અધ્યાય-૯૩-અંબષ્ઠ પડ્યો
II संजय उवाच II हते सुदक्षिणे राजन्वीरे चैव श्रुतायुधे I जवेनाम्पद्रवन्पार्थ कुपिताः सैनिकास्तव II १ II
સંજય બોલ્યો-હે રાજન,એ પ્રમાણે વીર સુદક્ષિણ તથા શ્રુતાયુધ રણમાં માર્યા ગયા ત્યારે,અભિષાહો,શૂરસેનો,શિબીઓ તથા વસાતીઓ અર્જુન પર બાણો વરસાવતા આગળ ધસ્યા.ત્યારે અર્જુને સામે અનેક બાણો મૂકીને લગભગ છ હજાર જેટલા યોદ્ધાઓનો નાશ કરી નાખ્યો.ત્યાં ઢળી પડેલાં અમેક મસ્તકોથી રણભૂમિ અવકાશ (જગ્યા)વિનાની થઇ ગઈ.તે યોદ્ધાઓનો આમ સંહાર થઇ રહ્યો હતો ત્યારે શ્રુતાયુ અને અચ્યુતાયુ નામના બે વીરનરો અર્જુન સામે બાણોનો વરસાદ કરતા આવી પહોંચ્યા અને તેમણે એક હજાર બાણોથી અર્જુનને સર્વાંગે ઢાંકી દીધો.



