Jun 19, 2026

ભદ્રકાલી માતાજી-આબુરોડ-Bhadrakali Mataji-Abu road

 Jeth Sud-5-Mataji Patotsav
Bhadrakali Mataji-Abu road,Rajsthan

ભાગવત રહસ્ય-૧૭૩-Bhgavat Rahasya-173

વિઠ્ઠલનાથજીને દૂધ ધરાવી નામદેવ વારંવાર વિનવણી કરે છે.નામદેવનો પ્રેમ જોઈ વિઠ્ઠલનાથ પ્રસન્ન થાય છે.તે દૂધ પીતા નથી પણ કેવળ પ્રેમથી નામદેવને નિહાળી રહ્યા છે.નામદેવ કહે છે-“હું બાળક છું,આજ સુધી સેવા ન કરી તેથી તમે નારાજ થયા છો?દૂધ કેમ પીતા નથી?જલ્દી દૂધ પીઓ, તમને ભૂખ લાગી હશે.”
“શું ખાંડ ઓછી પડી છે?દૂધ ગળ્યું નથી?એટલે દૂધ નથી પીતા ?”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1155

 

અધ્યાય-૧૫૭-સોમદત્ત,બાહલીક,નાગદત્ત આદિ કુરુઓનો વધ 


II संजय उवाच II द्रुपदस्यात्मजान द्रष्ट्वा कुन्तिभोजसुतांस्तथा I द्रोणपुत्रेण निहतान राक्षसांश्च सहस्त्रशः II १ II

સંજય બોલ્યો-અશ્વત્થામાએ આ પ્રમાણે દ્રુપદરાજાના ને કુંતીભોજના પુત્રોને તથા હજારો રાક્ષસોને મારી નાખ્યા તે જોઈને યુધિષ્ઠિર,ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન અને સાત્યકિ આદિ યોદ્ધાઓ સાવધાન થઈને યુદ્ધ કરવા માટે જ મનમાં નિશ્ચયવાળા થયા.હે ભારત,તે વખતે તમારા અને શત્રુયોદ્ધાઓનું ભયંકર યુદ્ધ થઇ રહ્યું.સાત્યકિને જોઈને સોમદત્ત ફરીથી તેની સામે ધસી આવ્યો.તેને આવતો જોઈને ભીમસેન સાત્યકીની મદદે આવ્યો ને સોમદત્તને વીંધવા લાગ્યો હતો.પુત્રોના દુઃખથી પીડાયેલા એ વૃદ્ધ સોમદત્તને સાત્યકિએ દશ તીક્ષ્ણ બાણો વડે વીંધી નાખી,એક શક્તિના પ્રહારથી તેને ઘાયલ કરી નાખ્યો.બીજી તરફથી ભીમસેને એ  સોમદત્તના મસ્તક પર ઘોર એવું પરિઘ માર્યું,તે જ વખતે સાત્યકિએ પણ એક મોટું તીક્ષ્ણ બાણ સોમદત્તની છાતીમાં માર્યું.આ બંને પ્રહારોથી સોમદત્ત ધરણી પર ઢળી પડ્યો.

Jun 18, 2026

ભાગવત રહસ્ય-૧૭૨-Bhgavat Rahasya-172

પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જાગી –સ્નાન કરી પવિત્ર થઇ –તે પછી ભગવાનની પ્રાર્થના કરવી.પ્રાર્થના કરી લાલાજીને જગાડવાના. આપણે તો ભગવાન ના સેવક છીએ.સાધારણ સેવક જેમ માલિકને સાવધાનીથી જગાડે-તેમ લાલાજી ને જગાડવાના.(ઉત્તિષ્ઠ ગોવિંદ,ઉત્તિષ્ઠ ગરુડધ્વજ,ઉત્તિષ્ઠ કમલાકાન્ત ત્રૈલોક્ય મંગલમ કુરુ) ઉઠાડતાં પહેલાં ભોગ સામગ્રી તૈયાર રાખજે. વૈષ્ણવના હૃદયમાં પ્રેમભાવ જાગે એટલે લાલાજીને ભૂખ લાગે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1154

 

પોતાની માયાને નષ્ટ થયેલી જોઈને ક્રોધી ઘટોત્કચે ઘોર બાણો છોડીને અશ્વત્થામાને લોહીલુહાણ કરી નાખ્યો,ત્યારે સામે અશ્વત્થામાએ દશ બાણો છોડીને ઘટોત્કચને મર્મસ્થાનોમાં વીંધી ઘાયલ કરી નાખ્યો.વ્યથા પામેલા ઘટોત્કચે એક લાખ આરાવાળું ચક્ર ફેંક્યું,કે જેને અશ્વત્થામાએ બાણો વડે વચમાં જ તોડી પાડ્યું.તેવામાં ઘટોત્કચનો પુત્ર અંજનપર્વા ત્યાં ધસી આવ્યો અને અશ્વત્થામાને બાણોથી ઢાંકીને તેને રોકી રાખ્યો.તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.અશ્વત્થામાએ,તે અંજનપર્વાના ઘોડાઓ,સારથિ ને રથનો નાશ કર્યો,એટલે તે અંજનપર્વાએ ખડગ ને ગદા ફેંકી કે જેને અશ્વત્થામાએ નિષ્ફળ કરી.હવે તે અંજનપર્વા મોટી ગર્જના કરીને આકાશમાં ઉડીને વૃક્ષોની વૃષ્ટિ કરવા લાગ્યો એટલે અશ્વત્થામાએ તેને ત્યાં પણ બાણોથી વીંધી નાખ્યો એટલે તે પાછો પૃથ્વી પર ઉતરી આવ્યો.ત્યારે અશ્વત્થામાએ,તે અંજનપર્વાને બાણોથી મારી નાખ્યો.

Jun 17, 2026

ભાગવત રહસ્ય-૧૭૧-Bhgavat Rahasya-171

ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની સતત કાળજી રાખવી પડે છે-મહેમાનની સાથે બેસો તો તે ભોજન લે છે.કોઈ સાહેબ ઘેર આવ્યા હોય-ચા મૂકી ને બે-ત્રણ વાર કહેવું પડે કે સાહેબ ચા ઠંડી થાય છે. સાહેબ કંઈ આંધળો નથી-પણ બે-ત્રણ વાર કહીએ ત્યારે તે ચા લે છે.માનવને મનાવવો પડે તો લાલાજી તો તેના કરતા હજારો ગણા શ્રેષ્ઠ છે.