Aug 25, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1202

 

અધ્યાય-૨૦૨-શ્રીશંકર માહાત્મ્ય-વ્યાસ અને અર્જુન 


II धृतराष्ट्र उवाच II तस्मिन्नति रथे द्रोणे निहते पार्षतेन वै I मामकाः पांडवाश्चैव किमकुर्वन्नतः परम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,દ્રોણાચાર્યના મર્યા પછી,મારા ને પાંડુપુત્રોએ શું કર્યું હતું?

સંજય બોલ્યો-દ્રોણાચાર્યના મરણ પછી,કૌરવ સૈન્ય ભાગીને ઉભું હતું ત્યારે પોતાના વિજયની એક આશ્ચર્યજનક ઘટના જોઈને અર્જુન અકસ્માત ત્યાં આવેલા વ્યાસજીને એ સંબંધમાં પૂછ્યું કે-'હે મહર્ષિ,જયારે હું મારા બાણો દ્વારા શત્રુસેનાનો સંહાર કરી રહ્યો હતો ત્યારે મારા જોવામાં આવ્યું હતું કે એક અગ્નિના સમાન તેજસ્વી પુરુષ મારી આગળ ચાલી રહ્યા હતા.

Aug 24, 2026

Shiv sahitya all list-શિવજી વિશેનું સાહિત્ય-list

ભાગવત રહસ્ય-૨૩૫-Bhgavat Rahasya-235

મંથરા કહે છે-રામ તો આનંદમાં જ હોય ને ? રામનો તેમના પિતા આવતી કાલે 
રાજ્યાભિષેક કરે છે.રામના સમાચાર સાંભળી કૈકેયી પોતાનો ચંદ્રહાર ઉતારી મંથરાને આપ્યો. 
કૈકેયી અતિ ભોળી છે.મંથરાએ હાર ફેંકી દીધો.કૈકેયીને આશ્ચર્ય થયું-તે પૂછે છે-
મારા રામનો રાજ્યાભિષેક થાય,તેથી મને અતિઆનંદ થાય છે,પણ તને આટલું દુઃખ 
કેમ થાય છે ? સૂર્યવંશની રીત છે-કે-મોટો પુત્ર ગાદી પર બેસે.

Aug 23, 2026

ભાગવત રહસ્ય-૨૩૪-Bhgavat Rahasya-234

અયોધ્યાના લોકોને રામના રાજ્યાભિષેકની ખબર પડી છે,બધાને અતિ આનંદ થયો છે,
પણ દેવોને દુઃખ થયું છે.તેનું એક કારણ હતું-તેઓ ને થયું કે- 
જો રામ રાજગાદીએ વિરાજશે તો રાવણને કોણ મારશે ? દેવોએ વિઘ્નેશ્વરી દેવીનુ 
 આહવાન કર્યું છે. દેવીને કહ્યું-કે-અયોધ્યા જઈ તું રાજ્યાભિષેકમાં વિઘ્ન કર.
રામજીને સુખ-દુઃખ થવાનું નથી.તે તો આનંદરૂપ છે.દશરથરાજાને સદગતિ મળવાની છે.

Aug 22, 2026

ભાગવત રહસ્ય-૨૩૩-Bhgavat Rahasya-233

સીતાજી,સાક્ષાત મહાલક્ષ્મી-લગ્ન પછી જનકપુરી છોડીને રામજીની જોડે- જાય છે.
અયોધ્યામાં ચારે ભાઈઓ લગ્ન કરીને પાછા આવ્યા ત્યારે-કૌશલ્યા માએ ચારેને વધાવ્યા છે.
અયોધ્યા પાછા આવ્યા પછી,દશરથરાજાએ રાણીઓની રૂબરૂમાં જનકરાજાના બહુ 
વખાણ કર્યા.સીતાજી તે સાંભળે છે.કન્યાના માતપિતાના વખાણ કરો તો કન્યા રાજી થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1201

 

શ્રીનારાયણ બોલ્યા-હે આદિદેવ,આ ત્રિભુવનનું રક્ષણ કરનારા સર્વ પ્રજાપતિઓ આપનાથી જ ઉત્પન્ન થાય છે.હે વરેણ્ય,હે દેવ,તે પ્રજાપતિઓ આ પૃથ્વીમાં પ્રવેશ કરીને આપની પુરાણી સૃષ્ટિનું રક્ષણ કરી રહ્યા છે.વળી,દેવો,અસુરો,સર્પો,રાક્ષસો,

પિશાચો,મનુષ્યો,ગરુડો,યક્ષો અને અનેક જાતના સર્વ ભૂતગણો આપનાથી જ ઉત્પન્ન થયા છે તે અમે જાણીએ છીએ.ઇન્દ્ર,વરુણ,કુબેર,પિતૃ,વિશ્વકર્મા ને ચંદ્ર દેવતાઓ સંબંધી જે જે કર્મ કરાવવામાં આવે છે તે બધું આપના માટે જ કરવામાં આવે છે.રૂપ,તેજ,શબ્દ,આકાશ,વાયુ,સ્પર્શ,રસ,જળ,ગંધ,પૃથ્વી,કાળ,બ્રહ્મા,વેદો,યજ્ઞો,બ્રાહ્મણો ને જે સ્થાવર જંગમ ભૂતવર્ગ છે તે બધો આપનાથી ઉત્પન્ન થયો છે ને અંતે આપનામાં જ વિલિન થાય છે.જે પુરુષ ભૂતો સંબંધી આવું તાત્વિક જ્ઞાન ધરાવે છે તે આપના સાયુજ્યને પામે છે.હૃદયાકાશમાં રહેનારા શુદ્ધ,અશુદ્ધ,સત્વગુણ પ્રધાન,માયા તથા અવિદ્યા નામની મૂળ પ્રકૃતિમાં 'ચિત્તપ્રતિબિંબભૂત અને અવર્ણયુક્ત' એવા 'ઈશ્વર તથા જીવસંજ્ઞક' બે માનસ પક્ષીઓ મનની અંદર જ 'શારતા અને શાસ્ય' ભાવથી સ્પષ્ટ જણાય છે અને પક્ષીની જેમ ઉપાધિના સંબંધ વાળા છે.