વસિષ્ઠ કહે છે કે-જાગ્રત અને સુષુપ્તિને જુદાં પાડનાર "અજ્ઞાન અને તેનાં કાર્યો"નો
જ્ઞાન વડે બાધ થઇ જતાં,એ બંને અવસ્થાઓનું એક "આત્મ-તત્વ-રૂપ-પણું" થઇ જતાં,
જ્ઞાન વડે બાધ થઇ જતાં,એ બંને અવસ્થાઓનું એક "આત્મ-તત્વ-રૂપ-પણું" થઇ જતાં,
સર્વના અવધિ-રૂપ જે ચિન્માત્ર પરમતત્વ અવશેષ રહે છે તે તમે પોતે જ છો.
એટલે ધીરેધીરે અભ્યાસ કરતા રહીને તમે અનાદિ-અનંત-અદ્વિતીય એવા પરમપદને પ્રાપ્ત થાઓ.
કે જે પરમપદ સર્વ વસ્તુમાત્રથી વિલક્ષણ અને લોકોત્તર (ત્રણે લોક થી પર) છે.
"તત્વદ્રષ્ટિથી -જગત અને પરમાત્મા-એ બંનેનું દ્વૈત કે અદ્વૈત-પણું સંભવતું નથી" એવો નિશ્ચય બાંધી,તમે આકાશના જેવું વિશાળ અને નિર્વિકાર હૃદય રાખી,પરમ શાંતિને પ્રાપ્ત થાઓ.