અધ્યાય-૧૯૯-નારાયણાસ્ત્રનો પ્રયોગ
II संजय उवाच II ततः स कृदनं चक्रे रिपूणां द्रोननन्दनः I युगान्ते सर्वभूतानां कालसृष्टा इवांतकः II १ II
સંજય બોલ્યો-પછી,કાળથી સરજાયેલો યમ,જેમ,પ્રલયકાળે સર્વ ભૂતોનો સંહાર કરે તેમ,દ્રોણપુત્ર અશ્વત્થામા શત્રુઓનો સંહાર કરવા લાગ્યો,ને અનેક બાણો મૂકીને શત્રુઓને મારીમારીને મડદાંનો મોટો પહાડ ખડો કરી મુક્યો.તે વખતે અશ્વત્થામાએ જોશથી મોટી ગર્જના કરીને પોતાની પ્રતિજ્ઞાનું તમારા પુત્રને શ્રવણ કરાવ્યું.'આ ધર્મનો ડોળ ધરી રહેલા યુધિષ્ઠિર સમક્ષ જ હું તેમની સર્વ સેનાને ભગાડી દઈશ ને ધૃષ્ટદ્યુમ્નને તો જરૂર મારી નાખીશ.આ મારી સત્ય પ્રતિજ્ઞા છે માટે આપણી સેનાને પછી વાળ' એ સાંભળીને દુર્યોધને મોટો સ્નાદ કરીને સર્વ સેનાને યુદ્ધમાં પાછી વાળી.અશ્વત્થામાની આગેવાની હેઠળ તે બંને સેના વચ્ચે મહાયુદ્ધ થઇ રહ્યું.





