May 16, 2026

ભાગવત રહસ્ય-૧૫૦-Bhgavat Rahasya-150

મહાત્માઓ આ વાત જાણે છે-કે-સંકેતથી,પરિહાસથી (મશ્કરીમાં),તાનનો આલાપ લેવામાં અથવા કોઈની અવહેલના કરવામાં-પણ-જો કોઈ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે-તો તેનાં પાપ નષ્ટ થાય છે.જો મનુષ્ય લપસે અને પડે ત્યારે,અંગભંગ થાય ત્યારે (મૃત્યુ વેળાએ),સાપ ડંસે ત્યારે,ચોટ લાગે ત્યારે,તાવ-દાહ થાય ત્યારે-વગેરે સમયે વિવશતાથી “હરિ-હરિ” નામનું ઉચ્ચારણ કરે-છે-તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી. (ભા.૬-૨-૧૪,૧૫)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1132

 

અધ્યાય-૧૩૬-ભીમસેનનું યુદ્ધ


 II संजय उवाच II तवात्मजांस्तु पतितान् द्रष्ट्वा कर्णः प्रतापवान् I क्रोधेन महताविष्टो निर्विण्णो भुत्सजीवितान  II १ II

સંજય બોલ્યો-તમારા પુત્રોને એ રીતે રણમાં પડેલા જોઈને કર્ણ મહાન ક્રોધાવેશમાં આવી ગયો અને પોતાના જીવિતથી લગભગ બેપરવા થઇ ગયો.તે સમયે કર્ણ પોતાના આત્માને એક અપરાધી તરીકે માનવા લાગ્યો હતો,કેમકે પોતાની સમક્ષ જ ભીમસેને તમારા પુત્રોને રણમાં રોળી નાખ્યા હતા.સામે પણ ક્રોધાયમાન થયેલા ભીમસેને,કર્ણ સાથેના પોતાના પૂર્વના વેરને યાદ કરીને કર્ણ પર તીક્ષ્ણ બાણો છોડવા માંડ્યા.કર્ણે સામે ભીમસેનને પ્રથમ પાંચ બાણો વડે વીંધી નાખ્યો,ને પુનઃ સિત્તેર બાણોનો પ્રહાર કર્યો.પણ ભીમસેને તે બાણોને ગણકાર્યા નહિ,ને સો બાણો મૂકીને તે કર્ણને માર માર્યો.

May 15, 2026

ભાગવત રહસ્ય-૧૪૯-Bhgavat Rahasya-149

અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં રહેતો હતો.
અજા=માયા, માયામાં ફસાયેલો જીવ તે અજામિલ.અજામિલ અનેક પ્રકારનાં પાપો કરી ગુજરાન ચલાવે છે.આ જ અજામિલ ૨૦ વર્ષનો હતો ત્યાં સુધી તો સંધ્યા ગાયત્રી કરતો,મંત્રવેતા,પવિત્ર અને સદાચારી હતો.પણ -એક વાર તે જંગલમાં દુર્વા-તુલસી લેવા ગયો હતો.ત્યારે રસ્તામાં એક શૂદ્રને વેશ્યા સાથે કામક્રીડા કરતો જોયો.વેશ્યાનું રૂપ અને દૃશ્ય જોઈને અજામિલ કામવશ થયો-કામાંધ થયો. વેશ્યાને જોવાથી-તેનું મન બગડ્યું.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1131

 

અધ્યાય-૧૩૫-ધૃતરાષ્ટ્રના બળાપા 


II धृतराष्ट्र उवाच II एवमेव परं मन्ये धिक् पौरुषमनर्थकम् I यत्राधिरथिरायत्तो नातरत पांडवं रणे II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-મારે દૈવને જ સર્વોત્કૃષ્ટ માનવું પડે છે.પુરુષાર્થ તો નિષ્ફળ છે અને ધિક્કારવા યોગ્ય છે કારણકે રણમાં બરાબર સાવધ રહેલો વીર કર્ણ પણ ભીમને તરી શક્યો નહિ.મેં દુર્યોધનને વારંવાર બોલતો સાંભળ્યો છે કે-આ સંગ્રામમાં કર્ણ,પાંડવોને જીતવાનો ઉત્સાહ ધરાવે છે,ને તે કર્ણ સમાન બીજો કોઈ યોદ્ધો હું જોતો નથી.આ યુદ્ધમાં વસુષેણ (કર્ણ)ની મને સહાય છે તેથી દેવો પણ મને જીતવા સમર્થ નથી' પણ,આવા કર્ણને ઝેર વિનાના સર્પની જેમ પરાજય પામેલો તથા યુદ્ધમાંથી પલાયન કરી ગયેલો જોવા છતાં તે દુર્યોધને યુદ્ધમાં અકુશળ એવા દુર્મુખને,આ યુદ્ધમાં હોમી દીધો છે.

May 14, 2026

ભાગવત રહસ્ય-૧૪૮-Bhgavat Rahasya-148

હરે કૃષ્ણ હરે કૃષ્ણ 
નામ-જપનો મહિમા અનેરો છે.જપ કરવાથી જન્મકુંડળીના ગ્રહો પણ બદલાઈ જાય છે.નામ-જપ તો જનાબાઈએ કર્યા- એવા કરવા જોઈએ. કથા એવી છે-કે-જનાબાઈ છાણા થાપે અને તે કોઈ ચોરી જાય. એટલે જનાબાઈએ નામદેવ ને ફરિયાદ કરી.
નામદેવ કહે-છાણા તો સહુના સરખાં હોય.તારાં છાણા ઓળખાય કેવી રીતે ? ચોર પકડાય કેમ? જનાબાઈએ કહ્યું- મારાં છાણા ઓળખી શકાશે.
મારું છાણું કાન આગળ ધરશો-તો વિઠ્ઠલ-વિઠ્ઠલ –એવો ધ્વનિ સંભળાશે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1130

 

અધ્યાય-૧૩૪-કર્ણનું રણમાંથી પલાયન થવું 


 II संजय उवाच II सर्वथा विरथः कर्णः पुनर्भिमेन निर्जितः I रथमन्यं समास्थाय पुनर्विव्याध पांडवम् II १ II

સંજય બોલ્યો-હવે સર્વથા રથરહિત થયેલો અને ભીમસેનથી પરાજય પામેલો કર્ણ બીજા રથમાં બેસીને પુનઃ યુદ્ધ કરવા આવ્યો અને બાણો વડે ભીમસેનને વીંધવા લાગ્યો.જેમ,બે મોટા હાથીઓ સામસામા આવીને દંતશૂળોથી એકબીજા પર પ્રહાર કરે તેમ,તે બંને જણા કાન સુધી ખેંચેલા ધનુષ્યોમાંથી છુટેલાં બાણો વડે અન્યોન્ય પર પ્રહાર કરવા લાગ્યા.ને એકબીજાને વીંધી નાખવા લાગ્યા.જયારે કર્ણે,આખા શરીરને ચીરી નાખે તેવું બાણ ભીમસેન સામે છોડ્યું કે જેણે ભીમને અત્યંત વીંધી નાખ્યો ત્યારે  ક્રોધથી લાલ થયેલા ભીમસેને છ આરાઓવાળી એક ભારે ગદા વિચાર કર્યા વિના કર્ણના તરફ ફેંકી કે જે ગદાએ કર્ણના ઘોડાઓને મારી નાખ્યા.પછી બાણો મૂકીને તેણે તેના સારથિને પણ મારી નાખ્યો.