May 21, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1137

 

અધ્યાય-૧૪૦-રાજેન્દ્ર અલંબુષનો વધ 


II धृतराष्ट्र उवाच II अहन्यहनि मे दीप्तं यशः पतति संजय I हता मे वहवो योधा मन्ये कालस्य पर्ययम II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,દિવસે દિવસે મારો ઉજ્જવળ યશ નાશ પામતો જાય છે ને મારા ઘણા યોદ્ધાઓ માર્યા ગયા છે આથી હું માનું છું કે મારો કાળ પલટાયો છે.અશ્વત્થામા ને કર્ણના રક્ષણ તળે રહેલા અને દેવોને પણ દુર્ગમ એવા મારા સૈન્યમાં અર્જુન,સાત્યકિ ને ભીમ પેસી ગયા છે.તેમના પરાક્રમને વૃદ્ધિ પામતું હું સાંભળું છું ત્યારે શોકાગ્નિ મને બાળી રહ્યો છે.જયદ્રથ સહીત સર્વ રાજાઓને હું કાળથી ગ્રસિત થયેલા જ જોઉં છું.હવે આગળ થયેલા યુદ્ધનું  તું મને યથાર્થ કહી સંભળાવ.

May 20, 2026

ભાગવત રહસ્ય-૧૫૪-Bhgavat Rahasya-154

પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો- વૃત્રાસુર ભગવદભક્ત હતો તેમ છતાં તેને રાક્ષસ યોનિમાં જન્મ કેમ મળ્યો ? તેનો પૂર્વવૃત્તાંત કહો.શુકદેવજી વર્ણન કરે છે-વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ રાજા હતો.તેની રાણી નું નામ કૃતધુતિ હતું. તેમને સંતાન નહોતું.ચિત્રકેતુ શબ્દનો ભાવાર્થ છે-ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ કરે તે ચિત્રકેતુ. કૃતધુતિ એ બુદ્ધિ છે.મન ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ કરે છે-અનેક વિષયોનો વિચાર કરે છે-અને વિષયાકાર સ્થિતિમાંથી ચિત્રકેતુનો જન્મ થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1136

 

પછી,કોપેલા ભીમસેને છોડેલાં બાણોનું સામે વારણ કરીને,કર્ણે મજબૂત ગાંઠાવાળાં કેટલાંક બાણો છોડીને,ભીમસેનના ધનુષ્યની દોરીને,ભાથાઓને,ઘોડાઓની લગામને જોતજોતામાં કાપી નાખીને તેના ઘોડાઓને પણ મારી નાખ્યા ને તેના સારથિને વીંધી નાખ્યો ત્યારે સારથિ ત્યાંથી ખસી જઈને એકદમ યુધામન્યુનાં રથ તરફ ચાલ્યો ગયો.ધનુષ્ય રહિત થયેલા ભીમસેને રથશક્તિ ગ્રહણ કરીને કર્ણના રથ સામે ફેંકી.કે જેને કર્ણે અધવચ્ચે જ તોડી પાડી.હવે ભીમસેને ઢાલ તલવાર હાથમાં લીધી.કર્ણે તે ઢાલના ટુકડા કરી દીધા એટલે ભીમે,તાકીને કર્ણના રથ સામે તલવાર ફેંકી,કે જેણે કર્ણના ધનુષ્યને કાપી નાખ્યું.

May 19, 2026

ભાગવત રહસ્ય-૧૫૩-Bhgavat Rahasya-153

કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે.સકામ કર્મમાં દેવ પર જબરજસ્તી થાય છે-“મારું આટલું કામ તમારે કરવું જ પડશે.”સકામ કર્મ સફળ થાય તો વાસના વધે છે.સકામ કર્મમાં નિષ્ફળતા મળે તો-મનુષ્ય નાસ્તિક થાય છે.તેથી સકામ કર્મની નિંદા કરી છે.ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા છે.કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખવાનો-કે- મારા લાલાજી મારા પર પ્રસન્ન થાય.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1135

 

અધ્યાય-૧૩૯-ભીમસેન કર્ણની ભયંકર ઝપાઝપી 


 II संजय उवाच II ततः कर्णो महाराज भीमं विध्वा त्रिभिः शरैः I मुमोच शरवर्षाणि विचित्राणि बहूनि च II १ II

સંજય બોલ્યો-પછી,હે મહારાજ,કર્ણે ભીમસેનને ત્રણ બાણોથી વીંધ્યો અને અનેક વિચિત્ર બાણોની વૃષ્ટિ છોડવા માંડી.તેમ છતાં,ભીમ જરાયે વ્યથા પામ્યો નહિ અને એક તીક્ષ્ણ કર્ણ આકારના બાણ વડે,કર્ણના કાન પર અતિ પ્રહાર કરીને તેના કુંડળને જમીન પર પાડી દીધું,ને એક બીજા ભલ્લ બાણ વડે તેની છાતી પર સખ્ત પ્રહાર કર્યો.પછી,એક બાણથી તેના લલાટને ચીરી નાખ્યું.આમ અત્યંત વીંધાયેલો,લોહીલુહાણ થયેલો કર્ણ,રથના ઊંટડાની સહાય લઈને આંખ મીંચી ગયો.એક મુહૂર્ત કાલે જયારે તેને ભાન આવ્યું ત્યારે તેને અતિ ક્રોધ ચડ્યો,ને અતિવેગપૂર્વક તેણે ભીમના રથ પર ધસારો કર્યો.

May 18, 2026

ભાગવત રહસ્ય-૧૫૨-Bhgavat Rahasya-152

એક દિવસ ઇન્દ્ર સિંહાસન પર બેઠા હતા.તે વખતે બૃહસ્પતિ ઇન્દ્રસભામાં આવ્યા.
દેવોના તથા પોતાના ગુરુ સભામાં આવ્યા છતાં ઇન્દ્રે તેનું ઉભા થઇ સ્વાગત કર્યું નહિ.પોતાના આ અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો, ઇન્દ્રને શાપ આપ્યો-તું દરિદ્ર થશે.આ અવસર સારો છે-એમ જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. દેવોને હરાવી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું.હારેલા દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ ઠપકો આપ્યો અને કહ્યું-બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા છો.હવે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિની ગાદી પર બેસાડો.