Jun 18, 2026

ભાગવત રહસ્ય-૧૭૨-Bhgavat Rahasya-172

પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જાગી –સ્નાન કરી પવિત્ર થઇ –તે પછી ભગવાનની પ્રાર્થના કરવી.પ્રાર્થના કરી લાલાજીને જગાડવાના. આપણે તો ભગવાન ના સેવક છીએ.સાધારણ સેવક જેમ માલિકને સાવધાનીથી જગાડે-તેમ લાલાજી ને જગાડવાના.(ઉત્તિષ્ઠ ગોવિંદ,ઉત્તિષ્ઠ ગરુડધ્વજ,ઉત્તિષ્ઠ કમલાકાન્ત ત્રૈલોક્ય મંગલમ કુરુ) ઉઠાડતાં પહેલાં ભોગ સામગ્રી તૈયાર રાખજે. વૈષ્ણવના હૃદયમાં પ્રેમભાવ જાગે એટલે લાલાજીને ભૂખ લાગે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1154

 

પોતાની માયાને નષ્ટ થયેલી જોઈને ક્રોધી ઘટોત્કચે ઘોર બાણો છોડીને અશ્વત્થામાને લોહીલુહાણ કરી નાખ્યો,ત્યારે સામે અશ્વત્થામાએ દશ બાણો છોડીને ઘટોત્કચને મર્મસ્થાનોમાં વીંધી ઘાયલ કરી નાખ્યો.વ્યથા પામેલા ઘટોત્કચે એક લાખ આરાવાળું ચક્ર ફેંક્યું,કે જેને અશ્વત્થામાએ બાણો વડે વચમાં જ તોડી પાડ્યું.તેવામાં ઘટોત્કચનો પુત્ર અંજનપર્વા ત્યાં ધસી આવ્યો અને અશ્વત્થામાને બાણોથી ઢાંકીને તેને રોકી રાખ્યો.તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.અશ્વત્થામાએ,તે અંજનપર્વાના ઘોડાઓ,સારથિ ને રથનો નાશ કર્યો,એટલે તે અંજનપર્વાએ ખડગ ને ગદા ફેંકી કે જેને અશ્વત્થામાએ નિષ્ફળ કરી.હવે તે અંજનપર્વા મોટી ગર્જના કરીને આકાશમાં ઉડીને વૃક્ષોની વૃષ્ટિ કરવા લાગ્યો એટલે અશ્વત્થામાએ તેને ત્યાં પણ બાણોથી વીંધી નાખ્યો એટલે તે પાછો પૃથ્વી પર ઉતરી આવ્યો.ત્યારે અશ્વત્થામાએ,તે અંજનપર્વાને બાણોથી મારી નાખ્યો.

Jun 17, 2026

ભાગવત રહસ્ય-૧૭૧-Bhgavat Rahasya-171

ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની સતત કાળજી રાખવી પડે છે-મહેમાનની સાથે બેસો તો તે ભોજન લે છે.કોઈ સાહેબ ઘેર આવ્યા હોય-ચા મૂકી ને બે-ત્રણ વાર કહેવું પડે કે સાહેબ ચા ઠંડી થાય છે. સાહેબ કંઈ આંધળો નથી-પણ બે-ત્રણ વાર કહીએ ત્યારે તે ચા લે છે.માનવને મનાવવો પડે તો લાલાજી તો તેના કરતા હજારો ગણા શ્રેષ્ઠ છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1153

 

અધ્યાય-૧૫૬-મોટા મોટા મહારથીઓનું ઘમસાણ 


II संजय उवाच II प्रायोपविष्टे तु हते पुत्रे सात्यकिना तदा I सोमदत्तो भृशं कृद्वः सात्यकी वाक्यमब्रवीत् II १ II

સંજય બોલ્યો-સાત્યકિએ રણમાં અનશન વ્રતનો સ્વીકાર કરીને બેઠેલા સોમદત્તપુત્ર ભૂરિશ્રવાને મારી નાખ્યો હતો તેથી સોમદત્ત અત્યંત ક્રોધે ભરાઈને સાત્યકિને કહેવા લાગ્યો કે-'હે સાત્યકિ,ક્ષાત્રધર્મથી વિમુખ થઈને,તેં શસ્ત્રોને ત્યાગીને બેઠેલા દીન પુરુષ પર પ્રહાર કરીને અનાર્ય.પાપભર્યું ને અતિક્રૂર કર્મ કર્યું છે.ઓ દુરાચારી,તું આજના રણમાં તે કર્મનું ફળ પામીશ.આજે હું મારા પુત્રોના સોગંધ ખાઈને કહું છું કે-તને જો અર્જુન રક્ષે નહિ તો આજ રાત્રિની સમાપ્તિ પહેલાં તને મારી નાખીશ.'

Jun 16, 2026

ભાગવત રહસ્ય-૧૭૦-Bhgavat Rahasya-170

સેવા ને પૂજામાં ભેદ છે.જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા. અને જ્યાં વેદ-મંત્રો પ્રધાન છે પૂજા.
બ્રાહ્મણો ભગવાનની પૂજા કરે છે. પૂજામાં બ્રાહ્મણો પ્રભુને જમાડે છે-ત્યારે –પ્રાણાય સ્વાહા-ઉદાનાય સ્વાહા...વગેરે કહી હસ્ત પ્રક્ષાનલમ-કહી-સેકન્ડોમાં હાથ ધોવડાવી નાખે છે. ભગવાનને હજુ જમવાની ઈચ્છા છે-પણ ભગવાન બ્રાહ્મણના વચનને માન આપે છે.દેવને મંત્રને આધીન રહેવું પડે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1152

 

અધ્યાય-૧૫૫-ભીમસેનનું પરાક્રમ 


II धृतराष्ट्र उवाच II तस्मिन् प्रविष्टे दुर्घर्षे स्रुंजयानमितौजसि I अमृप्यमाणे संरब्धे का वोभुद्वै मतिस्तदा II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-દુરાધર્ષ ને અમાપ તેજવાળા તે દ્રોણાચાર્ય સૃન્જયોને ન સાંખીને ક્રોધપૂર્વક સૈન્યમાં દાખલ થયા,ત્યારે તમારા બધાનો શો નિશ્ચય હતો? મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા મારા પુત્ર દુર્યોધનને તે સમયે કેટલાંએક હિતવચનો કહીને દ્રોણાચાર્ય જયારે સૈન્યમાં પેઠા ત્યારે દુર્યોધને ને અર્જુને શું કરવા ધાર્યું હતું? દ્રોણાચાર્યનું રક્ષણ કોણ કરી રહ્યા હતા? પુરુષોમાં વ્યાઘ્ર સરખા તે દ્રોણાચાર્ય પાંચાલોના મધ્યમાં પ્રવેશ કરી કેમ મરણ પામ્યા? હે સંજય,તું પાંડવોને હર્ષ પામેલા,સર્વથી ઉત્કૃષ્ટ તથા સંતુષ્ટ કહે છે અને મારા યોદ્ધાઓને શોક્ગ્રસ્ત ને પરાજય પામેલા જણાવે છે પણ તે રાત્રિના સમયમાં યુદ્ધમાં પાછા નહિ હઠનારા તે પાંડવોનું,કુરુઓમાં કેમ પ્રગટ યુદ્ધ થયું હતું?