લોકો ને હવે ખાતરી થઇ ગઈ કે,ભરતજી એ પ્રેમની મૂર્તિ છે, શ્રીરામ પ્રત્યેનો તેમનો પ્રેમ અજોડ છે.બધા ભાવ-વિભોર બની ગયા.અને કહેવા લાગ્યા છે કે-ધન્ય છે ભરતજીને,અને તેમના પ્રેમ ને.બધા એકી સ્વરે બોલી ઉઠયા કે-ભરતજી,તમે પણ શ્રીરામને પ્રાણ સમાન પ્રિય છો,તમે વનમાં જશો તો તમારી સાથે અમે સર્વ પણ વનમાં આવીશું અને રામજીનાં દર્શન કરીશું.
Oct 15, 2021
Oct 14, 2021
Gujarati-Ramayan-Rahasya-101-ગુજરાતી-રામાયણ-રહસ્ય-101
દશરથરાજાના દેહનો અગ્નિ સંસ્કાર અને ઉત્તરક્રિયા વગેરે પતી ગયા પછી,
વશિષ્ઠજીએ મંત્રીઓ,મહાજનોને બોલાવી અને સભા બોલાવી,અને સભામાં
વશિષ્ઠજીએ મંત્રીઓ,મહાજનોને બોલાવી અને સભા બોલાવી,અને સભામાં
ભરતને પોતાને પડખે બેસાડ્યો. પછી,સભામાં વશિષ્ઠજીએ ઉભા થઇ ને કહ્યું કે-
લાભ-હાનિ,જીવન-મરણ,જશ-અપજશ-વગેરે આપણા હાથની વાત નથી,તો એને
લાભ-હાનિ,જીવન-મરણ,જશ-અપજશ-વગેરે આપણા હાથની વાત નથી,તો એને
માટે કોને દોષ દેવો અને કોના પર ક્રોધ કરવો? દશરથરાજા શોક કરવાને પાત્ર નથી,
તેઓ તો શ્રીરામનું સ્મરણ કરતાં મંગલમય મૃત્યુને વર્યા છે.
એમનો રામ-પ્રેમ સત્ય છે કે,રામના વનમાં ગયા પછી,તેમના વિયોગમાં તે જીવ્યા નહી.
Oct 13, 2021
Gujarati-Ramayan-Rahasya-100-ગુજરાતી-રામાયણ-રહસ્ય-100
તે જાણે ભૂલી ગયા.અને આ સર્વ અનર્થનું કારણ પોતે છે,એ જાણી તેમના દુઃખનો પાર રહ્યો નહિ.મનમાં ભરાયેલા ગુસ્સાથી તે બોલી ઉઠયા કે-અરેરે,તેં તો કુળનો
નાશ કરી નાખ્યો,જો તારી આવી દુષ્ટ ઈચ્છા હતી તો મને જન્મતાં જ કેમ
મારી ના નાખ્યો? તેં તો ઝાડને કાપીને પાંદડાંને પાણી સીંચ્યું,મને રામ-લક્ષ્મણ
જેવા ભાઈ મળ્યા,પણ વિધિની વક્રતા છે, કે માતા તરીકે મને તું મળી.
તને મા, કહેતાં પણ મારી જીભ અચકાય છે, અરે,આવું માગતાં તારી જીભ કેમ ના તૂટી પડી?
તારા મોં મોં કીડા કેમ ના પડ્યા? તારા હૃદયના કટકા કેમ ના થયા?
Oct 12, 2021
Gujarati-Ramayan-Rahasya-99-ગુજરાતી-રામાયણ-રહસ્ય-99
થાય છે.વૃદ્ધાવસ્થામાં આ લૂલી (જીભ) બહુ પજવે છે.માટે હજી શરીર સારું છે
ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે,ત્યાં સુધી માં પ્રભુ ને રાજી કરવામાં આવે તો
બેડો પાર છે.મરણ પથારીમાં પડ્યા પછી જેની પાછળ પૈસાનું પાણી કર્યું હશે
તે જ લોકો,ડોસો ક્યારે મરે તેવી ઈચ્છા રાખે છે.ભાગવતમાં સગાંઓને
શિયાળ-કૂતરાં જેવાં કહ્યા છે.છેવટે ડોસો એકલો જ રડતો,રડતો જાય છે.
તે જાણે છે કે કોઈ સાથે નહિ આવે,એકલાએ જ જવું પડશે,છતાં વિવેક રહેતો નથી.
Oct 11, 2021
Gujarati-Ramayan-Rahasya-98-ગુજરાતી-રામાયણ-રહસ્ય-98
અને અંત-કાળે ભગવાનનું નામ લઈશું તો પણ તરી જઈશું. પણ આ સમજ ખોટી છે.
એક તો અંતકાળ ક્યારે આવશે તેની કોઈને પણ ખબર નથી.
એક તો અંતકાળ ક્યારે આવશે તેની કોઈને પણ ખબર નથી.
એટલે તો સંતો કહે છે કે-આ પળે જ મોત આવવાનું છે તેમ સમજી ને ચાલો,
અને બીજું,અંતકાળ આવશે ત્યારે પ્રભુ નું નામ લઇ શકાશે જ,એની કોઈ ખાતરી નથી.
જિંદગીભર જેનું ચિંતન કર્યું હશે તે જ અંતકાળે યાદ આવશે.
Oct 9, 2021
Gujarati-Ramayan-Rahasya-97-ગુજરાતી-રામાયણ-રહસ્ય-97
રાજા ની વ્યાકુળતા વધી છે,અને ધીરે ધીરે “હે,રામ-હે,રામ” બોલતા જાય છે.
સાથે સાથે તેમનો જીવ પણ ઊંડે ઉતરતો જતો હતો.મધરાતે “રામ-રામ-રામ-
રામ-રામ-રામ” એમ છ વખત રામનામ ઉચ્ચારી તેમણે દેહ છોડી દીધો.
દશરથજીનો રામજી પ્રત્યેનો પ્રેમ અને રામજીનો વિયોગ અપ્રતિમ છે.એમને રામ
પાછા નહિ જ આવે તેવી ખાતરી થતા રામજીના વિયોગમાં પ્રાણ ત્યજી દીધા.
તેમણે જીવી જાણ્યું ને મરી પણ જાણ્યું.આ દુનિયામાં જીવવું યે મહત્વનું છે ને મરવું પણ મહત્વનું છે.
Oct 8, 2021
Gujarati-Ramayan-Rahasya-96-ગુજરાતી-રામાયણ-રહસ્ય-96
વાત એ વખતની છે જયારે દશરથરાજા યુવાનીને ઉંબરે પહોંચ્યા હતા.હજી તેમનાં લગ્ન થયા નહોતાં.ધનુર્વિદ્યામાં તે અતિ પારંગત હતા,આંખ મીંચી,માત્ર અવાજ પરથી તે ધાર્યું નિશાન વીંધતા હતા.આ શબ્દ-વેધી બાણ- વિદ્યાનો તેમને બહુ ગર્વ પણ હતો.ઘણીવાર કુમાર દશરથ એકલો,નદીના કિનારે કે ઉપવનમાં ફરવા નીકળી પડતો અને ક્યાંક સંતાઈને માત્ર અવાજ પરથી વન્ય-પશુના શિકાર કરતો.
Oct 7, 2021
Gujarati-Ramayan-Rahasya-95-ગુજરાતી-રામાયણ-રહસ્ય-95
મંત્રી સુમંત્ર પર શોકની એટલી બધી અસર થઇ છે કે,તેમની દ્રષ્ટિ મંદ થઇ ગઈ,કાને સંભળાવાનું ઓછું થઇ ગયું,ને બુદ્ધિ જાણે બહેર મારી ગઈ,જીવતા છતાં જાણે મૂવા જેવા થઇ ગયા.જાત સાથે જ વાતો કરતા હોય તેમ બબડે છે-અયોધ્યાના લોકો પૂછશે તો તેમને હું શું જવાબ આપીશ? કૌશલ્યામા,વાછરડીને મળવા ગાય દોડી આવે તેમ દોડી આવશે તો તેમને હું શું જવાબ આપીશ? મહારાજાને હું કેવી રીતે આશ્વાસન આપીશ? રામજી વનમાં જ રહી ગયા તેવું હું કેવી રીતે બોલી શકીશ?
Oct 6, 2021
Subscribe to:
Posts (Atom)