અધ્યાય-૭૩-જયદ્રથને મારવાની અર્જુનની પ્રતિજ્ઞા
II युधिष्ठिर उवाच II त्वयि याते महाबाहो संशप्तकबलं प्रति I प्रयत्नमकरोत तीव्रमाचार्यो ग्रहणे मम II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે મહાબાહો,જયારે તું સંશપ્તકો સામે યુદ્ધ કરવા ગયો ત્યારે આચાર્ય દ્રોણે મને પકડવાનો ઘોર પ્રયત્ન કરતા હતા.તે સેનાનો ચક્રવ્યૂહ બનાવીને આગળ વધતા હતા અને અમે તેને અટકાવી રહ્યા હતા.દ્રોણાચાર્યના અતિ આક્રમણથી કોઈ તેમની સામે જોઈ શકતું નહોતું.ત્યારે મેં અભિમન્યુને ચક્રવ્યુહનું ભેદન કરવાનું કહ્યું ત્યારે તેણે તારા ઉપદેશ ને શિક્ષાની અનુસાર તે વ્યૂહને તોડી તેમાં પ્રવેશ કર્યો હતો.અમે પણ તેના રક્ષણ માટે તેની પાછળ ઘૂસવા જતા હતા ત્યારે,જયદ્રથે આવીને,તેને મળેલા શંકરના વરદાનથી અમને સર્વે રોકી લીધા.





