અધ્યાય-૧૨૨-અગીયારમો દિવસ-ભીષ્મ પાસે કર્ણની પ્રાર્થના
॥ संजय उवाच ॥ ततस्ते पार्थिवाः सर्वे जग्मुः स्वानालयान्पुन :I तूष्णीं भूते महाराज भीष्मे शांतनुनन्दने ॥१॥
સંજયે કહ્યું-એ પ્રમાણે શાંતનુપુત્ર ભીષ્મ જયારે શાંત થયા ત્યારે સર્વ રાજાઓ પોતપોતાના તંબુ તરફ ગયા.તે વખતે રાધાપુત્ર કર્ણ,થોડો ભયભીત થઈને ભીષ્મ પાસે ગયો.ભીષ્મને બાણશૈય્યામાં સુતેલા જોઈને તેના આંખમાં આંસુ ભરાઈ આવવાથી ગદગદ કંઠે તે ભીષ્મને સંબોધીને બોલ્યો કે-'હે કુરુશ્રેષ્ઠ,હંમેશાં તમારી નજર આગળ રહેનારો અને સર્વસ્થળે તમારા શત્રુ તરીકે રહેનારો હું રાધાપુત્ર કર્ણ,આપનાં દર્શને આવેલો છું' કર્ણનું વચન સાંભળીને ભીષ્મે પોતાની આંખો ઉઘાડીને આસપાસના ચોકીદારોને ખસી જવાનું કહ્યું ને પછી,એકાંતમાં એક હાથથી તેના હાથને હાથમાં લઈને સ્નેહપૂર્વક બોલ્યા-





