Jun 16, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1152

 

અધ્યાય-૧૫૫-ભીમસેનનું પરાક્રમ 


II धृतराष्ट्र उवाच II तस्मिन् प्रविष्टे दुर्घर्षे स्रुंजयानमितौजसि I अमृप्यमाणे संरब्धे का वोभुद्वै मतिस्तदा II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-દુરાધર્ષ ને અમાપ તેજવાળા તે દ્રોણાચાર્ય સૃન્જયોને ન સાંખીને ક્રોધપૂર્વક સૈન્યમાં દાખલ થયા,ત્યારે તમારા બધાનો શો નિશ્ચય હતો? મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા મારા પુત્ર દુર્યોધનને તે સમયે કેટલાંએક હિતવચનો કહીને દ્રોણાચાર્ય જયારે સૈન્યમાં પેઠા ત્યારે દુર્યોધને ને અર્જુને શું કરવા ધાર્યું હતું? દ્રોણાચાર્યનું રક્ષણ કોણ કરી રહ્યા હતા? પુરુષોમાં વ્યાઘ્ર સરખા તે દ્રોણાચાર્ય પાંચાલોના મધ્યમાં પ્રવેશ કરી કેમ મરણ પામ્યા? હે સંજય,તું પાંડવોને હર્ષ પામેલા,સર્વથી ઉત્કૃષ્ટ તથા સંતુષ્ટ કહે છે અને મારા યોદ્ધાઓને શોક્ગ્રસ્ત ને પરાજય પામેલા જણાવે છે પણ તે રાત્રિના સમયમાં યુદ્ધમાં પાછા નહિ હઠનારા તે પાંડવોનું,કુરુઓમાં કેમ પ્રગટ યુદ્ધ થયું હતું?

Jun 15, 2026

ભાગવત રહસ્ય-૧૬૯-Bhgavat Rahasya-169

એકનાથ મહારાજ આખો દિવસ પ્રભુ સેવા –પ્રભુ ભજન કરતા.સેવાના અવિરત શ્રમથી 
તેઓ થાકી જતા.આવી ઉદાત્ત ભક્તિ જોઈને ઈશ્વરને પણ તેમની પર દયા આવી. 
“મારો ભક્ત –મારા માટે કેટલો શ્રમ ઉઠાવે છે ? ચાલ હું જઈ તેને તેના કાર્યમાં મદદ કરું.”
ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરી એકનાથને ત્યાં આવ્યા છે.
આવીને કહે છે-“ભાઈ, મને તમારે ત્યાં નોકર રાખો”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1151

 

અધ્યાય-૧૫૪-રાત્રિયુદ્ધની ભયંકરતા 


II धृतराष्ट्र उवाच II यत्तदा प्राविशत्पांडुनाचार्यः कुपितो बली I उक्त्वा दुर्योधनं मंदं मम शास्त्रातिगं सुतम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-જયારે કોપેલ બળવાન આચાર્ય,શાસ્ત્રોનું ઉલ્લંઘન કરનારા મારા મંદબુદ્ધિ પુત્ર દુર્યોધનને કેટલાંક હિતવચનો કહીને સૈન્યમાં દાખલ થઈને સૈન્યમાં ઘૂમવા લાગ્યા ત્યારે પાંડવોએ તે મહાધનુર્ધરને કેવી રીતે અટકાવ્યા હતા? તે વખતે દ્રોણના જમણા ને ડાબા ચક્રનું તથા પૃષ્ઠ ભાગનું કોણ રક્ષણ કરતા હતા? કયા રથીઓ તેમની સામે થયા હતા? કોપાયમાન દ્રોણ  પાંચાલોની સેનાનો સંહાર કરી રહ્યા હતા એમ છતાં તે મૃત્યુ કેમ પામ્યા ?

Jun 4, 2026

ભાગવત રહસ્ય-૧૬૮-Bhgavat Rahasya-168

બહુ ભણેલો ના હોય- હોય તો તે ચમત્કાર વગર પણ નમસ્કાર કરે છે.અભણ મનુષ્ય શ્રદ્ધા રાખે છે.બહુ ભણેલાને શ્રદ્ધા થતી નથી.વ્યવહારમાં પણ શ્રદ્ધા રાખવી પડે છે.ડોક્ટરોના બધા કેસ સારા થતાં જ હોય છે તેવું હોતું નથી, તેમ છતાં તે સારું કરશે જ એવી શ્રદ્ધા રાખવી પડે છે.ડોક્ટરને જઈ કોઈ કહે કે પહેલાં ચમત્કાર બતાવો તો તે બતાવી શકે નહિ.ડોક્ટરમાં વિશ્વાસ ન રાખો તે દવા આપે નહિ અને દવા પેટમાં ન જાય ત્યાં સુધી રોગ જતો નથી.આવી જ રીતે સેવા માર્ગ માં –પરમાર્થમાં-શ્રદ્ધા રાખવી પડે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1150

 

ઘટોત્કચ-વધ પર્વ 

અધ્યાય-૧૫૩-ચૌદમો દિવસ-યુધિષ્ઠિરથી દુર્યોધનનો પરાજય 


II संजय उवाच II तदुदीर्ण गजानीकं बलं तव जनाधिप I पांडुसेनामतिक्रम्य योधयामास सर्वतः II १ II

સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,તે સમયે પ્રથમ હાથીઓનું સૈન્ય એકદમ ધસી આવ્યું અને ચોતરફથી યુદ્ધ કરવા મંડી પડ્યું.પાંચાલો ને કુરુઓ યમરાજના રાજ્યમાં મોટો વધારો કરવા માટે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા અને પરલોકમાં પ્રયાણ કરવા માટે દીક્ષા લઇ બેઠા.શૂરાઓ શૂરાઓ સામે ભેટીને બાણ,તોમર,શકિતઓથી અન્યોન્યને વીંધવા લાગ્યા,ને એકબીજાને યમસદન મોકલી દેવા લાગ્યા.દારુણ રુધિરસ્ત્રાવ થતો હતો.ત્યારે 'હવે તો મરવું જ' એવો વિચાર કરીને દુર્યોધન તે સૈન્યમાં દાખલ થયો ને સર્વ દિશાઓને ગજાવી મૂકતો તે પાંડવોની સેના સામે ચઢી આવ્યો,ને મહાવિનાશનો સમય ચાલુ થયો.

Jun 3, 2026

ભાગવત રહસ્ય-૧૬૭-Bhgavat Rahasya-167

જ્ઞાની પુરુષો સર્વમાં ભગવદદૃષ્ટિ રાખે છે.દૃશ્ય (સંસાર) માંથી દૃષ્ટિ હટાવી,અને સર્વને જોનાર (દ્રષ્ટા-સાક્ષી) પરમાત્માના સ્વરૂપમાં દૃષ્ટિ સ્થિર કરે છે.
જ્ઞાની કહે છે-કે-જે દેખાય છે (દૃશ્ય-સંસાર) તેની સાથે પ્રેમ કરીશ નહિ,પણ દ્રષ્ટા –પરમાત્મામાં જ પ્રેમ કર.ઈશ્વર એ દ્રષ્ટા છે-તે દૃશ્ય નથી. ઈશ્વરમાં દ્રશ્યત્વનો આરોપ માયાથી થાય છે.જે સર્વનો દ્રષ્ટા-સાક્ષી છે-તેને જાણવો સહેલો તો નથી જ. જેને પૂર્ણ વૈરાગ્ય નથી તેને આ “જ્ઞાન”નો અનુભવ થવો અઘરો છે.માટે આપણા જેવા માટે ભક્તિ માર્ગ સારો છે. જે બધું દેખાય છે-તે સર્વ ઈશ્વરમય છે.