Oct 6, 2021
Gujarati-Ramayan-Rahasya-94-ગુજરાતી-રામાયણ-રહસ્ય-94
તુલસીદાસજી કહે છે કે-તે વનવાસીઓ પર રામજીના દર્શનની,રામ-નામની એટલી બધી અસર થઇ હતી કે, લોકો કંદમૂળ-ફળ વગેરેના પડિયા ભરી ભરીને રામજીના દર્શન કરવા ચાલ્યા આવતા હતા.જાણે દરિદ્રો સોનું લુંટવા ચાલ્યા.રામ-દર્શનનું સોનું લુંટવા મળ્યું એટલે એમણે બીજી લૂંટ-ફાટ છોડી દીધી.રામચંદ્રજી પણ આ વનવાસીઓનો ખૂબ પ્રેમથી સત્કાર કરે છે,એમની સાથે હેત-પ્રીતથી વાતો કરે છે.વનવાસીઓના સુખનો-આનંદનો પાર નથી.
Oct 5, 2021
Gujarati-Ramayan-Rahasya-93-ગુજરાતી-રામાયણ-રહસ્ય-93
રામજીને જોવા,રામજીના દર્શન કરવા, સીમમાં લોકોનાં ટોળે-ટોળાં ઉભરાય છે.જે જુએ છે તે જોતાં જ રહે છે,
જાણે મોટો ખજાનો મળ્યો હોય તેવો તેમને હરખ ચડે છે.વડના ઝાડની નીચે છાયામાં પાંદડાંનું આસન બનાવીને રામજીને બે ઘડી બેસી થાક ખાવાની લોકો પ્રાર્થના કરે છે અને રામજી તે પ્રાર્થનાને સ્વીકારે પણ છે.
Oct 4, 2021
Gujarati-Ramayan-Rahasya-92-ગુજરાતી-રામાયણ-રહસ્ય-92
કેવટ ના પ્રસંગનું રહસ્ય એવું છે કે-કેવટ એ નિઃસાધન છે,એટલે કે તેણે પરમાત્મા માટે કોઈ સાધન કર્યું નહોતું,પણ,એનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ (સ્નેહ) એ,સંપૂર્ણ છે,એનું પ્રભુ પ્રત્યેનું સમર્પણ સંપૂર્ણ છે.તેથી એ પ્રભુની કૃપાનો અધિકારી બન્યો છે.માગ્યા વગર (અયાચિત) જ પ્રભુનો અનુગ્રહ (કૃપા) પામનારો એ પુષ્ટિ-ભક્ત છે.અને પ્રભુનો અનુગ્રહ (કૃપા) તેણે ઉતરાઈ-રૂપે મળે છે.(બીજું કશું પ્રભુ પાસે તે વખતે નહોતું!!)
Oct 3, 2021
Gujarati-Ramayan-Rahasya-91-ગુજરાતી-રામાયણ-રહસ્ય-91
સ્વર્ગના દેવો પણ આકાશમાંથી જોઈ રહ્યા છે કે-આ કેવટ કેવો ભાગ્ય શાળી!!! સીતાજી (લક્ષ્મીજી)
અને લક્ષ્મણજી (શેષજી) આજે લાચાર બનીને જોડે ઉભાં છે,
અને કેવટ સેવા કરે છે.કેવટ મનમાં ને મનમાં તેમને જાણે કહે છે કે-આજે તમે ઉભાં છો,
અને તમારી સામે જ હું સેવા કરું છું.રામજી મનમાં વિચાર કરે છે કે-
બે ચરણના બે માલિક જોડે ઉભા છે અને આ વળી ત્રીજો જાગ્યો.
Oct 2, 2021
Gujarati-Ramayan-Rahasya-90-ગુજરાતી-રામાયણ-રહસ્ય-90
કેવટ કહે છે કે-હું તમારો મર્મ જાણું છું. લક્ષ્મણજી કહે છે કે-તું શું મર્મ જાણે છે?
ત્યારે કેવટ કહે છે કે-મેં એવું સાંભળ્યું છે કે-રામજીની ચરણકમળની રજનો એવો જાદુ છે કે-તેના સ્પર્શથી પથ્થરની સ્ત્રી થઇ જાય છે (અહલ્યા ઉદ્ધાર),તો પછી મારી નાવ તો લાકડાની છે,તે નાવની સ્ત્રી બની જતાં તો ક્યાં વાર લાગે? અને મારી નાવડી જો એમ સ્ત્રી થઇ જાય તો નાવડી વગર હું મારા કુટુંબ નું ભરણ પોષણ કેવી રીતે કરું? વળી ઘરમાં એક બૈરી છે તે એકનું માંડ પુરુ કરી શકું છું તો આ બીજી બૈરી થાય તો,બે બે બૈરીઓનું પેટ કેવી રીતે ભરું?
ત્યારે કેવટ કહે છે કે-મેં એવું સાંભળ્યું છે કે-રામજીની ચરણકમળની રજનો એવો જાદુ છે કે-તેના સ્પર્શથી પથ્થરની સ્ત્રી થઇ જાય છે (અહલ્યા ઉદ્ધાર),તો પછી મારી નાવ તો લાકડાની છે,તે નાવની સ્ત્રી બની જતાં તો ક્યાં વાર લાગે? અને મારી નાવડી જો એમ સ્ત્રી થઇ જાય તો નાવડી વગર હું મારા કુટુંબ નું ભરણ પોષણ કેવી રીતે કરું? વળી ઘરમાં એક બૈરી છે તે એકનું માંડ પુરુ કરી શકું છું તો આ બીજી બૈરી થાય તો,બે બે બૈરીઓનું પેટ કેવી રીતે ભરું?
Oct 1, 2021
Gujarati-Ramayan-Rahasya-89-ગુજરાતી-રામાયણ-રહસ્ય-89
તે વખતે તેમને આશ્વાસન આપતાં રામજી કહે છે કે-“આ બધું મારા કર્મો નું ફળ છે,”
શ્રીરામ તો પરમાત્મા-બ્રહ્મ-સ્વરૂપ છે,તો તેમને વળી કર્મ શું અને કર્મફળ શું?ભોગવવાનું કે છૂટવાનું શું? તેમ છતાં રામજી, કૌશલ્યામા ને સમજાવે છે કે-પરશુરામ અવતારમાં મેં જે કર્યું તે રામાવતારમાં ભોગવવાનો વખત આવ્યો.પૂર્વ જન્મમાં કૈકેયી,એ રેણુકા હતી,કે જે રેણુકા જમદગ્નિ ઋષિની પત્ની અને પરશુરામની માતા હતી.
શ્રીરામ તો પરમાત્મા-બ્રહ્મ-સ્વરૂપ છે,તો તેમને વળી કર્મ શું અને કર્મફળ શું?ભોગવવાનું કે છૂટવાનું શું? તેમ છતાં રામજી, કૌશલ્યામા ને સમજાવે છે કે-પરશુરામ અવતારમાં મેં જે કર્યું તે રામાવતારમાં ભોગવવાનો વખત આવ્યો.પૂર્વ જન્મમાં કૈકેયી,એ રેણુકા હતી,કે જે રેણુકા જમદગ્નિ ઋષિની પત્ની અને પરશુરામની માતા હતી.
Sep 30, 2021
Gujarati-Ramayan-Rahasya-88-ગુજરાતી-રામાયણ-રહસ્ય-88
લક્ષ્મણજી આગળ કહે છે કે-મનુષ્ય-જન્મની અંદર જે કંઇ ધર્મ,અર્થ અને કામ પ્રાપ્ત થાય છે તે,પણ પૂર્વજન્મમાં કરેલાં ધર્મ-કર્મનું જ ફળ છે.તે જ પ્રારબ્ધ (દૈવ) છે.અને તે ભોગવ્યા વિના કોઈ પણ ઉપાયે તેનો નાશ થઇ શકતો નથી.ભોગવાઈ જાય એટલે આપોઆપ આ પ્રારબ્ધ (દૈવ) પુરુ થાય છે.એકવાર રામજી આગળ હું પુરુષાર્થની બડાઈ કરતો હતો ત્યારે તેમણે જ મને કહ્યું હતું કે-જેને પુરુષાર્થ કહે છે તે –કાક તાલીય ન્યાય જેવું છે.
Sep 29, 2021
Gujarati-Ramayan-Rahasya-87-ગુજરાતી-રામાયણ-રહસ્ય-87
સવારે અયોધ્યાના પ્રજાજનો જાગીને જુએ તો રામજી ના મળે.સર્વેને હાયકારો થયો,અને ચારે બાજુ દોડાદોડી કરી મૂકી.પણ રામજીના કોઈ સગડ ના મળ્યા.તેમના પસ્તાવાનો પાર રહ્યો નહિ.“અરેરે અમે ઊંઘ્યા કેમ?અમારી ઊંઘે અમને રામ ખોવડાવ્યા.અમે રામ વગર જીવીને કરીશું શું? અયોધ્યાના લોકો પ્રભુ વગર કલ્પાંત કરે છે.તેમને નગરમાં પાછા જતાં બીક લાગે છે.દાવાનળમાં સપડાયેલું પંખી જેમ ફફડે છે,તેમ લોકો પણ ફફડે છે.મહાકષ્ટ અનુભવતા અયોધ્યાના લોકો જયારે પોતાના ઘેર પાછા આવ્યા ત્યારે માથાં કુટીને કહે છે કે-
શ્રી રામ વગર આ ઘરમાં,આ નગરમાં કોણ રહે? આ અયોધ્યામાં રામ વગર કેવી રીતે રહેવાશે?
શ્રી રામ વગર આ ઘરમાં,આ નગરમાં કોણ રહે? આ અયોધ્યામાં રામ વગર કેવી રીતે રહેવાશે?
Sep 28, 2021
Gujarati-Ramayan-Rahasya-86-ગુજરાતી-રામાયણ-રહસ્ય-86
પણ સીતાજીના હાથમાં વલ્કલ જોઈને વશિષ્ઠજીથી રહેવાયું નહિ,તેમની આંખમાથી આંસુ આવી ગયાં.કૈકેયીની સામે જોઈને તેમણે કહ્યું કે-સીતાજીને વલ્કલ અપાય જ નહિ,તેં વનવાસ રામને આપ્યો છે,સીતાને નહિ.સીતા એ તો રાજ-લક્ષ્મી છે.રામચંદ્ર વનમાંથી પાછા નહિ આવે ત્યાં સુધી રામચંદ્રની વતી એ રાજ્યાસન પર બિરાજશે ને રાજ્યનું પાલન કરશે. સ્ત્રી એ પુરુષના આત્મા-રૂપ છે એવું શાસ્ત્ર વચન છે.એટલે પુરુષનો જેટલો અધિકાર છે તેટલો સ્ત્રીનો પણ છે.
Sep 27, 2021
Gujarati-Ramayan-Rahasya-85-ગુજરાતી-રામાયણ-રહસ્ય-85
અને કહે છે-કે-મા મને રામજી સાથે વનમાં જવાની આજ્ઞા આપો.
સુમિત્રા કહે છે-કે-બેટા તને જ્યાં સુખ લાગે ત્યાં તું જઈ શકે છે,તારું સુખ રામજીના
સુમિત્રા કહે છે-કે-બેટા તને જ્યાં સુખ લાગે ત્યાં તું જઈ શકે છે,તારું સુખ રામજીના
ચરણમાં છે.રામ-સીતા જ તારાં માતા-પિતા છે. અનન્ય ભાવે રામસીતાજીની સેવા કરજે.
રામનાં ચરણમાં તારી ભક્તિ જોઈ હું,મને ખૂબ ભાગ્યશાળી સમજુ છું,
જેનો પુત્ર રઘુપતિ રામમાં ભક્તિવાળો છે તે માતા જ સાચે પુત્રવતી છે.
'પુત્રવતી જુબતી જગ સોઈ,રઘુપતિ ભમતુ જાસુ સુતુ હોઈ'
'પુત્રવતી જુબતી જગ સોઈ,રઘુપતિ ભમતુ જાસુ સુતુ હોઈ'
Subscribe to:
Posts (Atom)