Jul 9, 2026

ભાગવત રહસ્ય-૧૯૨-Bhgavat Rahasya-192

વામનજી મહારાજને જનોઈ આપવામાં આવે છે-સૂર્યનારાયણ ગાયત્રીનો મંત્ર આપે છે. 
માતા અદિતિએ લંગોટી આપી છે.ધરતીએ આસન-બ્રહ્માએ કમંડળ-
સરસ્વતીએ જપ કરવા માળા-અને કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું છે.
આજથી ત્રિકાળ સંધ્યા (ત્રણ કાળે સંધ્યા) કરવાની એવો આદેશ થયો છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1173

 

અધ્યાય-૧૭૫-રાક્ષસ ઘટોત્કચનું યુદ્ધ 

 II धृतराष्ट्र उवाच II यतदवैकर्तन: कर्णो राक्षसश्च घटोत्कचः I निशीथे समसज्जेतां तद्युध्धमभवत्कथं II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'તે મધ્યરાત્રિના સમયે કર્ણ અને ઘટોત્કચ સામસામે ભેટ્યા ત્યારે તેમનું યુદ્ધ કેવું થયું હતું?તે ઘોર રાક્ષસનું સ્વરૂપ કેવું હતું?તેને રથ,ઘોડા અને સર્વ આયુધો કેવાં હતાં? તેની ધજા,ધનુષ્ય,કવચ,ટોપ એ બધાં કેવાં હતાં ?

Jul 8, 2026

ભાગવત રહસ્ય-૧૯૧-Bhgavat Rahasya-191

કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા કરવા ગયા છે.અદિતિ ઘરમાં એકલાં છે.પરમ પવિત્ર વિજયાદ્વાદશી નો દિવસ છે.માતા અદિતિ સમક્ષ વામન-ભગવાન પ્રગટ થયા છે.ચારે બાજુ પ્રકાશ પડ્યો. કશ્યપને ખબર પડી-દોડતા દોડતા વામન ભગવાનનાં દર્શન કરવા આવ્યા છે.માતપિતાને ભાન કરાવવા ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું છે. દર્શન કર્યા કે-ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ અદૃશ્ય થયું અને સાત વર્ષના બટુક વામન ભગવાન રૂપે પ્રગટ થયા છે. સુંદર લંગોટી પહેરી છે-દિવ્ય તેજ છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1172

 

અધ્યાય-૧૭૪-અલંબુષનો વધ-રાક્ષસે રાક્ષસને માર્યો 


II संजय उवाच II दष्ट्वा घटोत्कचं राजन सूतपुत्ररथंप्रति I आयान्तं तु तथायुक्तं जिघांसु कर्णमाहवे II १ II

સંજય બોલ્યો-હે રાજન,આમ રણમાં કર્ણનો વધ કરવાની ઈચ્છાથી સજ્જ થયેલો ઘટોત્કચ સૂતપુત્રના રથ તરફ ધસી આવતો હતો તે જોઈને તમારા પુત્ર દુર્યોધને દુઃશાસનને કહ્યું કે-'તું મોટી સેનાને લઈને જલ્દી જા અને કર્ણની બરાબર રક્ષા કર.જોજે એ ઘોર રાક્ષસ પ્રમાદમાં આવીને કર્ણનો નાશ કરી ન જાય'તેવામાં જટાસુરનો બળવાન પુત્ર રાક્ષસ અલંબુષ,દુર્યોધન પાસે આવી પહોંચ્યો અને તેણે દુર્યોધનને કહ્યું કે-'જો તમારી આજ્ઞા હોય તો હું એકલો જ પાંડવોનો વિનાશ કરીશ કેમ કે પૂર્વે મારા પિતા જટાસુરને તે ક્ષુદ્ર પાંડવોએ,રાક્ષસોનો વિનાશ કરે તેવા વૈદિક કર્મનું અનુષ્ઠાન કરીને મારી નાખ્યા છે તેનો હું બદલો લેવા ઈચ્છું છું.મારા એ શત્રુઓના લોહીથી હું મારા મૃત પિતાની પૂજા કરવા ઈચ્છું છું માટે મને અનુજ્ઞા આપવાની કૃપા કરો'

Jul 7, 2026

ભાગવત રહસ્ય-૧૯૦-Bhgavat Rahasya-190

શંકરાચાર્યે શતશ્લોકીમાં કહ્યું છે-કે –લોકો ચામડીની મીમાંસા કરે છે-
પણ આ દેહ જેનાથી સુંદર દેખાય છે-તે આત્માની કોઈ મીમાંસા કરતુ નથી.
જગત બગડ્યું નથી પણ જગતમાં રહેતા મનુષ્યોની આંખ-મન-બુદ્ધિ બગડ્યા છે.
દૃષ્ટિ સુધરે તો સૃષ્ટિ સુધરશે. “ભાગવત- જગતને જોવાની આંખ અને દૃષ્ટિ આપે છે.”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1171

 

અધ્યાય-૧૭૩-ઘટોત્કચનું પ્રોત્સાહન 


II संजय उवाच II ततो कर्णो रणे द्रष्ट्वा पार्षत परवोरहा I वाजवानोरसि शरैर्दशभिर्मर्म भैदिभिः II १ II

સંજય બોલ્યો-તે પછી શત્રુવીરોનો સંહાર કરનાર કર્ણે,ધૃષ્ટદ્યુમ્નને રણમાં જોઈને મર્મને ભેદી નાખે તેવા દશ બાણો છોડીને તેના વક્ષસ્થળમાં પ્રહાર કર્યો.ત્યારે સામે ધૃષ્ટદ્યુમ્ને તેને તેટલાંજ બાણોથી વીંધ્યો.આમ તે બંને એકબીજાને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યા હતા.છેવટે કર્ણે અનેક બાણો છોડીને ધૃષ્ટદ્યુમ્નના ધનુષ્યને કાપી,તેના સારથી ને ઘોડાઓને મારી નાખ્યા.રથ વગરના થયેલ ધૃષ્ટદ્યુમ્ને એક ઘોર પરિધ ફેંક્યું કે જેને કર્ણના ઘોડાઓને છૂંદી નાખ્યા.પછી,ધૃષ્ટદ્યુમ્ને,સહદેવના રથમાં ચડીને કર્ણ સામે યુદ્ધ કરવાની ઈચ્છા દર્શાવી,ત્યારે યુધિષ્ઠિરે તેને અટકાવ્યો.