Aug 12, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-11

પ્રાણાયામ વિશે ઘણા બધા લોકો એમ ધારે છે
(વિચારે છે) કે -પ્રાણાયામ એટલે "શ્વાસ વિશે કંઈક"
પણ,ખરી રીતે તો તેમ નથી,શ્વાસને તો પ્રાણાયામ સાથે ઘણી જ થોડી નિસ્બત છે.અને તે જે કંઈ પણ થોડી નિસ્બત છે -તે એ છે કે-"શ્વાસ-ક્રિયા" એ -જે અનેક "ક્રિયા"ઓ દ્વારા આપણે ખરો પ્રાણાયામ કરીએ છીએ-તેમાંની એક "ક્રિયા" છે.પ્રાણાયામનો ખરો અર્થ છે-"પ્રાણ" પર નો કાબૂ.

Aug 11, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-10

વિવેકાનંદ કહે છે કે-"સાધનાની દરેક પ્રક્રિયા અને તેનાથી શરીરમાં કયાં બળો ગતિમાં આવે છે ?
તે આપણે ક્રમે ક્રમે જોઈશું.
સાધના ની આ પ્રક્રિયાઓ જ્યાં સુધી તમે પોતે તેનો પ્રયોગ ના કરો,ત્યાં સુધી હું ગમે તેટલી બુદ્ધિ-પૂર્વકની દલીલો કરું,પણ તમને તે ખાતરી નહિ કરાવી શકે.

Aug 10, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-09

હવે પાછા મૂળ વિષય પર જઈએ-તો-યોગના અંગોમાં યમ-નિયમ અને આસન પછી,નાડીશુદ્ધિ વિષે આપણે વિચાર્યું. હવે આવે છે "પ્રાણાયામ"

Aug 9, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-08

રાજયોગ તો આસન વિષે કહે છે કે-સ્થિર અને ટટ્ટાર થઈને આસન પર તમને અનુકૂળ આવે તેમ બેસો.એકવાર આસન પર બેસતાં આવડ્યું એટલે કેટલાકના મત પ્રમાણે નાડી-શુદ્ધિ નામની ક્રિયા કરવી પડે છે.જો કે આ ભાગ એ રાજયોગનું અંગ નથી.પણ ભાષ્યકાર શંકરાચાર્ય જેવી મહાન પ્રમાણભૂત વ્યક્તિ તે કરવાની સલાહ આપે છે,એટલે તેનો ઉલ્લેખ કરવો ઉચિત છે.

Aug 8, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-07

સૌ પ્રથમ યમ-નિયમનાં પગથિયાં એ નૈતિક શિક્ષણ છે.પાયામાં તે નૈતિક શિક્ષણ લીધા વિના યોગની કોઈ પણ સાધનામાં સફળતા મળી શકે નહિ.આ બે સાધનામાં પાકો થયા પછી જ યોગી પોતાની સાધનાનાં ફળ અનુભવવા લાગે છે.યોગી કદી-કોઈને પણ મન-વચન-કર્મ થી-પણ- હાનિ કરવાનો વિચાર કરતો નથી અને તેની કરુણાનું ક્ષેત્ર કેવળ મનુષ્યો પૂરતું જ મર્યાદિત ના રાખતાં,આગળ  વધારીને સમસ્ત જગતને -તે આવરી લે છે.