Feb 27, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1059

 

અધ્યાય-૫૩-મૃત્યુની કથા 


II स्थाणुरुवाच II प्रजासर्गनिमित्तं हि कृतो यत्रस्त्वया विभो I त्वया स्रुष्टाश्च व्रुधाश्व भुत्ग्रामाः पृथग्विधाः II १ II

રુદ્રદેવ બોલ્યા-'હે વિભુ,તમે પ્રજાઓ ઉત્પન્ન કરવા માટે ભારે પ્રયત્ન કર્યો છે.તમે અનેક પ્રકારના ભૂતસમૂહોને 

સર્જ્યા છે અને તે વૃદ્ધિ પણ પામ્યા છે.તે બધી પ્રજા આ સમયે આપણા ક્રોધથી ચોતરફથી બળી રહી છે,

તે જોઈ મને કરુણા ઉપજી છે.માટે હે ભગવન,તમે મારા પર પ્રસન્ન થાઓ'

Feb 26, 2026

ભાગવત રહસ્ય-૭૬-Bhgavat Rahasya-76

જેનું આખું જીવન –નિંદ્રા-ધન માટે ઉદ્યમ-અને કુટુંબનું ભરણપોષણ –કરવામાં જાય-તેને- તે- જ અંતકાળે યાદ આવે છે.
એક ડોસો માંડો પડ્યો. તેનુ સમગ્ર જીવન દ્રવ્ય (કમાવવામાં-બચાવવામાં) પાછળ ગયેલું. અંતકાળ નજીક આવ્યો.છોકરાઓ બાપાને ‘શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે’ બોલવાનું કહે છે. પણ બાપાના મુખમાંથી હરિનું નામ નીકળતું નથી. જિંદગીમાં કદી 
હરિનામ લીધું હોય તો હરિનામ યાદ આવે ને ? 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1058

 

અધ્યાય-૫૨-યુધિષ્ઠિર પાસે વ્યાસ અને રાજા અકંપનું દૃષ્ટાંત


II संजय उवाच II अथैन विलपते तं कुंतीपुत्रं युधिष्ठिरं I कृष्णद्वैपायनस्तत्र आजगाम महानृपि :II १ II

સંજય બોલ્યો-કુંતીપુત્ર યુધિષ્ઠિર એ પ્રમાણે વિલાપ કરતા હતા તેવામાં મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન ત્યાં આવી પહોંચ્યા.તેમના પૂજન પછી મહર્ષિ સુખાસને બેઠા ત્યારે શોકથી સંતાપ પામેલા યુધિષ્ઠિર તેમને કહેવા લાગ્યા કે-'આ રણમાં સુભદ્રાનંદન યુદ્ધ ખેલી રહ્યો હતો ત્યારે અધર્મથી ભરેલા અનેક મોટા ધનુર્ધારી મહારથીઓએ તેને ઘેરી લઈને મારી નાખ્યો છે.અભિમન્યુ,તો બાળક હતો પણ શત્રુઓનો સંહારક હતો ને યુદ્ધમાં વિશેષ ઉપાયો પર આધાર રાખ્યા વિના જ લડતો હતો.

Feb 25, 2026

ભાગવત રહસ્ય-૭૫-Bhgavat Rahasya-75

માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દેતી નથી. માયા બે રીતે મારે છે. 
અનુકૂળ પરિસ્થિતિમાં વાસના વધે છે.પ્રતિકૂળ પરિસ્થિતિમાં મનુષ્ય હૈયું બાળે છે.
માટે ભજન માટે અનુકૂળ સમયની રાહ જુઓ નહિ. કોઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે.
'કોઈ અડચણ ન રહે પછી ભક્તિ કરીશ' એમ માનવું એ અજ્ઞાન છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1057

 

અધ્યાય-૫૧-યુધિષ્ઠિરનો વિલાપ 


II संजय उवाच II हते तस्मिन्न महावीर्ये सौभद्रे रथयुथपे I विमुक्तरथसन्नाहा: सर्वे निक्षिप्तकार्मुकाः II १ II

સંજય બોલ્યો-મહાન વીર્યવાળો અને રથી યોદ્ધાઓની ટુકડીનો નાયક તે અભિમન્યુ જયારે રણમાં રોળાઈ ગયો,ત્યારે સર્વ યોદ્ધાઓ પોતપોતાના રથમાંથી ઉતરીને રાજા યુધિષ્ઠિરની આસપાસ વીંટળાઈને બેઠા.પોતાનો વીર ભત્રીજો મહારથી અભિમન્યુ મરણ પામ્યો તેથી યુધિષ્ઠિર અત્યંત દુઃખી થઇ ગયા અને વિલાપ કરવા લાગ્યા.'અરે,હાય,મારુ પ્રિય કરવાની ઈચ્છાથી એ અભિમન્યુ દ્રોણાચાર્યના દુર્ભેદ્ય વ્યુહને તોડી નાખીને શત્રુઓના સૈન્યમાં પેઠો હતો.તેની સામે યુદ્ધ કરવા આવેલા મોટામોટા યુદ્ધદુર્મદ ધનુર્ધરો પણ પરાજય પામીને પાછા હટ્યા હતા.દુઃશાસનને પણ તેણે બાણો વડે મૂર્છિત કરીને નસાડી મુક્યો હતો.

Feb 24, 2026

ભાગવત રહસ્ય-૭૪-સ્કંધ-૨-Bhgavat Rahasya-74

જગતમાં ગુરુ –સુલભ છે. પણ સદગુરુ મળવા દુર્લભ છે.
સદ(સત-સત્ય) એ પરમાત્માનું નામ છે. સર્વમાં ઈશ્વરનાં દર્શન કરે તે સદગુરુ.
પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી આપે તે-સદગુરુ.
માત્ર શબ્દોથી ઉપદેશ આપે તે ગુરુ.(આધુનિક-અત્યારના જમાનામાં આવા ગુરુ ઠેર ઠેર જોવા મળે છે)