અધ્યાય-૨૨-બંને બહેનોએ ઓળંગેલો મહાસાગર
II सौतिरुवाच II नागाश्च संविदं कृत्वा कर्तव्यमिति तद्वचः I निःस्नेहा वै दहेन्माता असंग्राप्तमनोरथ II १ II
સૂતજી બોલ્યા-હવે નાગોએ મંત્રણા કરીને ઠરાવ્યું કે-'આપણે માતાના વચન પ્રમાણે જ કરવું,કેમ કે
તેનો મનોરથ જો પૂર્ણ નહિ થાય તો તે નિર્દય માતા આપણને બાળી મુકશે,અને જો તે પ્રસન્ન થશે તો,
આપણને શાપમાંથી છોડાવશે,આથી આપણે નિઃસંશય તે ઘોડાનું પૂંછડું કાળું કરવું જ'
આમ નિશ્ચય કરી તે ઘોડાના પૂંછડે વાળરૂપ થઇ ગયા.