Apr 23, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1113

 

અધ્યાય-૧૧૭-સાત્યકિનું પરાક્રમ 

 II संजय उवाच II काल्पमानेषु सैन्येषु शैनेयेन ततस्ततः I भारद्वाजः शरव्रातैर्महद्भि: समवाकिरत II १ II

સંજય બોલ્યો-એ પ્રમાણે સાત્યકિએ કૌરવોનાં સૈન્યોને ચારે બાજુ નસાડવા માંડ્યાં ત્યારે દ્રોણાચાર્ય અનેક બાણો મૂકીને તેને ઢાંકી દેવા લાગ્યા.બંને વચ્ચે ધમાસણ યુદ્ધ શરુ થયું.આચાર્યે સાત્યકિના ભાલ પર બાણોથી પ્રહાર કર્યો કે જે તેના લલાટ પર આવીને ખૂંચી ગયાં.વળી બીજાં અનેક બાણોથી આચાર્યે તેના પર પ્રહાર કર્યો કે જેને સાત્યકિએ અધવચ્ચે જ કાપી નાખ્યાં.સાત્યકિની ચાલાકીથી દ્રોણાચાર્ય હસ્યા અને બીજાં ત્રીસ બાણોથી તેને વીંધી નાખ્યો.સામે સાત્યકિએ અનેક બાણો છોડીને દ્રોણના રથને ઢાંકી દીધો.બંને પુરુષશ્રેષ્ઠો સમાન જ દેખાતા હતા.

Apr 22, 2026

ભાગવત રહસ્ય-૧૩૦-Bhgavat Rahasya-130

જ્ઞાન નો અંત (સમાપ્તિ) શ્રીકૃષ્ણ દર્શનમાં આવે છે. (પુસ્તકો વાંચવાથી જ્ઞાનની સમાપ્તિ થતી નથી) પરમાત્મા ને જાણ્યા પછી કાંઇ પણ જાણવાનું બાકી રહેતું નથી.પરમાત્માને ત્યારે જ જાણી શકાય છે-જયારે પરમાત્મા કૃપા કરે છે.અને પરમાત્મા ત્યારેજ કૃપા કરે છે-જયારે કોઈ પણ સાધન કરતો –મનુષ્ય-સાધનનું અભિમાન છોડી-દીન થઈને રડી પડે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1112

 

અધ્યાય-૧૧૬-દુર્યોધનનો તથા કૃતવર્માનો પરાજય


 II संजय उवाच II ते किरंतः शरवरातान सर्वे यत्ताः प्रहारिणः I त्वरमाणा महाराज युयुधान मयोधयम् II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,અનેક બાણોને છોડી રહેલા તે સર્વ યોદ્ધાઓ બરાબર સજ્જ થઈને ઉતાવળા સાત્યકિની સામે યુદ્ધ કરવા લાગ્યા.તે સાત્યકિને દ્રોણાચાર્યે,દુર્મુષણે,દુઃસહે ને વિકર્ણે અનેક બાણોથી વીંધી નાખ્યો.દુર્યોધને પણ તેને સારી રીતે પીડયો હતો.ત્યારે સામે સાત્યકિએ તે સર્વને દશ દશ બાણોથી વીંધીને તે દુર્યોધન સામે ચડી ગયો.બંને વચ્ચે યુદ્ધ શરુ થયું.અન્યોન્ય સામે બાણો છોડી રહેલા તે બંને મહારથીઓએ એક બીજાને રણમાં અદૃશ્ય કરી દીધા.જયારે સાત્યકિએ કે ક્ષુરપ્ર બાણથી દુર્યોધનનું ધનુષ્ય કાપી નાખ્યું ત્યારે દુર્યોધને તરત જ નવું ધનુષ્ય લઇ સો બાણોનું સંધાન કરીને સાત્યકિને વીંધી નાખ્યો.

Apr 21, 2026

ભાગવત રહસ્ય-૧૨૯-Bhgavat Rahasya-129

ધુવજી મધુવનમાં આવ્યા છે. યમુનાજીમાં સ્નાન કરી –પ્રથમ દિવસે ઉપવાસ કર્યો છે. બીજા દિવસથી તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો.ધ્રુવ ત્રણ દિવસ એક આસને બેસી નારાયણનું ધ્યાન કરે છે. ધ્યાન સાથે જપ કરે છે. માત્ર ફલાહાર કરે છે.(અન્નનો આહાર કરવાથી શરીરમાં તમોગુણ વધે છે, ફલાહારથી શરીરમાં સત્વગુણ વધે છે) એક મહિનો આ રીતે તપશ્ચર્યા કરી,

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1111

 

અધ્યાય-૧૧૫-જલસંઘનો વધ 


 II संजय उवाच II शृण्यैकमना राजन यन्मां त्वं परिपृच्छसि I द्राव्यमाणे बले तस्मिन् हार्दिक्येन महात्मना II १ II

સંજય બોલ્યો-હે રાજન,કૃતવર્માએ પાંડવ સૈન્યને હાંકી કાઢ્યું ત્યારે તેમનું મોં લજ્જાથી નીચું પડી ગયું,અને તમારા પક્ષના યોદ્ધાઓ હર્ષમાં આવી ગયા.તે સમયે પાંડવ યોદ્ધાઓ અગાધ સંકટમાં પડી ગયા હતા ને પોતાનો ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખતા હતા,તે સમયે તમારા પક્ષના યોદ્ધાઓની કિકિયારીઓ સાંભળીને સાત્યકિ કૃતવર્મા સામે ચઢી આવ્યો.બંનેનું ભયંકર યુદ્ધ શરુ થયું.સાત્યકિએ કૃતવર્માનું ધનુષ્ય કાપી નાખ્યું,તેના ચાર ઘોડાઓને મારી નાખી,તેના સારથિ અને પૃષ્ઠરક્ષકોને વીંધી નાખ્યા ને તેની સેનાને પણ પીડિત કરી નાખી તેના સૈન્યમાં ભંગાણ પાડ્યું.આમ કૃતવર્માને રથરહિત કરીને સાત્યકિ આગળ વધ્યો.

Apr 20, 2026

ભાગવત રહસ્ય-૧૨૮-Bhgavat Rahasya-128

ધ્રુવજી –નારદજીને પૂછે છે-કે-ત્યાં જઈને હું શું કરું ? મને કાંઇ આવડતું નથી. પરમાત્માની આરાધના કેવી રીતે કરવી ? નારદજી કહે છે-સવારે બ્રાહ્મ મુહુર્તમાં (સવારના ૪ વાગે) ઉઠજે. ધ્યાન કરતા પહેલાં ઠાકોરજીની માનસી સેવા કરજે.માનસી સેવાનો અતિ ઉત્તમ સમય સવારના ૪ થી ૫ સુધીનો છે.માનસી સેવામાં ખાલી મનની જ જરૂર છે.(પ્રત્યક્ષ સેવા માં અનેક વસ્તુઓની જરૂર પડે છે.)માનસી સેવા સવારે કોઈનું પણ મુખ જોયા પહેલાં કરવી જોઈએ.