અધ્યાય-૧૭૯-ઘટોત્કચનો વધ
II संजय उवाच II निहत्यालायुधं रक्षः प्रहृष्टात्मा घटोत्कचः I ननाद विविधान्नादान् वाहिन्याः प्रमुखे तव II १ II
સંજય બોલ્યો-અલાયુધનો નાશ કરીને રાક્ષસ ઘટોત્કચનું મન પ્રસન્ન થયું અને તે તમારી સેનાના મોખરે આવી વિવિધ ગર્જનાઓ કરવા લાગ્યો,તેના તુમુલ શબ્દને સાંભળીને તમારા યોદ્ધાઓને અતિ દારુણ ભય થવા લાગ્યો હતો.બીજી તરફ કર્ણ પાંચાલો સામે ધસી ગયો હતો.તેણે તીક્ષ્ણ બાણોથી ધૃષ્ટદ્યુમ્ન ને શિખંડીને અત્યંત ઘાયલ કર્યા હતા ને મોટાં નારાચ બાણોથી સાત્યકિ,યુધામન્યુ અને ઉત્તમૌજા આદિને કંપાવી દીધા હતા.



