અધ્યાય-૧૩૨-દ્રોણે શિષ્યોની પરીક્ષા લીધી
II वैशंपायन उवाच II ततः संपूजितो द्रोणो भीष्मेण द्विपदां वरः I विशश्राम महातेजा: पूजितः कुरुवेश्मनि II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ભીષ્મથી સત્કારાયેલા.તે મહાતેજસ્વી ને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા દ્રોણ,કુરુમંદિરમાં,
સન્માનપૂર્વક વિશ્રામ લેવા ગયા.તે વિશ્રાંતિ લઇ રહ્યા,ત્યારે ભીષ્મે,પોતાના પૌત્રોને લાવીને,તેમને શિષ્ય તરીકે સોંપ્યા.અને દ્રોણને વિવિધ ધન,ઘર-આદિ આપ્યું.દ્રોણે પણ,તે કુમારોને શિષ્ય તરીકે સ્વીકાર્યા.
પછી,પ્રસન્નમન દ્રોણ,તે સૌને,પોતાની નિકટ બેસાડીને એકાંતમાં કહેવા લાગ્યા કે-(1-5)