અધ્યાય-૬૬-વિશ્વોપાખ્યાન(ચાલુ)
॥ भीष्म उवाच ॥ ततः स भगवान देवो लोकानामीश्वरेश्वर: I ब्रह्माणं प्रत्युवाचेदं स्निग्धगम्भीरया गिरा ॥१॥
ભીષ્મએ કહ્યું-હે દુર્યોધન,ત્યાર પછી,લોકોના ઈશ્વરના પણ ઈશ્વરે તે ભગવાને સ્નિગ્ધ અને ગંભીર વાણીથી બ્રહ્માને કહ્યું-
'હે તાત,તારા મનનું ઈચ્છીત મેં યોગબળથી જાણી લીધું હતું.તે તારું વાંછિત પૂર્ણ થશે' આમ કહી ભગવાન ત્યાં જ અંતર્ધાન થયા.પછી,ત્યાં રહેલા દેવો અનેરૂષિઓ ઘણા આતુર થઈને બ્રહ્માને પૂછવા લાગ્યા કે-'આપે કોને વિનયપૂર્વક પ્રણામ કર્યા?ને વરિષ્ઠ વાણીથી કોની સ્તુતિ કરી?તે અમે સાંભળવા ઇચ્છીએ છીએ'ત્યારે પિતામહ બ્રહ્મા તે સર્વને કહેવા લાગ્યા કે-