Jun 4, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1150

 

ઘટોત્કચ-વધ પર્વ 

અધ્યાય-૧૫૩-ચૌદમો દિવસ-યુધિષ્ઠિરથી દુર્યોધનનો પરાજય 


II संजय उवाच II तदुदीर्ण गजानीकं बलं तव जनाधिप I पांडुसेनामतिक्रम्य योधयामास सर्वतः II १ II

સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,તે સમયે પ્રથમ હાથીઓનું સૈન્ય એકદમ ધસી આવ્યું અને ચોતરફથી યુદ્ધ કરવા મંડી પડ્યું.પાંચાલો ને કુરુઓ યમરાજના રાજ્યમાં મોટો વધારો કરવા માટે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા અને પરલોકમાં પ્રયાણ કરવા માટે દીક્ષા લઇ બેઠા.શૂરાઓ શૂરાઓ સામે ભેટીને બાણ,તોમર,શકિતઓથી અન્યોન્યને વીંધવા લાગ્યા,ને એકબીજાને યમસદન મોકલી દેવા લાગ્યા.દારુણ રુધિરસ્ત્રાવ થતો હતો.ત્યારે 'હવે તો મરવું જ' એવો વિચાર કરીને દુર્યોધન તે સૈન્યમાં દાખલ થયો ને સર્વ દિશાઓને ગજાવી મૂકતો તે પાંડવોની સેના સામે ચઢી આવ્યો,ને મહાવિનાશનો સમય ચાલુ થયો.

Jun 3, 2026

ભાગવત રહસ્ય-૧૬૭-Bhgavat Rahasya-167

જ્ઞાની પુરુષો સર્વમાં ભગવદદૃષ્ટિ રાખે છે.દૃશ્ય (સંસાર) માંથી દૃષ્ટિ હટાવી,અને સર્વને જોનાર (દ્રષ્ટા-સાક્ષી) પરમાત્માના સ્વરૂપમાં દૃષ્ટિ સ્થિર કરે છે.
જ્ઞાની કહે છે-કે-જે દેખાય છે (દૃશ્ય-સંસાર) તેની સાથે પ્રેમ કરીશ નહિ,પણ દ્રષ્ટા –પરમાત્મામાં જ પ્રેમ કર.ઈશ્વર એ દ્રષ્ટા છે-તે દૃશ્ય નથી. ઈશ્વરમાં દ્રશ્યત્વનો આરોપ માયાથી થાય છે.જે સર્વનો દ્રષ્ટા-સાક્ષી છે-તેને જાણવો સહેલો તો નથી જ. જેને પૂર્ણ વૈરાગ્ય નથી તેને આ “જ્ઞાન”નો અનુભવ થવો અઘરો છે.માટે આપણા જેવા માટે ભક્તિ માર્ગ સારો છે. જે બધું દેખાય છે-તે સર્વ ઈશ્વરમય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1149

 

અધ્યાય-૧૫૨-પુનઃ યુદ્ધારંભ 


 II संजय उवाच II ततो द्दुर्योधनो राजा द्रोणेनेयं प्रचोदित I अमर्षवर्षवशमापश्वो युद्धावैव मनोदधे II १ II

સંજય બોલ્યો-દ્રોણની આ પ્રમાણે આજ્ઞા થતાં,રાજા દુર્યોધને ક્રોધવશ થઈને યુદ્ધ કરવાનું જ મન કર્યું ને કર્ણ પાસે જઈને તેને કહેવા લાગ્યો કે-'અરે ઓ કર્ણ,જરા જો તો ખરો,અર્જુને અશક્ય એવા દ્રોણના વ્યુહને તોડીને,અનેક યોદ્ધાઓનો સંહાર કરીને જયદ્રથને મારી નાખ્યો.એ અર્જુને મારુ થોડુંક જ સૈન્ય બાકી રહેવા દીધું છે.હે વીર,જો દ્રોણાચાર્યની ઈચ્છા હોય તો જ તેમના દુર્ભેદ્ય વ્યુહને તોડીને અર્જુન આગળ વધી શક્યો હતો.

Jun 2, 2026

ભાગવત રહસ્ય-૧૬૬-Bhgavat Rahasya-166

એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થયેલી.મુક્તાબાઈએ ગોરા કુંભાર ને ભક્તમંડળીના ભક્તોની (સંતોની) પરીક્ષા કરવાનું કહ્યું.”આમાં પાકા કોણ અને કાચા કોણ છે?”ગોરા કુંભાર ઉભા થયા અને બધાના માથા પર –ટપલી મારી પરીક્ષા કરે છે.(માટલાને જેમ ટપલી મારી તપાસાય છે તેમ) ભક્તોમાં એક નામદેવ પણ હતા.તેમને અભિમાન થયેલું-કે ભગવાન મારી સાથે વાતો કરે છે-હું ભગવાનનો લાડીલો છું.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1148

 

અધ્યાય-૧૫૧-દ્રોણાચાર્યનાં વચનો 


II धृतराष्ट्र उवाच II सिन्धुराजे हते तात समरे सव्यसाचिना I तथैव भूरिश्रवसि किमासीद वो मनस्तदा II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે તાત,એ રણમાં અર્જુને જયારે સિંધુરાજને મારી નાખ્યો ને ભૂરિશ્રવાનું મરણ થયું ત્યારે તારા મનમાં શું થયું હતું?વળી,દુર્યોધને દ્રોણાચાર્યને જયારે એ રીતે કહ્યું હતું,ત્યારે તેમણે તેને શું કહ્યું હતું? તે તું મને કહે.'

સંજય બોલ્યો-'હે ભારત,સિંધુરાજ અને ભૂરિશ્રવાને મરણ પામેલા જોઈને તમારા સૈન્યમાં મહાન ગભરાટનો કોલાહલ થઇ રહ્યો હતો.સર્વ સૈનિકો તમારા પુત્રના વિચારોની અવગણના કરવા લાગ્યા હતા,કારણકે તેના ભ્રષ્ટ વિચારના પરિણામે જ મોટા મોટા ક્ષત્રિયોનો સંહાર વળી ગયો હતો.વળી,તમારા એ પુત્રનાં વચનો સાંભળીને દ્રોણાચાર્યનું મન ઘણું જ દુભાયું હતું.ને ઘણી જ વ્યથા પામ્યા હતા છતાં,એક મુહૂર્ત વિચાર કરીને તે બોલ્યા હતા કે-

Jun 1, 2026

ભાગવત રહસ્ય-૧૬૫-Bhgavat Rahasya-165

જ્ઞાનનો ઉપયોગ પ્રભુની સર્વવ્યાપકતાનો અનુભવ કરવા માટે છે.
એક મહાત્માના બે શિષ્યો.બન્ને ખુબ ભણેલા.કથા વાર્તા પણ કરતા.મહાત્માનો અંત સમય આવ્યો. મહાત્મા એ વિચાર્યું-કે –ગાદી કોને આપું ?મહાત્માએ બે ફળ મંગાવ્યા. અને બન્ને શિષ્યોને બોલાવી –બન્નેને એકએક ફળ આપ્યું.અને કહ્યું-એવી જગ્યાએ આ ફળ ખાજો કે કોઈ તમને ફળ ખાતાં જુએ નહિ.