II वैशंपायन उवाच II एवमुक्तः स भगवान धुमकेतुर्हुताशन: I चिन्तयामास वरुणं लोकपालं दिदक्षया II १ II
વૈશંપાયન બોલ્યા-અર્જુને આમ કહ્યું એટલે,ધૂમકેતુ (અગ્નિ)એ,જળનિવાસી,જલેશ્વર,અને લોકપાલ એવા અદિતિપુત્ર વરુણનાં દર્શન અર્થે ચિંતન કર્યું,ત્યારે તે વરુણે,દર્શન આપ્યાં,ત્યારે અગ્નિએ તેમને પૂજા સત્કાર
અર્પણ કરીને કહ્યું કે-'સોમરાજાએ તમને જે ધનુષ્ય,સુદર્શન ચક્ર ને શીઘ્રવેગી કપિના ધ્વજવાળો રથ આપ્યા છે
તે તત્કાળ મને આપો.અર્જુન તે ગાંડીવ ધનુષ્યથી અને વાસુદેવ તે સુદર્શન ચક્રથી મને સહાય કરશે.
વરુણે અગ્નિને ઉત્તર આપ્યો કે-'ભલે,હું તે આપું છું' (1-5)