અધ્યાય-૮૦-અર્જુન સ્વપ્ન
II संजय उवाच II कुंतीपुत्रस्तु तं मन्त्रं स्मरन्नेव धनंजयः I प्रतिज्ञामात्मनो रक्षन् मुमोहाचित्यविक्रमः II १ II
સંજય બોલ્યો-અચિંત્ય પરાક્રમવાળો તથા પોતાની પ્રતિજ્ઞાનું રક્ષણ કરનારો અર્જુન 'જયદ્રથનો વધ કેવી રીતે કરવો?' એ વિચારનું સ્મરણ કરતાં કરતાં જ મોહમાં પડી ગયો ને નિંદ્રાવશ થયો.ત્યારે તેને એક સ્વપ્ન દેખાયું કે જેમાં ગરુડધ્વજ શ્રીકૃષ્ણને પોતાની પાસે આવેલા જોયા.અર્જુને તેમને આસન આપ્યું ને સામો ઉભો રહ્યો ત્યારે અર્જુનનો નિશ્ચય જાણી લઈને શ્રીકૃષ્ણ બોલ્યા કે-'હે અર્જુન,તું મનમાં ખેદ ના કર,કારણકે કાળ દુર્જય છે ને તે કાળ જ સર્વ ભૂતોને અવશ્ય ભાવિ કર્તવ્યમાં પ્રવર્તાવે છે.તું કહે કે તને શોક શા માટે થાય છે? તારે શોક કરવો જોઈએ નહિ કારણકે શોક કાર્યનો નાશ કરે છે.



