અધ્યાય-૧૭૮-પરશુરામ ને ભીષ્મ યુદ્ધ કરવા કુરુક્ષેત્રમાં ગયા
II भीष्म उवाच II एवमुक्तस्तदा रामो जहि भीष्ममिति प्रभो I उवाच रुदतीं कन्यां चोदयंति पुनः पुनः II १ II
ભીષ્મે કહ્યું-હે રાજા,કન્યાએ એ પ્રમાણે કહ્યું અને તે 'ભીષ્મને મારો' એમ વારંવાર પરશુરામને પ્રેરણા કરીને રડવા લાગી ત્યારે રામે તેને કહ્યું કે-હે કાશીરાજની પુત્રી,હું બ્રહ્મવેત્તા બ્રાહ્મણોના કાર્ય વિના ને બ્રાહ્મણોની આજ્ઞા વિના,પોતાની ઈચ્છાથી શસ્ત્રો ગ્રહણ કરતો નથી.પણ,તે ભીષ્મ જરૂર મારી વાણીને અધીન થશે,ને હું તારું કામ કરી આપીશ.તે ભીષ્મ,મસ્તક વડે વંદન કરવા યોગ્ય છે છતાં મારી વાણીથી તારા બંને ચરણોમાં વંદન કરશે.