Nov 23, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-024

 

અધ્યાય-૨૨-બંને બહેનોએ ઓળંગેલો મહાસાગર 


II सौतिरुवाच II नागाश्च संविदं कृत्वा कर्तव्यमिति तद्वचः I निःस्नेहा वै दहेन्माता असंग्राप्तमनोरथ II १ II

સૂતજી બોલ્યા-હવે નાગોએ મંત્રણા કરીને ઠરાવ્યું કે-'આપણે માતાના વચન પ્રમાણે જ કરવું,કેમ કે 

તેનો મનોરથ જો પૂર્ણ નહિ થાય તો તે નિર્દય માતા આપણને બાળી મુકશે,અને જો તે પ્રસન્ન થશે તો,

આપણને  શાપમાંથી છોડાવશે,આથી આપણે નિઃસંશય તે ઘોડાનું પૂંછડું કાળું કરવું જ' 

આમ નિશ્ચય કરી તે ઘોડાના પૂંછડે વાળરૂપ થઇ ગયા.

Nov 22, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-023

 

અધ્યાય-૧૯-અમૃત માટે યુદ્ધ અને દૈત્યોનો પરાજય 


II सौतिरुवाच II अथावरणमुख्यानि नाना प्रहरणानि च I प्रगृह्याम्यद्रवन्देवान सहित दैत्यदानवाः II १ II

સૂતજી બોલ્યા-હવે,ઉત્તમ હથિયારો ને બખ્તરો સજીને,દૈત્યો અને દાનવો એકસાથે દેવોના તરફ ધસ્યા.

મોહિની સ્વરૂપે,ભગવાન નારાયણ દેવોને અમૃત પીવડાવી રહ્યા હતા,ત્યારે રાહુ નામનો દાનવ,દેવનું રૂપ લઈને અમૃતના ઘૂંટડા ભરી ગયો,એ અમૃત,તે દાનવના ગળા સુધી ગયું,ત્યારે દેવોનું હિત કરવાની ઈચ્છાથી,

ચંદ્ર અને સૂર્યે તે વાત,નારાયણને કહી,એટલે નારાયણે,તેનું માથું,તેજસ્વી ચક્રથી ઉડાવી દીધું,

ત્યારથી તે રાહુ-મુખે ચંદ્ર અને સૂર્ય સાથે વેર બાંધ્યું અને આજે પણ તે,તે બંનેનું ગ્રહણ કર્યા કરે છે (1-9)

Nov 21, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-022

 

અધ્યાય-૧૭-અમૃત માટે સમુદ્ર-મંથનનો નિશ્ચય 


II सौतिरुवाच II एतास्मिन्नेव काले तु भगिन्यौ ते तपोधन I अपश्यतां समायाते उच्चैःश्रवसमंतिकात्  II १ II

સૂતજી બોલ્યા-તે વખતે,બંને બહેનોએ (કદ્રૂ અને વિનતાએ) પોતાની પાસે ઉચ્ચૈશ્રવા નામના ઘોડાને પોતાની પાસે જોયો.કે જે ઘોડો,અમૃતને માટે સમુદ્રમંથન કરતી વખતે ઉપજ્યો (નીકળ્યો) હતો.આ ઘોડો,અશ્વોમાં રત્નરૂપ હતો,

અનુપમ,બળવાળો,શ્રેષ્ઠ,અજર અને દિવ્ય એવા આ ઘોડાને સર્વ દેવગણો પણ સત્કારતા હતા.

Nov 20, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-021

અધ્યાય-૧૫-સર્પોને,માતાએ આપેલ શાપ 


II सौतिरुवाच II मात्रा हि भुजगाः शप्ताः पूर्व ब्रह्मविदांवर I जनमेजयस्य वो यज्ञे धक्षत्यनिलसारथिः  II १ II

સૂતજી બોલ્યા-પૂર્વે,સર્પોને તેમની માતાએ શાપ આપ્યો હતો કે-'જન્મેજયના યજ્ઞમાં અગ્નિ તમને બાળી નાખશે'

કે જે શાપની શાંતિ માટે જ વાસુકિએ પોતાની બહેન જરુત્કારુને આપી હતી.તે જરુત્કારુ ઋષિએ,તેને વિધિપૂર્વક સ્વીકારી હતી,કે જે બંનેથી,તેમને આસ્તીક નામે પુત્ર થયો હતો.તે તપસ્વી,મહાત્મા,વેદમાં પારંગત,

સર્વ લોકને સમદ્રષ્ટિ રાખનારો અને માતપિતાનાં બંને કુળોના ભયને દૂર કરનારો હતો.

Nov 19, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-020


આસ્તીક પર્વ

અધ્યાય-૧૩-જરુત્કારૂનો પિતૃઓ સાથે સંવાદ 

(અધ્યાય-1 માં જણાવ્યા મુજબ કેટલાક અહીં (આસ્તીક પર્વ) થી મહાભારતની કથાનો પ્રારંભ કરે છે)

II शौनक उवाच II किमर्तः राजशार्दुलः स राज जनमेजयः I सर्पसत्रेण सर्पाणां गतोSतं तद्वदस्य मे II १ II

શૌનક બોલ્યા-રાજાઓમાં સિંહ સમાન,તે જન્મેજય રાજાએ,શા કારણથી સર્પસત્રથી સર્પોનો અંત આણ્યો?

વળી,દ્વિજવાર આસ્તીકે,શા માટે સર્પોને અગ્નિમાંથી છોડાવ્યા હતા? આસ્તીક હે જન્મેજયના વિષે કહો,

કે તેઓ કોના પુત્ર હતા? આસ્તીકની મનોરમ કથા હું સાંભળવા ઈચ્છું છું.