Jun 1, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1147

 

અધ્યાય-૧૫૦-દુર્યોધનનો પશ્ચાતાપ 


 II संजय उवाच II सिन्धवे निहते राजन पुत्रम्तव सुयोधनः I अश्रुपुर्णमुखो दीनो निरुत्साहो द्विप्ज्जये II १ II

સંજય બોલ્યો-હે રાજન,સિંધુરાજનું મરણ થતાં તમારો પુત્ર દુર્યોધન અશ્રુપૂર્ણ મુખવાળો,દીન અને શત્રુઓને પરાજય કરવામાં તદ્દન નિરુત્સાહ બની ગયો હતો.તેનું મન અતિ ઉદાસ થઇ ગયું.તે સર્પની જેમ નિશ્વાસ મુકતો હતો.તમારો એ પુત્ર લોકોનો અપરાધી થઈને પરમ દુઃખમાં આવી પડ્યો હતો.અર્જુન,ભીમ અને સાત્યકિએ કરેલા પોતાના સૈન્યના મહાઘોર સંહારને જોઈને તેના શરીરનો વર્ણ ફીક્કો પડી ગયો હતો,શરીર કૃશ થઇ ગયું હતું ને નેત્રો અશ્રુથી ભરાઈ ગયા હતાં.હે રાજન,આખરે તેને માનવું પડ્યું કે અર્જુન સરખો બીજો કોઈ યોદ્ધો નથી.અર્જુનની સામે ટકવાને દ્રોણ,કૃપ,અશ્વત્થામા કે કર્ણ પણ સમર્થ નથી.

May 31, 2026

ભાગવત રહસ્ય-૧૬૪-Bhgavat Rahasya-164

પ્રહલાદ ની જેમ –જે-ભગવાનની ગોદમાં વિરાજે છે-તેને કાળ કંઈ કરી શકતો નથી.
પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ મહત્વનો છે. જ્ઞાન વગેરેની મહત્તા ઓછી છે.શબ્દ-જ્ઞાનની બહુ જરૂર નથી.અનેકવાર એવું પણ બને કે શબ્દ-જ્ઞાન પ્રભુનું ભજન કરવામાં વિઘ્ન-રૂપ થાય. પ્રેમભક્તિ વગરનું જ્ઞાન નકામું છે.હિરણ્યકશિપુ જેવા માટે ભગવાન ભયંકર અને કઠોર છે-પ્રહલાદ જેવા માટે તે કમળ જેવા કોમળ છે.
એટલે જ -વિષ્ણુસહસ્ત્રનામમાં –પણ ભગવાનને ભયરૂપ,ભયકારક અને સાથે સાથે ભયનો નાશ કરનાર પણ કહ્યા છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1146

 

અધ્યાય-૧૪૯-યુધિષ્ઠિરનો આનંદ 

 II संजय उवाच II ततो राजानमभ्येत्य धर्मपुत्र युधिष्ठिरम् I वयंदे स प्रह्रष्टात्मा हते पार्थेन सैन्धवे II १ II

સંજય બોલ્યો-આમ અર્જુને સિંધુરાજનો વધ કર્યો,તે પછી,મનમાં આનંદ પામેલા શ્રીકૃષ્ણ ધર્મપુત્ર યુધિષ્ઠિર પાસે આવ્યા ને તેમને વંદન કરીને બોલ્યા કે-'હે રાજેન્દ્ર,હું તમને સુદૈવની વધામણી આપું છું કે આપણો શત્રુ રાજા જયદ્રથ મરાયો છે.અર્જુન પ્રતિજ્ઞાને તરી ગયો છે એ આપણું અહોભાગ્ય છે' આ સાંભળી યુધિષ્ઠિર હર્ષમાં આવી ગયા અને શ્રીકૃષ્ણ અને અર્જુનને ભેટી પડ્યા અને શ્રીકૃષ્ણ અને અર્જુનને કહેવા લાગ્યા કે-'હે શ્રીકૃષ્ણ,તમારી પાસેથી આ પ્રિય વધામણી સાંભળી મને એટલો બધો હર્ષ થાય છે કે તે હર્ષના પારને હું પામી શકતો નથી.અર્જુને આ અદભુત કર્મ કર્યું છે.

May 30, 2026

ભાગવત રહસ્ય-૧૬૩-Bhgavat Rahasya-163

હિરણ્યકશિપુએ પૂછ્યું-તારા ભગવાન સર્વત્ર છે-તો આ થાંભલામાં તારો વિષ્ણુ કેમ દેખાતો નથી ? બોલ, તારા ભગવાન આ થાંભલામાં છે?
પ્રહલાદ કહે છે-જી,હા મારા ભગવાન આ સ્તંભમાં પણ છે.તમારી આંખમાં કામ છે એટલે તમને દેખાતા નથી. મને તેમના દર્શન થાય છે.
જેના મનમાં પાપ છે-વિકારવાસના છે-તેને પરમાત્મા નાં દર્શન થતાં નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1145

 

અધ્યાય-૧૪૮-શ્રીકૃષ્ણે અર્જુનની કરેલી પ્રશંસા 


II धृतराष्ट्र उवाच II तथा गतेषु शूरेषु तेषां मम च संजय I किं चै भीमस्तदाकार्पित्तन्ममाचक्ष्य संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પાંડવ ને મારા પક્ષના સર્વ શૂરા યોદ્ધાઓ,જયારે જય-પરાજયના 

વાતાવરણમાં આવી પહોંચ્યા હતા ત્યારે વીર ભીમસેને શું કર્યું હતું?તે તું મને કહે.

સંજય બોલ્યો-તે સમયે રથરહિત થયેલો ભીમ,કર્ણના વાણીરૂપ વિષથી ક્રોધવશ થઇ ગયો હતો ને તેણે અર્જુનને કહ્યું હતું કે-'હે ધનંજય,તારી સમક્ષ કર્ણે મને,'હે મૂઢ,હે ખાઉધરા,દાઢીમૂછ વિનાના,અકુશળ,બાળક,રણકાયર ને યુદ્ધ કરવાનું રહેવા દે' વગેરે વિષ વચનો કહ્યાં છે.'આમ બોલનારને મારે મારી જ નાખવો' એવું મેં પ્રથમથી જ કહ્યું છે.પણ,કર્ણનો વધ કરવાની તારી પ્રતિજ્ઞા છે તેને ધ્યાનમાં રાખીને મેં તેનો વધ કર્યો નથી.તો હવે તારી પ્રતિજ્ઞા સત્ય કરી બતાવ.'

May 29, 2026

ભાગવત રહસ્ય-૧૬૨-Bhgavat Rahasya-162

દૈત્ય-બાળકો પ્રહલાદને પૂછે છે-કે-પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા ?
પ્રહલાદ કહે છે-કે-એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે તેવી દૃષ્ટિ કેળવો.આ માટે તમે તમારા દૈત્ય-પણાનો તેમજ આસુરી-ભાવનો ત્યાગ કરી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો.પ્રેમથી ભલાઈ કરો.આથી ભગવાન પ્રસન્ન થાય છે.ભગવાન જયારે કૃપા કરે છે-ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે.ભગવાનને પ્રસન્ન કરવાની બીજું સાધન છે-કિર્તન. પરમાત્માનું નામ એ જ બ્રહ્મ છે.માટે નામનું કિર્તન કરો.