Jan 17, 2026

ભાગવત રહસ્ય-૩૮-Bhgavat Rahasya-38

ઋષિ મુનિઓએ એક વખત ભગવાનને પૂછ્યું-કે-અમને કોઈ સાત્વિક જગ્યા બતાવો. જે ભૂમિ અમને ભજનમાં સાથ આપે.પરમાત્માએ ઋષિ મુનિઓને એક ચક્ર આપ્યું. અને કહ્યું-આ ચક્ર જ્યાં સ્થિર થાય-ત્યાં તપ કરજો.ઋષિ મુનિઓ ચક્ર લઇ ચાલ્યા છે. ફરતાં-ફરતાં નૈમિષારણ્યની ભૂમિ પર આવ્યા છે. ત્યાં ચક્ર સ્થિર થયું.સુધી મુનિઓએ આ ભૂમિ પર તપ કર્યું છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1021

 

અધ્યાય-૧૫-શલ્યને રણમાંથી દૂર લઇ જવો 


 II धृतराष्ट्र उवाच II बहूनि सुविचित्राणि द्वन्द्वयुद्धामि संजय I त्वयोक्तानि निशम्याहं स्पृहयामि स्वचक्षुपाम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,તેં અનેક પ્રકારના અદભુત દ્વંદ્વયુદ્ધો મને કહ્યાં તે સાંભળીને,હું ચક્ષુવાળા મનુષ્યોના 

દૃષ્ટિસુખને ઈચ્છું છું.લોકમાં આશ્ચર્યરૂપ એવા આ કૌરવ-પાંડવના યુદ્ધને મનુષ્યો ગાયા જ કરશે.આ યુદ્ધને 

સાંભળતાં મને તૃપ્તિ થતી જ નથી માટે તું હવે શલ્ય અને અભિમન્યુના યુદ્ધ વિષે આગળ કહી સંભળાવ.

Jan 16, 2026

ભાગવત રહસ્ય-૩૭-Bhgavat Rahasya-37

ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિધ્ધીના બળે ૧૪૦૦ વર્ષ જીવ્યા હતા. મૃત્યુને ચૌદ વખત તેઓએ પાછું ઠેલ્યું હતું. તેઓ સિધ્ધિઓમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠા નો મોહ હતો.તેઓએ જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી. ચાંગદેવ જ્ઞાનેશ્વર –માટે મત્સર(ઈર્ષા) કરવા લાગ્યા.કે-આ બાળક શું મારાં કરતાં પણ વધ્યો ? જ્ઞાનેશ્વરની ઉંમર સોળ વર્ષની-તે વખતે - હતી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1020

 

અધ્યાય-૧૪-ઘોર યુદ્ધ-અભિમન્યુનું પરાક્રમ 


II संजय उवाच II ततः स पांडवानीके जनयन सुमहद् भयम् I वयचरत पृतनां द्रोणो दहन कक्षमिवानालः II १ II

સંજય બોલ્યો-પછી,પાંડવોના સૈન્યમાં મહાન ભય ઉત્પન્ન  કરી રહેલા એ દ્રોણાચાર્ય,ઘાસને બાળી નાખતા અગ્નિની જેમ સેનામાં ઘુમવા લાગ્યા.તેમને જોઈને સૃન્જય યોદ્ધાઓ કંપી ઉઠ્યા.ચાલાક હાથવાળા દ્રોણાચાર્યે છોડેલાં બાણો રથીઓ,ઘોડેસ્વારો,

હાથીઓ અને પાળાઓને વીંધી નાખતાં હતાં. તે દ્રોણાચાર્યે તે રણભૂમિ પર સેંકડો કલેવરોથી ભરેલી ભયંકર નદી વહાવી દીધી.

કાળો કેર વર્તાવતા એ દ્રોણાચાર્ય સામે યુધિષ્ઠિર વગેરેએ ચારે બાજુથી ધસારો કર્યો.પણ તેમને ધસી આવતા જોઈને તમારા પરાક્રમી પુત્રો તેમને ચારે બાજુથી રોકવા લાગ્યા.તે સમયનો દેખાવ રૂવાં ઉભા કરી નાખે તેવો હતો.

Jan 15, 2026

ભાગવત રહસ્ય-૩૬-Bhgavat Rahasya-36

નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે, ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ-આનું ઉદાહરણ છે.
ગોપીઓને મુક્તિની ઈચ્છા નહોતી. શ્રીકૃષ્ણનું સુખ એજ અમારું સુખ-એવો -પ્રેમનો આદર્શ હતો.શુદ્ધ પ્રેમમાં પ્રિયતમના સુખનો જ વિચાર કરવાનો-પોતાના સુખનો નહિ.
એક ગોપીએ ઉદ્ધવને સંદેશો આપ્યો છે કે-કૃષ્ણના વિયોગમાં અમારી દશા કેવી છે, તેનો –ઉદ્ધવજી –આપે અનુભવ કર્યો છે,મથુરા ગયા પછી,શ્રીકૃષ્ણને કહેજો –કે-

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1019

 

અધ્યાય-૧૩-અર્જુને યુધિષ્ઠિરને આપેલું આશ્વાસન 


II संजय उवाच II सांतरे तु प्रतिज्ञाते राज्ञो द्रोणेन निग्रहे I ततस्ते सैनिकाः श्रुत्वा तं युधिष्ठिरनिग्रहम् II १ II

સંજય બોલ્યો-આમ જયારે દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને પકડવાની છળભરી પ્રતિજ્ઞા કરી,તે સાંભળીને સર્વ સૈનિકો ચોતરફ સિંહનાદો કરવા લાગ્યા ને બાહુઓ ઠોકવા લાગ્યા.દ્રોણાચાર્યની એ પ્રતિજ્ઞાને ધર્મરાજે ગુપ્તચરો દ્વારા તુરત જ જાણી લીધી અને પોતાના સર્વ ભાઈઓ ને બીજાઓને એકઠા કરીને તેમણે અર્જુનને કહ્યું કે-'તમે એવી નીતિ રચો કે તેથી દ્રોણાચાર્યની એ ધારણા સફળ થાય નહિ.જો કે દ્રોણાચાર્યે છળવાળી પ્રતિજ્ઞા કરી છે.ને તે છળનો ભાર તેમણે તારા પર સ્થાપ્યો છે.માટે તું મારી પાછળ રહીને યુદ્ધ કરજે કે જેથી દુર્યોધન દ્રોણાચાર્ય દ્વારા પોતાની ઈચ્છાને સંપૂર્ણ કરી ન  શકે'