Aug 27, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1204

 

ત્યારે દેવોનું હિત કરવાની ઈચ્છાથી,ભગવાન શંકરે આખી પૃથ્વીને જ પોતાના રથરૂપ બનાવી,નાગરાજ શેષને રથના ધૂંસરારૂપ બનાવ્યો,સૂર્યચંદ્રને રથનાં પૈડાં બનાવ્યાં.ત્યારે એ ત્ર્યંમ્બકે,ઐલપુત્ર તથા પુષ્પદંત નામના બે સર્પોને ધૂંસરીના છેડાનાં બંધન બનાવ્યાં,મંદરાચલ પર્વતને રથનો યૂપ બનાવ્યો.એ મહેશ્વરે ચાર વેદને ચાર ઘોડા બનાવ્યા ને ગાયત્રી-સાવિત્રીને ઘોડાઓની લગામ બનાવી.ૐકારને ચાબુક બનાવ્યો,બ્રહ્માને સારથી બનાવ્યા,વિષ્ણુને ઉત્તમ બાણ બનાવ્યા,અગ્નિને બાણનું ભાથું,વાયુને બાણનાં પીંછા ને યમરાજને બાણની પૂંખ બનાવ્યો.આવા દિવ્ય રથમાં બિરાજીને તે ભગવાન શંકર ત્રિપુરનો નાશ કરવા નીકળ્યા ત્યારે દેવો ને મહર્ષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા.

Aug 26, 2026

ભાગવત રહસ્ય-૨૩૭-Bhgavat Rahasya-237

સીતા,રામ અને લક્ષ્મણ દશરથ પાસે આવ્યા છે.વારંવાર દશરથને સમજાવે છે-કે-
પિતાજી ,ધીરજ ધારણ કરો,હું વનમાં જાઉં છું,મને આજ્ઞા આપો,આશીર્વાદ આપો.
કૈકેયી કહે છે-કે-મેં તને આજ્ઞા કરી છે,તે તારા પિતાની આજ્ઞા છે,તારા પિતા તને કંઈ કહી શકશે નહિ.
તે પછી કૈકેયી વલ્કલ વસ્ત્રો લાવ્યા છે,રામજીએ વસ્ત્રો-આભૂષણો ઉતર્યા અને વલ્કલ ધારણ કર્યાં.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1203

 

હે પાર્થ,આ ઘોર અને રોમાંચકારી સંગ્રામમાં અશ્વત્થામા,કૃપાચાર્ય,કર્ણ આદિ મહાન ધનુર્ધરોના રક્ષણ હેઠળ રહેલી કૌરવો સેનાનો મનથી પણ કોણ પરાભવ કરી શકે તેમ છે?એક માત્ર અનેક રૂપવાળા મહેશ્વર જ તે સેનાનો નાશ કરી શકે કારણકે તે પ્રભુ જયારે આગળ ઉભા હોય ત્યારે કોઈ પણ પુરુષ તેમની સામે ટકી શકે નહિ.ત્રણેય લોકમાં એક પણ પ્રાણી તેમની બરાબરનું નથી,સંગ્રામમાં તેમની ગંધમાત્રથી શત્રુ બેભાન થઇ જાય છે,મરણશરણ થઇ જાય છે.દેવો પણ તેમને નમસ્કાર કરતાં જ સ્વર્ગમાં રહી શકે છે.વળી આ લોકમાં પણ મનુષ્યો તે દેવને નમન કર્યા કરે છે.જે ભક્તપુરુષો,વરદ,રુદ્ર,ઉમાપતિ અને સર્વના ઈશ તે શંકરદેવને અનન્ય ભાવથી સદા ઉપસે છે તેઓ આ લોકમાં પરમસુખ પામીને અંતે પરમ ગતિને પામે છે માટે તું તે શાંત દેવને નમસ્કાર કર.(28)

Aug 25, 2026

ભાગવત રહસ્ય-૨૩૬-Bhgavat Rahasya-236

દશરથને વંદન કરી રામજી કૌશલ્યા મા ને વંદન કરવા આવ્યા છે.
કૌશલ્યાએ બધું સાંભળ્યું-પણ ધીરજ ધારણ કરીને બોલ્યાં-બેટા,ભરત રાજા બને અને તું વનમાં 
 જાય તેમાં કોઈ વાંધો નથી, કૈકેયીના મનમાં ભલે વિષમતા હોય-પણ મારા મનમાં કોઈ 
વિષમતા નથી, મને ચિંતા એક જ છે-કે-તારા વિના તારા પિતાનું શું થશે ? ભરતનું અને 
અયોધ્યાનું શું થશે ?તારો વિયોગ ભરતથી સહન થશે નહિ.બેટા, હું તારી સાથે આવું,
પણ પતિવ્રતાનો ધર્મ મને ના પડે છે.વનદેવ અને વનદેવી તારું રક્ષણ કરશે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1202

 

અધ્યાય-૨૦૨-શ્રીશંકર માહાત્મ્ય-વ્યાસ અને અર્જુન 


II धृतराष्ट्र उवाच II तस्मिन्नति रथे द्रोणे निहते पार्षतेन वै I मामकाः पांडवाश्चैव किमकुर्वन्नतः परम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,દ્રોણાચાર્યના મર્યા પછી,મારા ને પાંડુપુત્રોએ શું કર્યું હતું?

સંજય બોલ્યો-દ્રોણાચાર્યના મરણ પછી,કૌરવ સૈન્ય ભાગીને ઉભું હતું ત્યારે પોતાના વિજયની એક આશ્ચર્યજનક ઘટના જોઈને અર્જુન અકસ્માત ત્યાં આવેલા વ્યાસજીને એ સંબંધમાં પૂછ્યું કે-'હે મહર્ષિ,જયારે હું મારા બાણો દ્વારા શત્રુસેનાનો સંહાર કરી રહ્યો હતો ત્યારે મારા જોવામાં આવ્યું હતું કે એક અગ્નિના સમાન તેજસ્વી પુરુષ મારી આગળ ચાલી રહ્યા હતા.