Sep 3, 2026

ભાગવત રહસ્ય-૨૪૫-Bhgavat Rahasya-245

પ્રાતઃકાળમાં આંગણામાં ભીડ થઇ છે.બધાને આશા છે કે રામ-સીતા અયોધ્યામાં પાછા આવશે.
ભરતજીએ હુકમ કર્યો કે જેને આવવાની ઈચ્છા હોય તે ભલે આવે,
બધાના ઘરનું રક્ષણ રાજ્ય કરશે.વશિષ્ઠ ઋષિ પણ પત્ની અરુંધતી સાથે આવ્યા છે અને રથમાં વિરાજ્યા છે.
આજે કૈકેયીનો કળિ ઉતરી ગયો છે અને તે પણ રામના દર્શન કરવા તૈયાર થયાં છે.
ભરતજી માટે સુવર્ણનો રથ તૈયાર કર્યો છે,પણ તે રથમાં બેસવાની ના પડે છે. લોકો કહે છે કે 
–તમે રથમાં નહિ બેસો તો અમે પણ ચાલીશું. 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1210

અધ્યાય-૬-પાંડવ પક્ષના મરણ પામેલા મહારથીઓ 

 II धृतराष्ट्र उवाच II आख्याता मामकास्तात निहता युधि पांडवैः I हताश्च पांडवेयानां मामकैर्ब्रुहि संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે તાત,એ યુદ્ધમાં પાંડવોએ મારેલા મારા જે યોદ્ધાઓના નામ તેં કહ્યા,

તે જ પ્રમાણે મારા યોદ્ધાઓએ મારી નાખેલા પાંડવ યોદ્ધાઓના નામનિર્દેશ તું મને કહે.

સંજય બોલ્યો-હે રાજન,મહાબળવાન કુંતીરાજને ભીષ્મપિતામહે અમાત્યો અને પરિવાર સહીત મારી નાખ્યા છે.વળી પાંડવો પર પ્રીતિ રાખનારા સર્વ નારાયણોને,બલભદ્રોને અને સેંકડો શૂરા યોદ્ધાઓને ભીષ્મપિતામહે યુદ્ધમાં પાડી નાખ્યા છે.સત્યજિત રાજા,વૃદ્ધ દ્રુપદરાજ અને વિરાટરાજને દ્રોણાચાર્યે રણમાં રોળી નાખ્યા છે.અભિમન્યુને દુઃશાસનના પુત્રે માર્યો છે.અમ્બષ્ઠના પુત્રને દુર્યોધનના પુત્ર લક્ષ્મણે મારી નાખ્યો છે.ને બૃહન્તરાજાને દુઃશાસને યમગૃહે મોકલ્યો છે.

Sep 2, 2026

ભાગવત રહસ્ય-૨૪૪-Bhgavat Rahasya-244

રાજા દશરથની શોકસભામાં ભરત ઉભા થયા છે.સીતા-રામના સ્મરણમાં આંખમાંથી આંસુ 
નીકળે છે. ગુરુદેવ વસિષ્ઠના ચરણમાં વંદન કરે છે,અને કહે છે-કે-ગુરુદેવની અને માતાની 
આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે.બધાની ઈચ્છા છે કે મારો રાજ્યાભિષેક થવો જોઈએ. 
પણ આજે સામો જવાબ આપું છું,તો મને ક્ષમા કરજો.મારે બધા લોકોને એટલું જ પૂછવાનું છે કે-
મને ગાદી પર બેસાડવાથી શું અયોધ્યાનું કલ્યાણ થશે? શું મારું કલ્યાણ થશે ? 
મેં મારા મનથી નિશ્ચય કર્યો છે કે-રામ સેવાથી જ મારું કલ્યાણ થશે.રામ સેવા એ જ મારું જીવન છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1209

 

અધ્યાય-૫-કૌરવ પક્ષના મરણ પામેલા મહારથીઓ 


 II वैशंपायन उवाच II इति श्रुत्वा महाराज धृतराष्ट्रोम्बिकासुतः I अब्रवीत संजयं सूतं शोकसंविज्ञमानसः II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,આ સાંભળીને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્ર શોકથી વિહવળ મનવાળા થઇ ગયા ને સંજયને કહેવા લાગ્યા કે-'હે સંજય,મારી દુષ્ટ નીતિને પરિણામે જ મારો પુત્ર દુર્યોધન અલ્પાયુષી થયો છે.કર્ણ અને દુઃશાસનને મરણ પામેલા સાંભળીને મને અત્યંત શોક થાય છે ને તે મારુ કલેજું કાપી નાખે છે તો પણ હું હજી આ દુઃખના પારને તરી જવા ઈચ્છું છું માટે મારા સંશયને દૂર કર ને કૌરવ તથા પાંડવોમાં કયા કયા મહારથીઓ જીવે છે?ને ક્યા મરી ગયા છે તે મને કહે'

Sep 1, 2026

ભાગવત રહસ્ય-૨૪૩-Bhgavat Rahasya-243

દશરથના મરણના સમાચાર સાંભળી વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા છે. સર્વ લોકોને વિલાપ 
કરતાં જોઈ વશિષ્ઠ ઉપદેશ આપે છે.કહે છે-કે-દશરથજીનું મરણ મંગલમય હતું. 
જેનું મન મરતી વખતે પ્રભુ ચરણમાં હોય તેનું મરણ મંગલમય બની જાય છે.
રાજાના મુખ માં મરણ વખતે “રામ”નું નામ હતું. એટલે તેમનું મરણ મંગલમય છે,
અને તેથી આવા પ્રસંગે શોક કરવો યોગ્ય નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1208

 

અધ્યાય-૪-ધૃતરાષ્ટ્રનો વિલાપ 


 II वैशंपायन उवाच II एतच्छ्रुवा महाराज धृतराष्ट्रोम्बिकासुत:I शोकस्यांतमपश्यन् हतं मेने सुयोधनम्  II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,આ સાંભળી અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રના શોકનો તો પાર જ રહ્યો નહિ.તેણે દુર્યોધનને હવે મૂએલો જ માની લીધો.ને વિહવળ થઈને ઘરની પર ઢળી પડ્યો.ત્યારે ત્યાં અંતઃપુરની સ્ત્રીઓમાં મહાન આર્તનાદ થઇ રહ્યો.ત્યાં ધૃતરાષ્ટ્ર પાસે રાણી ગાંધારી આવી ને તે પણ બેભાન થઈને પૃથ્વી પર પછડાઈ.તેની પાછળ રાણીવાસની બીજી સર્વ રાણીઓ અને પણ ભોંય પર ઢળી પડી.ત્યારે સંજયે તે સર્વ સ્ત્રીઓને ધીરજ આપી.માંડમાંડ શાંત થયેલી તે સ્ત્રીઓ થરથર ધ્રૂજતી હતી.