સંસારમાં રાણીનું સુખ શ્રેષ્ઠ માન્યું છે,પણ શબરીને તે સુખ તુચ્છ લાગે છે.
વિચારે છે- કે –“મને મહારાણી બનાવી તે ખોટું થયું છે,મારું જીવન બગડે છે,હું કોઈ
II धृतराष्ट्र उवाच II यथा संशप्तकैः सार्धमर्जुनस्याभवद्रणः I अन्येयां च महीपानां पांडवैस्तद ब्रवीहि मे II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,સંશપ્તક યોદ્ધાઓની સાથે અર્જુનનો જે પ્રમાણે સંગ્રામ થયો હોય અને આપણા યોદ્ધાઓનો,પાંડવ યોદ્ધાઓ સાથે જે રીતે સંગ્રામ થયો હોય તે મને કહે,વળી અશ્વત્થામા ને અર્જુનના યુદ્ધ વિષે પણ મને કહે
II संजय उवाच II भीमसेनं ततो द्रौणि राजन विव्याध पत्रिणा I परया त्वरया युक्तो दर्शयन्नखलाधवम II १ II
સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,પછી,દ્રોણપુત્ર અશ્વત્થામાએ ઘણી ઉતાવળ કરીને ભીમસેનને એક બાણ વડે વીંધી નાખી પોતાની અસ્ત્રકુશળતા દર્શાવવા માંડી.વળી,મર્મને જાણનારા તે અશ્વત્થામાએ ઝપાટાબંધ નેવું તીક્ષ્ણ બાણો મૂકીને ભીમસેનના સર્વ મર્મસ્થાનોમાં પ્રહાર કર્યો ને ઉપરાઉપરી બાણો મૂકીને ભીમસેનને રથમાં જ ઢાંકી દીધો.સામે ભીમસેને એક હજાર બાણો મૂકીને અશ્વત્થામાને છાઈ દઈને મોટો સિંહનાદ કર્યો.પરંતુ અશ્વત્થામાએ તે બાણોને અટકાવી મંદ હાસ્ય કરીને ભીમસેનના લલાટમાં એક નારાચ બાણનો પ્રહાર કર્યો.
II संजय उवाच II श्रुतकर्मा ततो राजश्चित्रसेनं महीपतिम I आजघ्ने समरे कृद्वः पंचाशदभि: शिलीमुखैः II १ II
સંજય બોલ્યો-હે રાજન,પછી ક્રોધાયમાન થયેલા શ્રુતકર્માએ એ રણમાં ચિત્રસેનને પચાસ બાણોનો પ્રહાર કર્યો ત્યારે અભિસાર દેશના રાજા ચિત્રસેને પણ સામેથી શ્રુતકર્માને નવ બાણોનો માર મારી તેના સારથિને વીંધી નાખ્યો.ક્રોધિત થયેલા શ્રુતકર્માએ ચિત્રસેનના મર્મસ્થાનમાં નારાચ બાણોથી પ્રહાર કર્યો ત્યારે તે મૂર્છામાં પડી ગયો.થોડીવારે ભાનમાં આવીને ચિત્રસેને એક ભલ્લ બાણથી શ્રુતકર્માના ધનુષ્યને કાપી તેને બાણોથી વીંધ્યો.