અધ્યાય-૧૩૧-ઉશીનરના ધૈર્યની કસોટી
II श्येन उवाच II धर्मात्मानं त्वाSSहुरेकं सर्वे राजन्महीक्षितः I सर्वधर्मविरुद्वं त्वं कस्मात्कर्म चिकिर्पसि II १ II
શ્યેન બોલ્યો-'હે ઉશીનર,સર્વ રાજાઓ તને એકલાને જ ધર્માત્મા કહે છે તો તું સર્વ ધર્મથી વિરુદ્ધ એવું
કર્મ શા માટે કરવા ઈચ્છે છે? આ હોલો મારુ ભક્ષ્ય થવા નિર્માયો છે.હું ભૂખથી પીડાઈ રહ્યો છું.
તો તું ધર્મનો લોભ કરીને આ હોલાને રક્ષણ ન આપ,લાગે છે કે તું ધર્મને ખોઈ બેઠો છે.
રાજા બોલ્યો-'હે મહાપક્ષી,આ પંખી તારા ડરથી મારા શરણે આવ્યું છે,તેનો ત્યાગ કરવો એ નિંદાપાત્ર છે,
બ્રાહ્મણોનો કે શરણે આવેલાને ત્યજવાનું પાપ ગાયોના વધ સરખું જ ગણવામાં આવે છે' (6)