કર્ણને વારંવાર પરાજય પામેલો જોઈને મને મૂંઝવણ થાય છે.અરેરે,દુર્યોધનની દુષ્ટ નીતિને પરિણામે જ  કૌરવોનો વિનાશ થઇ રહ્યો છે એમ હું માનું છું.

May 12, 2026

ભાગવત રહસ્ય-૧૪૬-સ્કંધ-૬-Bhgavat Rahasya-146-Skandhh-6

નરકો ના વર્ણન સાંભળી પરીક્ષિત રાજા પૂછે છે-મહારાજ,આવા નરકોમાં ના જવું પડે તેવો કોઈ ઉપાય બતાવો. આપે પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મની કથા સંભળાવી. પણ આ નરકલોક નાં વર્ણન ભયજનક છે. ત્યાં જવાનો પ્રસંગ જ ન આવે તે માટે શું કરવું જોઈએ ? શુકદેવજી વર્ણન કરે છે-રાજન, પાપ કરવાથી મનુષ્ય નરક માં પડે છે. પાપ કરવું એ સાધારણ ગુનો છે—પરંતુ કરેલું પાપ કબૂલ ન કરે તે મોટો ગૂનો છે.કદાચ ભૂલથી પણ પાપ થઇ જાય તો તેનું પ્રાયશ્ચિત કરવું.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1128

 

અધ્યાય-૧૩૨-ભીમ અને કર્ણનું યુદ્ધ 

II धृतराष्ट्र उवाच II स्वयं शिष्यो महेशस्य भुगुत्तमधनुर्धरः I शिष्यत्वं प्राप्तवान कर्णस्तस्य तुल्योस्त्र विद्यया II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-મહેશ્વરના શિષ્ય અને ભૃગુઓના ઉત્તમ ધનુર્ધર એવા પરશુરામનો,કર્ણ શિષ્ય છે અને અસ્ત્રવિદ્યામાં લગભગ તેમના સરખો જ છે.છતાં ભીમસેને તેને લીલામાત્રમાં કેમ જીતી લીધો? જે કર્ણ પર મારા પુત્રોની મહાન વિજયાશા અવલંબી રહી છે તે કર્ણને ભીમથી પરાજય પામેલો જોઈને દુર્યોધન શું બોલ્યો હતો?કર્ણે પછી શું કર્યું હતું? તે તું મને કહે.