અધ્યાય-૯૪-દુર્યોધનને કવચબંધન
II संजय उवाच II ततः प्रविष्टे कौन्तेये सिन्धुराजजिघांसया I द्रोणानीकं विनिर्भिद्य भोजानिकं च दुस्तरम् II १ II
સંજય બોલ્યો-પછી,કુંતાપુત્ર અર્જુન સિંધુરાજનો વધ કરવાની ઈચ્છાથી દ્રોણાચાર્યના દુસ્તર સૈન્યને અને કૃતવર્માની સેનાને તોડીને શત્રુસૈન્યમાં દાખલ થયો.તેણે સુદક્ષિણ અને શ્રુતાયુધને રણમાં રોળી નાખ્યા ત્યારે છિન્નભિન્ન થયેલાં સૈન્યો ચારે બાજુ નાસભાગ કરવા લાગ્યાં.તે વખતે તમારો પુત્ર દુર્યોધન પોતાના સૈન્યમાં ભંગાણ પડેલું જોઈને પોતે એકલો દ્રોણાચાર્ય પાસે ગયો અને તેમને કહેવા લાગ્યો કે-'હે આચાર્ય,આ અર્જુન મહાસેનાનો નાશ કરીને અંદર આવી પહોંચ્યો છે તો તેનો નાશ કરવા માટે શું કરવું જોઈએ તેનો તમે બુદ્ધિપૂર્વક વિચાર કરો ને એવો ઘાટ ઘડો કે જયદ્રથ યુદ્ધમાં માર્યો ન જાય.




