અધ્યાય-૫૬-સુહોત્ર રાજાની કથા
II नारद उवाच II सुहोत्रं नाम राजानं मृत सृंजय शुश्रुम I एकविरमशक्यं तममरैरभिविक्षितम् II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,સુહોત્ર નામનો રાજા પણ મરણ પામ્યો હતો,કે જે રાજા આ જગતમાં એકલ વીર હતો અને દેવો પણ તેની સામે જોઈ શકતા નહોતા.તે રાજાએ ધર્મથી રાજ્ય મેળવીને,યાજ્ઞિક બ્રાહ્મણો ને પુરોહિતોના દર્શાવેલા મતમાં જ રહીને રાજ્ય કરતો હતો.પ્રજાનું પાલન,ધર્મ,દાન,યજ્ઞ અને શત્રુઓનો જય-એ રાજકીય આચારોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને તે સુહોત્રરાજા પોતાના રાજ્યમાં ધર્મથી જ ધનની આવક ઈચ્છતો હતો.





