Nov 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-991

 

યુધિષ્ઠિરે કહ્યું-હે મહાબાહુ શ્રીકૃષ્ણ,તમે કહો છો તેમ જ છે.તમારો વેગ ધારણ કરવાને ભીષ્મ સમર્થ નથી.પણ હું મારા પોતાના જ ગૌરવ માટે તમને મિથ્યાવાદી (વચન તોડનાર) કહેવડાવવા માગતો નથી.હે માધવ,યુદ્ધ કર્યા વિના માત્ર યોગ્ય સલાહ આપીને જ તમે અમને મદદ કરો.પિતામહે મને વચન આપ્યું છે કે-'હું તને યોગ્ય સલાહ આપીને સહાય કરીશ,પણ તારે માટે યુદ્ધ નહિ કરું.હું તને સત્ય કહું છું કે મારે દુર્યોધન માટે લડવું પડશે' હે માધવ,તેમનું વચન હોવાથી તે મને સારી સલાહ આપશે.તો આપણે બધા એકત્ર થઈને ભીષ્મ પાસે જઈએ અને એમનો પોતાનો વધ શી રીતે થાય? તે પ્રશ્ન તેમને જ પૂછીએ.એ પિતામહ આપણને હિતકારક વચન જ કહેશે.અને જે પ્રમાણે એ કહેશે તે પ્રમાણે જ હું સંગ્રામમાં અવશ્ય કરીશ.તે આપણને યોગ્ય સલાહ અને જય આપશે.હાય,જેમણે અમને ઉછેરીને મોટા કર્યા તે પિતામહને જ હું મારવા ઈચ્છું છું,મારા ક્ષત્રિય જીવતરને ધિક્કાર છે'

Nov 24, 2025

ભાગવત રહસ્ય-૭-Bhgavat Rahasya-7

ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે.માનસી પ્રભુ-સેવા શ્રેષ્ઠ છે.સાધુ-સંતો માનસી સેવામાં તન્મય બને છે.અને -એમ માનસી સેવામાં મન તન્મય થાય -તો જીવ કૃતાર્થ થાય.ભક્તિમાર્ગની આચાર્ય ગોપીઓ છે.તેનો આદર્શ નજર સમક્ષ રાખવો.
જેનાથી મનથી ભક્તિ થતી નથી,તેને તનથી પ્રભુ-સેવા કરવાની વિશેષ જરૂર છે.
જ્ઞાનમાર્ગથી,યોગમાર્ગથી-જે -ઈશ્વરના આનંદનો અનુભવ- થાય છે,તે- સહેજે ભક્તિથી પ્રાપ્ત થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-990

 

અધ્યાય-૧૦૭-નવમો દિવસ સમાપ્ત-ભીષ્મના વધોપાયનો તેમને જ પ્રશ્ન 


॥ संजय उवाच ॥ युध्यतामव तेषां तु भास्करेस्तमुपागते I संध्यासमभवद्वोरानापश्याम ततो रणम् ॥१॥

સંજયે કહ્યું-તેઓનું યુદ્ધ ચાલુ જ હતું અને સૂર્યાસ્ત થઇ ગયો,તેથી તે જોઈ શકાતું નહોતું.ભીષ્મના ત્રાસથી યુધિષ્ઠિરનું સૈન્ય વિહવળ થતું પાછું વળી નાસવા માંડ્યું હતું.એ જોઈને યુધિષ્ઠિરે પોતાના સૈન્યને પાછા વાળવાની રુચિ કરી.એટલે તમામ સૈન્યો પાછાં વળ્યાં.ઘાયલ થયેલા સર્વ મહારથીઓ છાવણીમાં જઈ વિશ્રાંતિ કરવા લાગ્યા.ભીષ્મ,આજના યુદ્ધમાં પાંડવો ને સૃન્જયોને જીતીને તમારા પુત્રોને અભિનંદન આપીને આનંદિત થયેલા કૌરવોની સાથે વિશ્રાંતિ કરવા લાગ્યા.ભીષ્મના અદભુત પરાક્રમને જોઈને પાંડવોના યોદ્ધાઓને શાંતિ વળતી નહોતી.એટલે પાંડવો,યાદવો આદિ ભેગા મળીને વિચાર કરવા લાગ્યા.

Nov 22, 2025

ભાગવત રહસ્ય-૬-Bhgavat Rahasya-6

ભાગવતમાં એક નવીન માર્ગદર્શન આપ્યું છે.”અમે ઘર-ધંધો છોડી શકતા નથી”કહેનારને ભાગવત શાસ્ત્ર કહે છે કે-નિરાશ થશો નહિ,સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી, જંગલમાં જવાથી જ આનંદ મળે છે,તેવું નથી.જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે ત્યારે પ્રવૃત્તિના જ વિચાર આવે છે.
તમે બધું ત્યજી શકો તેમ ના હો તો વાંધો નહિ—પણ બધું ય ઠાકોરજીના ચરણ માં અર્પણ કરીને –એ બધું ભગવાનનું છે-એમ માનીને –ભગવદાર્પણવૃત્તિથી –વિવેકથી ભોગવો.તમારા ઘરમાં જે કઈ છે તે પણ પરમાત્માને અર્પણ કરો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-989

અધ્યાય-૧૦૬-નવમો દિવસ સમાપ્ત-અજિત ભીષ્મ 

॥ संजय उवाच ॥ ततः पिता तव कृद्वो निशितैः सायकोत्तमैः I आजधान रणे पार्थान्सहसेनान्समंततः ॥१॥

સંજયે કહ્યું-ત્યાર પછી અત્યંત ક્રોધાયમાન થયેલા તમારા પિતા ભીષ્મ,મોટા મોટા તીક્ષ્ણ બાણો વડે પાંડવોને ને તેમની સેનાને ચારે બાજુથી પ્રહાર કરવા માંડ્યા.અનેક બાણો મૂકી તેમણે ભીમ,સાત્યકિ,નકુલ,સહદેવ,યુધિષ્ઠિર અને ધૃષ્ટદ્યુમ્નને વીંધી નાખીને મોટેથી ગર્જના કરી મૂકી.ત્યારે તે સર્વેએ પણ સામે તે પિતામહને,અનેક બાણો મૂકીને વીંધ્યા.દ્રોણાચાર્યે જયારે ભીમ,સાત્યકિ પર બાણોથી પ્રહાર કર્યો ત્યારે તેમણે પણ દ્રોણ સામે પ્રહાર કરીને તેમને વીંધી નાખ્યા.

Nov 21, 2025

ભાગવત રહસ્ય-૫-Bhgavat Rahasya-5

જીવ નારાયણનો અંશ છે,તેમાં તેને મળી જવું છે.તે માટે શાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવ્યા છે. તેમાં ત્રણ મુખ્ય છે.—કર્મ માર્ગ,જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ .
પરમાત્માનાં દર્શનનું સાધન અનેક ગ્રંથોમાં આપ્યું છે.ઉપનિષદમાં પણ મનુષ્યને અપરોક્ષ સાક્ષાત્કાર કરવાનું માર્ગદર્શન આપ્યું છે.પણ વ્યાસજીએ વિચાર્યું કે ઉપનિષદની ભાષા ગૂઢ છે,સામાન્ય માણસ તે સમજી શકશે નહિ.